SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ 'अस्य च' आगमस्य 'प्रमाणभावं 'प्रामाण्यं 'मानान्तरतां च' प्रमाणान्तरतां चानुमानादित्यपेक्ष्यते, 'उपरि सर्वज्ञसिद्धौ वक्ष्यामीति तत एवेहावधार्यम् । यत्पुनरुक्तं प्राक् 'आगमपमुहेसुं पुण सव्वेवि न संगया पायं । ता कहमागमपमुहा होति पमाणा उ इति । तदतीवायुक्तम्। यत आह-- 'नासँगयेत्यादि' न परस्परं वादिनाम् 'असंगतत्वमात्रेण' असंगताभिप्रायमात्रेण 'वस्तुनो' घटादेरभावः । न हि वस्तु प्रवाद्यभिप्रायनिमित्तं येन तदसंगतत्वे वस्तुनोऽप्यभावः स्यात्, किंतु स्वकारणकलापनिमित्तम्। ततश्चायमप्यागमो यथावस्थितपदार्थप्रकाशनस्वभावतया स्वयं प्रमाणं सन् परस्परं वादिनामसंयताभिप्रायत्वमात्रेण नाप्रमाणं भवितुमर्हति तदभिप्रायनिमित्तप्रामाण्यानभ्युपगमात् । इहाभिप्रायविशेषेणैव वादिनो वस्तु प्रति परस्परमसंगता न स्वरूपेणेति 'असंगयमेत्तेणं' इत्युक्तावपि असंगताभिप्रायत्वमात्रेणेति व्याख्यातम् ॥१३२॥ तदेवं वादिनामसंगताभिप्रायत्वमात्रस्य वस्तुतथाभावाभावे प्रतिबन्धाभावादनैकान्तिकत्वमुद्भाव्य सांप्रतं साधारणानैकान्तिकत्वमुपदर्शयन्नाह- ण य संगया पवादी भूतेसुवि अह य ताणि विज्जंति । णज्जंति य एवं चिय आगमपक्खेवि को दोसो? ॥ १३३ ॥ (न च संगताः प्रवादिनः भूतेष्वपि अथ च तानि विद्यन्ते। ज्ञायन्ते चैवमेवागमपक्षेऽपि को दोषः ?) પ્રામાણ્ય અનુમાનમાં સમાવેશ પામે છે, કેમકે હ્યું છે કે, (શબ્દ) વક્તાના અભિપ્રેતને સૂચવે છે. અહીં વિશિષ્ટ અભિપ્રાયના સંબન્ધીતરીકે પ્રતીતિનો વિષય કરાવતો વક્તા જ ધર્મી(-પક્ષ) છે. અભિપ્રાયવિશેષ સાધ્ય છે. અને વક્તાથી ઉચ્ચારાતો શબ્દ સાધન (હેતુ) છે. આગમપ્રામાણ્યનુંઅનિષેધક) (અસંગતાભિપ્રાય આ પૂર્વપક્ષને ખાંડવા આ પ્રમાણે હે છે. ગાથાર્થ :- આનું( આગમનું) પ્રામાણ્ય અને ભિન્ન પ્રમાણરૂપતા પણ આગળ બતાવશું. પરસ્પર વાદીઓના અસંગત વચનમાત્રથી વસ્તુનો અભાવ થતો નથી. આગમનું પ્રામાણ્ય, અને( અનુમાનથી. આટલું અધ્યાહાર્ય છે.) ભિન્ન પ્રામાણ્ય -> અનુમાનની અપેક્ષાએ પ્રમાણાન્તસ્તા અર્થાત્ આંગમપ્રમાણ અનુમાનપ્રમાણ કતાં ભિન્ન પ્રમાણ છે. આ વાત સર્વજ્ઞસિદ્ધિપ્રણસ્થળે બતાવશું, તેથી ત્યાંથી જ જાણી લેવું. તથા પૂર્વે જે નાસ્તિકોએ શું કે આગમપમુઅેસ. ઇત્યાદિ. આગમવગેરેમાં બધા પ્રાયઃ સંગત નથી તેથી આગમવગેરે શી રીતે પ્રમાણ બની શકે ? તે અત્યંત અયોગ્ય છે. કેમકે વાદીઓના પરસ્પર અસંગત' એવા અભિપ્રાયમાત્રથી કંઈ ઘડાવગેરે વસ્તુઓનો અભાવ નથી થઈ જતો. વસ્તુ પોતાના અસ્તિત્વઅંગે ઈં વાદીના અભિપ્રાયની અપેક્ષા રાખતી નથી, કે જેથી વાદીઓના અભિપ્રાયની અસંગતતામાત્રથી વસ્તુનો પણ અભાવ અવી જાય. વસ્તુ તો પોતાનાં અસ્તિત્વ માટે પોતાના કારણસમુદાયની જ અપેક્ષા રાખે છે. આમ પદાર્થના યથાવસ્થિત સ્વરૂપનો પ્રકાશ કરવાના સ્વભાવના કારણે આગમ સ્વયં પ્રમાણરૂપ જ છે. વાદીઓના પરસ્પર અસંગતિસૂચક અભિપ્રાયમાત્રથી આગમની આ પ્રમાણતાનો લોપ થઈ શકે નહિ. કેમકે પ્રમાણનું પ્રામાણ્ય વાદીઓના અભિપ્રાયપર આધાસ્તિ નથી. અહીં અભિપ્રાયવિશેષથી વાદીઓ વસ્તુઅંગે પરસ્પર અસંમત છે, નહિ કે સ્વરૂપથી. તેથી મૂળમાં અસંગયમેનૅણ” એવું જે વચન છે, તેની વ્યાખ્યા અસંગત અભિપ્રાયમાત્રથી એવી કરી ૧ા આ પ્રમાણે આગમપ્રમાણઅંગે વાદીઓના અસંગતઅભિપ્રાયની સાથે વસ્તુસ્વરૂપના અભાવનો પ્રતિબન્ધ અર્થાત્ વ્યાપ્તિ ન હોવાથી અનેકાન્તિક્તા વ્યભિચાર બતાવ્યો. ડ્વે સાધારણઅનૈકાન્તિક્તા દર્શાવે છે. ગાથાર્થ :- વળી વાદીઓ ભૂતોઅંગે પણ સંગત અભિપ્રાયવાળા (=સંમત) નથી. અને છતાં તેઓ વિદ્યમાન છે અને દેખાય છે. આ જ પ્રમાણે આગમપક્ષમાં પણ જ્ઞાન થાય તેમાં શો દોષ છે ? મૂળમાં ચ સંગતઅભિપ્રાયના સાધારણઅનૈકાન્તિવૃદોષના સમાવેશ અર્થે છે.(અથવા ટૌકામાં ચશબ્દો સંગતાભિ પ્રાયત્વસ્ય ઇત્યાદિમાં ચશબ્દ પછી ૐ” (અવગ્રહ) જાણવો. ત્યાં આગમપ્રમાણમાં અસંગતાભિપ્રાય અને પ્રામાણ્યભાવમાં અનેકાન્તિક્તા બતાવી. હવે સમુચ્ચયી પ્રત્યક્ષઆદિપ્રમાણથી સિદ્ધ પૃથ્વીવગેરે ભૂતોમાં પણ અસંગતાભિપ્રાય અને અસ્તિત્વના અભાવમાં અનેકાન્તિક્તાનો દોષ બતાવે છે.) પૃથ્વીવગેરે ભૂતોઅંગે વાદીઓ સંગતઅભિપ્રાયવાળા(એક અભિપ્રાય વાળા) નથી. કેટલાક ક્યે છે (વિજ્ઞાનવાદી—બૌદ્ધો) પૃથ્વીવગેરે ભૂતો નથી, પરંતુ આ બધું માત્ર વિજ્ઞાનરૂપ જ છે.. બીજાઓ (=સાંખ્ય) કહે છે આ જ્ગત પ્રધાન(-પ્રકૃતિ)ના પરિણામરૂપ જ છે. આમ પરસ્પર સંગતઅભિપ્રાય ન હોવા છતાં ભૂતો તો વિધમાન છે જ. નહિ કે વાદીઓના પૂર્વોક્ત અસંગત અભિપ્રાયમાત્રથી ભૂતોનો અભાવ છે. એમ તમને (નાસ્તિકોને) પણ સંમત છે. આમ અસંગતઅભિપ્રાય અને અભાવવચ્ચે અનૈકાન્તિક્તા બતાવી. વળી, ઓ ભૂતો પણ કંઈ ભૂતો છે એવી પ્રતિજ્ઞામાત્રથી વિદ્યમાન નથી, પરંતુ પ્રત્યક્ષઆદિ પ્રમાણથી વિદ્યમાન દેખાય છે. (‘ચિય-પદ જકાર અર્થક છે.) આ જ પ્રમાણે આગમપક્ષે પણ ક્યો દ્વેષ છે ? અર્થાત્ કોઇ દોષ નથી. કેમકે વાદીઓના પરસ્પર અસંગતઅભિપ્રાય હોવા છતાં આગમપ્રમાણ ભૂતોની જેમ પોતાના સ્વરૂપમાંથી ભ્રષ્ટ થતું નથી. આમ આગમ પ્રમાણતરીકે સિદ્ધ થાય છે. અને તે પ્રમાણરૂપ હોવાથી જ તેનાથી-આગમથી જીવ પણ સારી રીતે સિદ્ધ થાય છે. વળી પૂર્વે નાસ્તિકોએ કહ્યું હતું કે “આવો નિર્ણય શી રીતે થઇ શકે કે જીવ અનાિિનધન છે, અને જ્ઞાનાવરણીય આદિકર્મોથી સંયુક્ત છે. ઈત્યાદિ જીવના અસ્તિત્વનું પ્રતિપાદન કરસ્તા વચનો પ્રમાણભૂત છે, અને પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ” યાવિચનો પ્રમાણભૂત નથી. તેથી પ્રામાણ્ય અપ્રમાણ્યમાં ભેદ પાડનાર કોઈક નિયામક બતાવો. પણ વાસ્તવમાં કોઇ નિયામક નથી. તેથી વઅસ્તિત્વપ્રતિપાદક વચનો પ્રમાણભૂત નથી" નાસ્તિકોની આ વાત તથ્ય વિનાની છે. કેમકે અહીં ધર્મસંહણિ ભાગ-૧ ૭ ૧૧૪
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy