SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ णव्याप्त्या लक्षणज्ञाः, तच्चेहास्त्येवेति कथं न तत् प्रमाणं भवेत् ? । 'तब्भावम्मि य' इत्यादि 'तद्भावे च अनुमानप्रमाणभावे च यदुक्तं प्राक् " अनुमानमप्रमाणमिति" तदयुक्तं द्रष्टव्यम्, स्ववाचैवेदानीं तस्य प्रामाण्याभ्युपगमात् । अ( आ )तश्चानुमानमप्रमाणमित्ययुक्तं, तदप्रामाण्ये प्रत्यक्षतदाभासयोरपि प्रामाण्याप्रामाण्यव्यवस्थानुपपत्तेः (त्तिः) । तथाहि स भौतिकपुरुषवादी काश्चित् प्रत्यक्षज्ञानव्यक्तीर्विवक्षितार्थक्रियासमर्थार्थप्रापकत्वेनाविसंवादिनीरन्याश्च तद्विपरीततया विसंवादिनीरुपलभ्य तल्लक्षतादृशीनां प्रत्यक्षव्यक्तीनां प्रामाण्यमितरासां चाप्रामाण्यमुद्धोषयेत्, न च प्रत्यक्षमव्यवहितविद्यमानार्थग्रहणपर्यवसितसत्ताकतया पूर्वापरपरामर्शशून्यं सत् सकलकालभाविनीनां प्रत्यक्षव्यक्तीनां प्रामाण्यनिबन्धनमविसंवादित्वसामान्यमवबोधयितुमीष्टे, तस्मादवश्यंतया परिदृष्टप्रत्यक्षज्ञानव्यक्त्यनुसारेण प्रामाण्यनिबन्धनस्याविसंवादित्वसामान्यस्य प्रत्यायकमनुमानं प्रमाणत्वेनाश्रयणीयम् । अपिच, परावबोधार्थं शास्त्रं प्रणयन् कथमनुमानस्य प्रामाण्यमेष प्रतिक्षिपति ?, तत्प्रतिक्षेपे शास्त्रकरणप्रवृत्तेर्वैफल्यप्रसङ्गात्। नहि प्रत्यक्षेण परचेतोवृत्तिः साक्षात्क्रियते, अगृहीते च परचैतन्ये तन्निवृत्त्या चासत्त्वेन शङ्किते 'परः शास्त्रार्थमवबुध्येते'तिसंशयेनापि न शास्त्रप्रणयने प्रवृत्तिरुपपद्येतेति । જિંત્ર, પ્રત્યક્ષસ્થ प्रामाण्यनिमित्तं गृह्यमाणपदार्थान्वयव्यतिरेकानुकरणं, तच्च साध्यप्रतिबद्धलिङ्गज्ञानसामर्थ्येनोदीयमानस्यानुमानस्यप्यविशिष्टमिति कथं न तत् प्रमाणमङ्गीक्रियते ? । स्यादेतत् कथमनुमानस्य प्रामाण्यमङ्गीकुर्मः ?, अनुमानविरोधाद्यनेकदोषसंपातसंभवात्, तथापि चेत्तस्य प्रामाण्याभ्युपगमः, तर्हि स श्यामस्तत्पुत्रत्वात्, इत्यादेरपि प्रामाण्यप्रसङ्गः ॥ ૨૨ | રેવાહ- ઉત્તરપક્ષ :- એ વિશિષ્ટચેષ્ટાનો ચૈતન્ય અવ્યભિચાર ક્યા પ્રમાણથી સિદ્ધ છે.? નાસ્તિક :– સ્વસંવેદન પ્રત્યક્ષથી જ પોતાના શરીરમાં વિશિષ્ટ ચેષ્ટાનો ચૈતન્યસાથે અવ્યભિચાર સિદ્ધ છે. ઉત્તરપક્ષ :- અરર ! આ તો તમે આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યા છો ! કેમકે આમ હી તમે અન્ય શરીરમાં ઉપલબ્ધ થતી ચેષ્ટારૂપ અવ્યભિચરિતપદાર્થને જોઇ તે શરીરમાં સાધ્યપદાર્થ-ચૈતન્યની સિદ્ધિ કરવા ઝંખો છો. આ પદ્ધતિ તો અનુમાન પ્રમાણની છે. તેથી તમે પણ સ્વાભિમતાર્થની સિદ્ધિમાટે અનુમાનપ્રમાણની સહાય લો છો તેમ નક્કી થાય છે. તેથી એકમાત્ર પ્રત્યક્ષ જ પ્રમાણ છે બીજા નહિ” એવી તમારી ઉદ્ઘોષણાને તમે જ ફારસ બનાવી રહ્યા છો. તેથી તમારી તમામ ક્લ્પનાઓ ખોટા પાયે છે. તે સિદ્ધ થાય છે. અને તુચ્છ નિવૃત્તિથી આત્માભાવનો નિશ્ચય થાય નહિ. એવો અબાધિત નિર્ણય થાય છે. (મૂળમાં ચ’પદ અન્ય દૂષણના સમાવેશઅર્થે છે) વળી, શું તમને આ નિવૃત્તિનો આત્માના અભાવસાથે અવિનાભાવ સિદ્ધ છે.? કે જેથી તેના બળપર આત્માના અભાવની સિદ્ધિ કરો છો ? હકીક્તમાં આ અવિનાભાવ સિદ્ધ નથી. કેમકે વસ્તુની હાજરીમાં પણ પ્રત્યક્ષની નિવૃત્તિમાત્રની હાજરી સંભવી શકે છે. અર્થાત્ વસ્તુનો અભાવ ન હોય તો પણ તેઅંગે ચક્ષુદોષ આદિ કારણે પ્રત્યક્ષની નિવૃત્તિ સંભવે છે. તેથી નિવૃત્તિસાથે અભાવનો અવિનાભાવ ૫વો યોગ્ય નથી. ૧૨૧ાા *નિવૃત્તિનો આત્માના અભાવ સાથે જો અવિનાભાવ સિદ્ધ ન હોય, તો શું થાય ?” તે બતાવે છે. (અનુમાનની પ્રમાણ તરીકે સિદ્ધિ) ગાથાર્થ : અવિનાભાવના અભાવમાં આત્માના અભાવનો બોધ નથી. અને અવિનાભાવની હાજરીમાં (અનુમાન) કેમ પ્રમાણ ન ઠરે ? અને અનુમાન પ્રમાણ હોય, તો અનુમાન અપ્રમાણ છે.” એ વાત અયોગ્ય ઠરે છે. જો નિવૃત્તિનો આત્માના અભાવસાથે અવિનાભાવ ન હોય, તો નિવૃત્તિથી આત્માના અભાવનો નિર્ણય થઈ શકે નહિ. કેમકે વિપક્ષમાંથી વ્યતિરેક સંદિગ્ધ છે. અર્થાત્ ‘આત્માનો અભાવ ન હોય(-આત્મા હોય)તો પણ નિવૃત્તિ સંભવે છે.' એવી વ્યતિરેક (=સાધ્યાભાવસ્થળે હેતુનું ન હોવું. વ્યતિરેકરૂપ છે.) સમ્બન્ધી આશંકા નિર્મૂળ થઈ શક્તી નથી. હવે, જો એમ હેશો કે “નિવૃત્તિનો આત્માના અભાવસાથે અવિનાભાવ છે.” તો અનુમાન’પ્રમાણતીક સિદ્ધ કેમ નહિ થાય ? અર્થાત્ અવશ્ય અનુમાન’પ્રમાણતરીકે સિદ્ધ થાય છે. કેમકે લિંગદ્વારા લિંગીનું અવિનાભાવ સમ્બન્ધ(=વ્યાપ્તિ)ના સ્મરણને સાપેક્ષ થઈ થતું જ્ઞાન અનુમાનસ્વરૂપ છે, એમ પ્રમાણના લક્ષણના નિષ્ણાતોનું મન્તવ્ય છે. અને આ સ્વરૂપ–લક્ષણ પ્રસ્તુતમાં પણ ઉપસ્થિત છે જ. કેમકે નિવૃત્તિનો આત્માના અભાવસાથે અવિનાભાવ ઇષ્ટ છે. નિવૃત્તિરૂપ લિંગ હાજર છે. તેથી એક સમ્બન્ધી જ્ઞાન બીજા સમ્બન્ધીનું સ્મારક બને છે. એ ન્યાયથી લિંગના જ્ઞાનથી અવિનાભાવનું સ્મરણ થશે.અને આ સ્મરણને સાપેક્ષ થઇ નિવૃત્તિરૂપ લિંગ આત્માના અભાવનો નિર્ણય કરાવશે. આમ અનુમાનપ્રમાણનું લક્ષણ અહીં બરાબર બેસે છે. તેથી પ્રસ્તુતમાં અનુમાન પ્રમાણતરીકે સિદ્ધ થાય છે. અને અનુમાન પ્રમાણતરીકે સિદ્ધ થવાથી ‘અનુમાન અપ્રમાણભૂત છે. એવું વચન અસત્ય ઠરે છે. કેમકે તમે પોતાના જ વચનથી અનુમાનને પ્રમાણભૂત જાહેર ક્યું છે. વળી, આ રીતે પણ અનુમાન અપ્રમાણભૂત છે” એવું વચન અયોગ્ય ઠરે છે. જો અનુમાન પોતે અપ્રમાણભૂત હોય, તો પ્રત્યક્ષ અને પ્રત્યક્ષાભાસમાં ક્રમશ: પ્રામાણ્ય અને અપ્રામાણ્યનો નિર્ણય થઇ શકે નહિ. તે આ રીતે નાસ્તિક્વાદી કેટલાક પ્રત્યક્ષજ્ઞાનોને ઇચ્છિત અર્થક્રિયા કરવામાં સમર્થ વસ્તુના પ્રાપતરીકે અને તેથી અવિસંવાદીરૂપે તથા બીજા કેટલાક પ્રત્યક્ષ જ્ઞાનોને ઇચ્છિત અર્થયિા કરવામાં અસમર્થ વસ્તુના પ્રાપક્તરીકે અથવા અર્થયિા સમર્થ વસ્તુના અપ્રાપક્તરીકે અને તેથી વિસંવાદીતરીકે અનુભવે છે. આ અનુભવના એરણપરથી તારણ નીક્ળ છે, કે જે પ્રત્યક્ષજ્ઞાનો ઇષ્ટ અર્થક્રિયા કરવામાં સમર્થ અર્થ(=વસ્તુ)ના પ્રાપક હોય, તે પ્રત્યક્ષજ્ઞાનો અવિસંવાદી છે, અને જે પ્રત્યક્ષજ્ઞાનો ઇષ્ટઅર્થયિા કરવામાં અસમર્થ અર્થના પ્રાપક બને તે પ્રત્યક્ષ જ્ઞાનો અવિસવાંદી નથી (=વિસંવાદી છે.) (અર્થાત્ સમર્થ અર્થપ્રાપક જ્ઞાનો અવિસંવાદી છે. જે જ્ઞાનો અવિસંવાદી નથી( =વિસંવાદી છે) તે જ્ઞાનો સમર્થ અર્થપ્રાપક નથી. (સમર્થ અર્થપ્રાપત્વ અને અવિસંવાદિત્વ (અવિસંવાદ.) આ બન્ને પરસ્પર સમવ્યાપ્ય-વ્યાપ’ભાવ ધરાવે છે. પરંતુ, પ્રથમ સમર્થ અર્થપ્રાપક્ત્વનો નિર્ણય થાય છે, તેનાપરથી અવિસંવાદનો નિર્ણય થાય છે.) આ પ્રમાણે સમર્થઅર્થપ્રાપક્વ અને અવિસંવાદનો વ્યાપવ્યાપક્ભાવ (=વ્યાપ્તિ) નિશ્ચિત - - ધર્મસંગ્રહણિ ભાગ-૧ ઃ ૧૦૨
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy