________________
—
—
—
—
अह मणुमाणविरुद्धादिदोससब्भावतोऽपमाणं तं ।
णो वत्थुबलपवत्ते ते दोसा दंसियमिदं तु ॥ १२३ ॥ .
(अथानुमानविरुद्धादिदोषसद्धावतोऽप्रमाणं तत् । न वस्तुबलप्रवृत्ते ते दोषा दर्शितमिदं तु) अथेति पराशङ्काभिव्यक्तौ । अनुमानविरोधादिदोषसद्भावात् अप्रमाणं तदनुमानमिति मन्येथाः, तदयुक्तम्, यस्मान्न "વસુલતા સણાવ્યથાનુન્નત નિયવતપ્રવૃત્તેિડનુમાને તે અનુમાનવિરોષો રોષા: પ્રદુષત્તિા જપ-- धूमवत्त्वेनाग्निमति पर्वते साध्ये न खलु नाग्निमान् पर्वतः पर्वतत्वात्तदन्यपर्वतवत् इत्यनुमानविरोधस्य, तथा निस्तलनिर्वृक्षप्रदेशाग्निना अग्निमान् पर्वतो धूमवत्त्वात् महानसवदितीष्टविघातकृत्त्वस्य, नात्रत्येनाग्निना अग्निमान् पर्वतो धूमवत्त्वात् महानसवदिति विरुद्धाव्यभिचारित्वस्य वा दोषस्यावकाशोऽस्ति, तेषां प्रत्यक्षबाधितविषयतया अनुमानाभासत्वतो विवक्षितानुमानबाधकत्वायोगात्, एतच्च प्रागेव दर्शितम् । तथा चाह-- 'दंसियमिदं तु ति' इदमनन्तरोक्तम् तुशब्दः — — — — — — — —
— — — — — — — — — — — — — — — — — — —— — થાય છે. પછી જ્યારે કોઈક પ્રત્યક્ષજ્ઞાન સમર્થઅર્થપ્રાપકતરીક સંવેતિ થાય છે, ત્યારે ઉપરોક્ત વ્યક્તિના બળપર તે જ્ઞાન અવિસંવાદીતરીક નિશ્ચિત થાય છે. અને જો, તે પ્રત્યક્ષજ્ઞાન સમર્થ અર્થપ્રાપક ન બને, તો, તેમાં વિસંવાદનો નિશ્ચય થાય છે. અને અવિસંવાદી પ્રત્યક્ષ પ્રમાણતરીક ( પ્રામાણ્યયુક્ત) અને વિસંવાદી પ્રત્યક્ષ અપ્રમાણતરીકે જાહેર થાય છે. વળી યોગ્ય દેશમાં રદ્ધા વ્યવધાન વિનાના વિદ્યમાનવિષયના ગ્રહણથી જ પ્રત્યક્ષજ્ઞાનની ઇતિશ્રી છે. તેથી પ્રત્યક્ષજ્ઞાન પૂર્વાપરના પરામર થી રહિત છે. ( પૂર્વકાલીન અને ઉત્તરકાલીન જ્ઞાનોના સંકલનમાં સમર્થ નથી.) તેથી પ્રત્યક્ષજ્ઞાન સર્વકાળે થયેલા, થતાં, થનારા પ્રત્યક્ષજ્ઞાનોમાં અવિસંવાદિતાસામાન્યનો બોધ કરાવવા સમર્થ નથી. તેથી આ પ્રત્યક્ષજ્ઞાન સર્વકાલીન પ્રત્યક્ષજ્ઞાનોમાં પ્રામાણ્યની મહોરછાપ મારી શકે તેમ નથી. તેથી સ્વીકારવું જ રહ્યું કે, અનુભવેલા તે પ્રત્યક્ષજ્ઞાનના જ અનુસારે સઘળા સમર્થ અર્થપ્રાપક પ્રત્યક્ષજ્ઞાનોમાં અવિસંવાદિતાનો નિર્ણય કરાવનાર અનુમાન પ્રમાણ હોવું જોઈએ. કે જે (અનુમાન) અવિસંવાદિ સામાન્યતાનિર્ણયદ્વારા પ્રામાયને સિદ્ધ કરી શકે. આમ પ્રત્યક્ષના પ્રામાયનિર્ણય માટે પણ અનુમાન પ્રમાણ આવશ્યક છે. વળી, જે વ્યક્તિ(નાસ્તિક) બીજાને જ્ઞાન કરાવવા શાસ્ત્રો રચે, તે વ્યક્તિ શી રીતે અનુમાનના પ્રામાણ્યનું ખંડન કરી શકે ? કેમકે અનુમાનના નિષેધમાં શાસ્ત્ર રચવાની પ્રવૃત્તિ નિષ્ફળ થવાનો પ્રસંગ છે. પ્રત્યક્ષજ્ઞાનથી અન્યના ચિત્તનો અભિપ્રાય જાણી શકાતો નથી. વળી અન્યમાં ચૈતન્યનો બોધ થાય નહિ ત્યાં સુધી, અને પ્રત્યક્ષજ્ઞાનની નિવૃત્તિથી અન્યમાં ચૈતન્યના અભાવની રાંકા રહે ત્યાં સુધી “આ બીજી વ્યક્તિ દાચ શાસ્ત્રાર્થનો બોધ પામશે એવા સંશયથી પણ શાસ્ત્ર રચવામાં પ્રવૃત્તિ થવી યુક્તિસંગત બને નહિ. (જેની સમક્ષ શાસ્ત્રની રજુઆત કરવી છે, તે જડ છે, કે ચેતન એવો નિર્ણય ન થાય, ત્યાં સુધી તે સમજશે કે નહિ તેવા સંશયને પણ અવકાશ નથી. તો તેવા સંહાયથી પ્રવૃત્તિ થવાની તો વાત જ ક્યાં રહી ?) ચેષ્ટાઆદિ લિંગથી ચૈતન્યનો નિર્ણય કર્યા પછી બીજાના મુખવગેરેના હાવભાવથી તેના અંતર્ગત અભિપ્રાયનો નિર્ણય કરવામાં આવે પછી જ તેની આગળ શાસ્ત્રોની વાત રજુ થઈ શકે.
