________________
स्यात्ततस्तत्कार्यं चैतन्यममूर्त न भवेत् । न हि मूर्तकार्यममूर्तं भवत् दृष्टम्, अमूर्त च चैतन्यं रूपादिविरात्, तथाप्रतीतेः, ततश्चैतन्यलक्षणकार्यामूर्त्तत्वान्यथानुपपत्त्या आत्मनोऽमूर्त्तत्वमङ्गीकर्त्तव्यं न मूर्त्तत्वम्, तथा च मूर्त्तत्वस्य बाघनान हेतोर्विशेषविरुद्धता, तल्लक्षणायोगात् । 'विरुद्धोऽसति बाधने' इति हि तल्लक्षणमाहुस्तज्ज्ञाः, अन्यथाऽतिप्रसङ्गात्, पाक्यः शब्दः कृतकत्वात् घटवदित्यादेरपि वक्तुं शक्यत्वात् । अपि च, नैवास्माकमनेकान्तवादिनामयं हेतुर्विरुद्धोऽपि सन् क्षितिमावहति, कर्म्मणा सह लोलीभावेनावस्थानतः कथंचिदात्मनो मूर्त्तत्वस्याप्यभ्युपगमात् । यद्वक्ष्यति - "अहवाऽतोऽयं संसारी सव्वहा अमुत्तत्ति । जमणाइकम्मसंतइपरिणामावन्नरूवो सो” इति । एतदेवाह-- 'मुत्तत्तेत्यादि । तथेति समाधानान्तरसमुच्चये । मूर्त्तत्वादीनामादिशब्दाच्चक्षुरिन्द्रियग्राह्यत्वादिपरिग्रहः, औदारिकादिशरीरेणापि सह कथंचिदभेदाभ्युपगमात् संसारिणि आत्मनि अभ्युपगमान्न विशेषविरुद्धो हेतुः इष्टत्वादिति भावः ॥ १११
इह ये चैतन्याभिव्यक्तिवादिनस्ते चैतन्यं धर्म्मत्वेन प्रतिपद्यन्ते, चैतन्यमभिव्यज्यते न तूत्पाद्यत इति, भूतानि च धम्मति । तत्रायमर्थः प्रागेवापास्तो- 'जइ ताव मयं धम्मो चेयन्नं कह न अत्थि तो आया? | अत्रेणऽणुरुवेणं इमस्स जं धम्मिणा कज्ज' मित्यादिना ग्रन्थेन । तत्र पुनरपि तन्मतमाशङ्कमान आह-अह अणुरूवो धम्मी सुतचेतण्णस्स माइबुद्धी तु । णो तव्वतिरेगेणं तस्स सुते पावइ अभावो ॥ ११२ ॥
( अथानुरूपो धर्मी सुतचैतन्यस्य मातृबुद्धिस्तु । नो तद्वयतिरेकेण तस्य सुते प्राप्नोति अभावः )
તથાપરિણામપણાથી કાર્યતા વ્યાપ્ત છે. (અર્થાત્ હેતુ કાર્યને અનુરૂપ પરિણામવાળો થાય, તો જ કાર્ય ઉત્પન્ન થાય) ક્યું જ છે કે “તેવા પ્રકારના ભાવને પણિામને પ્રાપ્ત કરનાર હેતુ વિના કાર્ય ઉત્પન્ન થતું નથી.” અને જો કાર્યનું પોતાને અનુરૂપ અન્વયી નિમિત્તકારણ સ્વીકારવામાં ન આવે, તો અત્યન્ત અસત્ની ઉત્પત્તિ માનવાનો પ્રસંગ આવે. (કેમકે કારણને કાર્યથી