વળી, પ્રત્યક્ષજ્ઞાનનાં પ્રામાણ્યનું કારણ છે ‘ગ્રહણ કરાતા પદાર્થોના અન્વય-વ્યતિરેકનું અનુકરણ (જે વસ્તુનું પ્રત્યક્ષજ્ઞાન થાય, તે વસ્તુ જો હાજર હોય, તો પ્રત્યક્ષજ્ઞાન વસ્તુના અન્વયને અનુસર્ય ગણાય.અને તે વસ્તુના અભાવમાં તેનું પ્રત્યક્ષજ્ઞાન પણ જો ન થાય, તો વસ્તુના વ્યતિરેક–અભાવને અનુસર્યું ગણાય) આમ જો પ્રત્યક્ષજ્ઞાન વસ્તુ(વિષય) ના અન્વય-વ્યતિરેકને અનુસરે, તો પ્રમાણભૂત બને. આ જ નિમિત્તકારણસમાનતા અનુમાનને પણ લાગુ પડે છે. કેમકે સાધ્યના અન્વય અને વ્યતિરેકને અનુસરતા, સાધ્યસાથે પ્રતિબદ્ધ લિંગના જ્ઞાનથી જ થતું સાધ્યનું અનુમાન પ્રમાણભૂત બને છે. તેથી અનુમાન કેમ પ્રમાણભૂત ન બને ?
નાસ્તિક :- અમે શા માટે અનુમાનનો પ્રમાણતરીકે સ્વીકાર કરીએ ? કેમકે અનુમાનવિરોધ વગેરે અનેક દોષોના હુમલાનો સંભવ છે. માં જો અનુમાનનું પ્રમાણ તરીકે સ્વીકારશો, તો “તે શ્યામ (Fકાળો) છે કેમકે તેનો પુત્ર છે. જેમકે તેના બીજાપુત્રો”
જ્યાદિને પણ પ્રમાણતરીકે સ્વીકારવાનો પ્રસંગ આવશે. (યામ સાધ્ય છે, “તત્પન્નત્વ હેતુ છે “તદન્યપુત્ર' દષ્ટાંત છે. અહીં શ્યામત્વને તપુત્ર–સાથે વ્યાપ્તિ નથી. માં દૃષ્ટાન્તના બળપર તેવી વ્યાતિ જોડી આવા લ્પિત અનુમાનો સિદ્ધ કરી શકાય. અને તો, જગતમાં ફાવે તેવી
લ્પનાઓ પ્રમાણસિદ્ધ કરી જાય, કેમકે જગતમાં અનેક પ્રકારના દૃષ્ટાન્તોનો તોટો નથી. તેથી પ્રમાણ અને ભ્રાન્તિ વચ્ચે ભેદ ન રહે, અને કાર્યકારણભાવની વ્યવસ્થા ન રહેવાથી પ્રવૃત્તિઓમાં મોટા વિસંવાદ પેદા થાય યાદિ અનેક દોષો હોવાથી અનુમાનને પ્રમાણતરીકે સ્વીકારવું ન જોઇએ) ૧રરા
આ જ દૈષ્ટિબિંદનું સમર્થન કરતા કહે છે. --
ગાથાર્થ :- (નાસ્તિક)-અનુમાનવિરુદ્ધવગેરે દોષો હોવાથી તે(=અનુમાન)અપ્રમાણ છે.” (ઉત્તર)-એમ નથી. કેમકે વસ્તુ(=વ્યાપ્તિના બળ પર પ્રવૃત્ત(થયેલા અનુમાન)માં તે(અનુમાન વિરોધવગેરે) દોષો ઉભા નથી. આ વાત પૂર્વે દર્શાવી જ છે.
(‘અથપદ અન્યની આશંકા પ્રગટ કરવાના અર્થે છે)
ના બળ પર
પ્ર
ગટ કરવાના અવશવાદિ દોષોનું
પ્રમાણ કહી દી
ના સાનથી) 53 સાધ્ય
ઉત્તરપક્ષ :- તમે અનુમાનવિરોધઆદિ દોષોથી ભય પામી અનુમાનને અપ્રમાણ કહી દો છો, તે બરાબર નથી. કેમકે સાધ્યવસ્તુની ગેરહાજરીમાં અનુપપન્ન બનતા લિંગના નિશ્ચયથી (સાધ્યસાથે વ્યાતિ ધરાવતા લિંગના જ્ઞાનથી) પ્રવૃત્ત થતા અનુમાનમાં અનુમાનવિરોધવગેરે દોષો સંભવતા નથી. તે આ પ્રમાણે - પર્વત ધૂમાડાવાળો હોવાથી અગ્નિવાળો છે એમ સાધ્ય હોય, ત્યારે જોયેલા અનિવિનાના પર્વતના દૃષ્ટાન્તને આગળ કરી કોઈ કહે) •પર્વતું અનિવાળો નથી, કેમકે પર્વત છે, જેમકે (જોએલો) બીજો પર્વત’ (તો આ બીજું અનુમાન પ્રથમ અનુમાનથી વિપરીતનું સાધક હોવાથી) “અહી અનુમાન વિરોધ દોષ
ધર્મસંગ્રહણિ ભાંગ-૧ કે ૧૦૩