અત્યન્ત વિલક્ષણ માનવું પડે.) તેથી અત્યન્ત વિલક્ષણ વસ્તુરૂપ વિપક્ષમાં કારણતારૂપ વ્યાપની વિરુદ્ધ અકારણતાની ઉપલબ્ધિ થાય છે. તેથી વ્યાપભૂત કાર્યતા પણ ત્યાં રહેતી નથી, ત્યાંથી પાછી ફરતી કાર્યતા સ્વઅનુરૂપ અન્વયિનિમિત્તપણાથી વ્યાપ્ત થાય છે. આમ વ્યાપ્તિની સિદ્ધિ થઈ. તેથી સ્વારૂપકારણમાંથી જ ચૈતન્યરૂપ કાર્ય ઉત્પન્ન
થાય છે. અને તે સ્વાનુરૂપકારણ આત્મા છે તેમ સિદ્ધ થાય છે. ૫૧૧૦ના (તુમાં વિરોધોષો ભાવનનું ખંડન)
નાસ્તિક -
પ્રસ્તુતમાં કાર્યત્વ હેતુ સાધ્યધર્મવિશેષ(=સાધ્યભૂત એધર્મવિશેષ અમૂર્તસ્વરૂપાન્વયિનિમિત્તત્વ)થી વિપરીતની સિદ્ધિનું સાધન બને છે, કેમકે કાર્યત્વહેતુ સર્વત્ર મૂર્તત્વ'સાથે જ સાહચર્ય ધરાવતું દેખાય છે.) તેથી કાર્યત્વ’હેતુ વિરુદ્ધ દોષગ્રસ્ત છે. પ્રયોગ–“ચૈતન્ય મૂર્તસ્વાનુરૂપ અન્વયિનિમિત્તવાળું છે, કેમકે કાર્ય છે. જેમકે ઘડો.” આ દલીલના ઉત્તરમાં કહે છે. ગાથાર્થ :- ઉત્તરપક્ષ :– અમૂર્તૃત્વરૂપ સાધ્યધર્મવિશેષથી વિપરીતનો કાર્યત્વહેતુ સાધક નથી. તેથી (‘અપિચ’ શબ્દથી) હેતુ માત્ર અસિદ્ધ કે અનેકાંતિક નથી, એમ નહિ પણ વિરુદ્ધ પણ નથી. કારણકે કાર્યત્વ’હેતુને મૂર્ત્તત્વસાથે પ્રતિબન્યવ્યાપ્તિ નથી. અને વ્યાપ્તિના અભાવમાં હેતુને સમ્યગ્ કે વિરુદ્ધ ઠેરવી શકાય નહિ. કાર્યત્વ વગેરે હેતુઓ પોતાના સાધ્યસાથે વ્યાપ્તિ ધરાવતા હોય છે, (આ હેતુઓ ક્દી પોતાના સાધ્યને છોડી–સાધ્યના અભાવમાં રહેતા નથી.) તેથી એ હેતુઓની હાજરી પોતાના સાધ્યની હાજરીના ગમક-સૂચક બને છે. અને જેઓ આ રીતે યથાર્થ ગમક બની શકે, તે જ યોગ્ય હેતું બની શકે. અને સાધ્યધર્મવિશેષઆદિના વિપર્યયમાં (વિપરીતમાં) સ્વ(=હેતુની)ભાવ(=હાજરી)ના પ્રતિબન્ધ(=વ્યાપ્તિ)થી જે વિપર્યાસ થાય છે. તે જ *વિરુદ્ધપણું. દોષ છે. અર્થાત્ જ્યારે હેતુ સ્વસાધ્યના અભાવનો ગમક બને છે, ત્યારે વિરુદ્ધ’ બને છે. બીજાઓએ પણ શ્રુ છે, “ ગમકપણું” પ્રતિબન્ધપૂર્વક જ હોય છે, અને તે, હેતુ અને વિરુદ્ધ–બન્ને અંગે સમાન છે." તથા-“સાધ્યથી વિપરીતમાં સ્વભાવ(=હાજરી)ના પ્રતિબન્ધથી થતો વિપર્યાસ વિદ્ધપણું છે.” આ અંગે બીજો હેતુ સૂચવતા હે છે બાધનાતÄ' ઇત્યાદિ. આત્માની અમૂર્તરૂપે જ થતી પ્રતીતિ તેના મૂર્તપણાના બોધને બાધક બને છે. જો આત્મા મૂર્ત હોત, તો તેના કાર્યરૂપ ચૈતન્ય અમૂર્ત સંભવી શક્ત નહિ. કેમકે મૂર્રવસ્તુનું અમૂર્તકાર્ય થતું દેખાતું નથી. પરંતુ રૂપાદિથી રહિત હોવાથી ચૈતન્ય અમૂર્ત છે તેમ સર્વજનપ્રતીત છે. આમ ચૈતન્યરૂપકાર્યનું અમૂર્તપણું અન્યથા અનુપપત્તિદ્વારા સ્વકારણઆત્માને પણ અમૂર્તરૂપે જ સિદ્ધ કરે છે. તેથી આત્માને અમૂર્તતરીકે જ સ્વીકારવો જોઇએ, નહિ કે મૂર્ત તરીકે. આમ મૂર્ત્તત્વ'ને બાધ પહોંચતો હોવાથી હેતુ સાધ્યવિશેષથી વિરુદ્ધનું સાધક નથી. અર્થાત્ હેતુ વિરુદ્ધ નથી. કેમકે વિરુદ્ધનાં લક્ષણનો યોગ થયો નથી. બાધ ન હોય, તો જ વિરુદ્ધ હોય' (અર્થાત્ હેતુઆદિમાં ઉદ્ભાવિત કરેલી વિરુદ્ધતા પ્રત્યક્ષઆદિથી બાધ ન પામતી હોય, તો જ હેતુ વિરુદ્ધ ગણાય.) તાર્કિકો વિરુદ્ધનું આવું લક્ષણ દર્શાવે છે. જો, જે-તે દૃષ્ટાન્તથી વિરુદ્ધાદિનું ઉદ્ભાવન કરશો, તો શબ્દ પાક્ય (=પાક્યોગ્ય) છે કેમકે કૃત(-કાર્ય) છે જેમકે ઘડો ઇત્યાદિ પણ કહી શકાતું હોઇ અતિપ્રસંગનો દોષ છે.
વળી, અનેકાન્તવાદને વરેલા અમને કાર્યત્વહેતુ વિરુદ્ધ હોય, તો પણ કોઈ ક્ષતિ નથી. કેમકે અમે સંસારી આત્માને થંચિ મૂર્ત પણ માન્યો છે, કારણકે તે મૂર્ત કર્મસાથે ક્ષીરનીરન્યાયથી એકમેક થઇને રહ્યો છે. આજ વાત ગ્રન્થકાર પોતે આગળ ઉપર આ ગાથાથી બતાવશે- અહવાણેણંતો ઇત્યાદિ–“અથવા સંસારી જીવ સર્વથા અમૂર્ત છે, એ વાત અનેકાન્તિક છે. કેમકે તે અનાદિકર્મપ્રવાહપરિણામને કારણે રૂપને પામેલો છે." આમ કાર્યત્વહેતુથી અમૂર્તૃત્વ વિરુદ્ધ મૂર્તત્વની સિદ્ધિ થાય, તો પણ દોષ નથી. મુત્તત્તાદીણ ઇત્યાદિ પદોથી મૂળકાર પણ આ જ મુદ્દાને દૃઢ કરે છે. (મૂળમાં તથા॰પદ બીજા સમાધાનના સંગ્રહઅર્થે છે.) ‘મૂર્ત્તત્વાદિ સ્થળે આદિપદથી આંખથી જોઈ શકાવાની યોગ્યતા (ચક્ષુઇન્દ્રિયથી ગ્રાહ્યપણું) વગેરેનો સમાવેશ થાય છે, કારણકે આત્મા ઔદારિઆદિ શરીરોસાથે દૂધપાણી” ન્યાયથી કંઇક અભેદભાવ પામેલો છે. તેથી આંખથી ઔદારિક
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૯૪