SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ विपर्ययात्। चशब्दः पूर्वोक्तमूर्तभावादित्यपेक्षया समुच्चयार्थः। विपर्ययमेवाह-तद्द्धौ क्षयात्, मरणसमये तस्य प्राणापानस्य प्राणश्चापानश्च प्राणापानं तस्य वृद्धौ सत्यां क्षयात् विषयेण विषयिणो लक्षणात् क्षयदर्शनात् चैतन्यस्य, तन्न प्राणापानोपादाननिमित्तं चैतन्यम् ॥ १०८ ॥ तदेवं सप्रपञ्चं चैतन्यस्य भूतकार्यत्वादि प्रतिषिध्य पारिशेष्यादात्मानं च प्रसाध्य सांप्रतं संक्षिप्तरुचिसत्त्वानाम् अनुग्रहाय सकलमेवामुं प्रकरणार्थ सजिघृक्षुरिदमाह-- ण य पुढवादिसहावो(वं) कज्जं वा सति अभावतो तंति । अच्चंताणुवलद्धी कह माणदुगप्पसंगम्मि? ॥ १०९ ॥ (न च पृथिव्यादिस्वभावः कार्य वा सदाऽभावात्तदिति । अत्यन्तानुपलब्धिः कथं मानद्विकप्रसङ्गे) 'न च नैव पृथिव्यादिस्वभावं तत् चैतन्यं, नापि कार्य प्रत्यासन्नत्वात् पृथिव्यादीनामित्यपेक्ष्यते। अत्र हेतुमाह'सदा सर्वदा मृतावस्थायामपि उपलक्षणत्वादेतस्य सर्वत्र घटादिष्वपि अभावात् । यदि हि पृथिव्यादिस्वभावं तत्कार्य वा चैतन्यं भवेत् ततः सर्वदा सर्वत्र चाविशेषेण भवेत्, न च भवति, तन्न चैतन्यं पृथिव्यादिस्वभावं नापि तत्कामिति । स्यादेतत्, यत्पृथिव्यादिस्वभावं न भवति नापि तत्कार्य तन्नास्त्येव, यथा खरविषाणम्, चैतन्यमपि यदि पृथिव्यादिस्वभावं तत्कार्य वा न भवति तर्हि तत्त्वतो नास्त्येवेत्यत आह--'अच्चंतेत्यादि' कथं प्रत्यक्षानुमानलक्षणप्रमाणद्विकप्रसङ्गे सति चैतन्यस्यात्यन्तानुपलब्धिराख्यायते?, नैवासावाख्यातुमुचितेति भावः । साहि-स्वशरीरगतं तावच्चैतन्यं स्वसंवेदनप्रत्यक्षेण प्रतीयते, परशरीरगतं तु विशिष्टचेष्टान्यथानुपपत्त्याऽनुमानतः, न चेत्थं प्रतीयमानस्य चैतन्यस्याभावः शक्यते वक्तुं, मा प्रापत् पृथिव्यादीनामपि भूतानामत्यन्ताभावप्रसङ्ग इति ॥१०९॥ यदपि प्रागुक्तं-'मद्यानेभ्यो मदशक्तिरिवेति, तदप्यसमीचीनम्, मदशक्तिदृष्टान्तस्य साधनविकलत्वात् । तथा चाह-- णहि मधुणो" मदसत्ती भणितमिणं हेतुफलविभागे य । जं णियमणंति तम्हा वभिचारो वयणमेत्तं तु ॥ ११० ॥ (नहि मधुनो मदशक्तिभणितमिदं हेतुफलविभागे च । यन्नियमनमिति तस्माद् व्यभिचारो वचनमात्रं तु) न हि यस्मात् मंद्यानेभ्यो जायमानस्य 'मधुनो'. मद्यस्य मदशक्तिरुपजायते किं तु जीवस्य, इदं च प्राक विस्तरतरकेण भणितम्, ततो मद्यानेभ्यो मदशक्तिवदिति दृष्टान्तः साधनविकलः । केवलमद्याङ्गसमुदायमात्रान्मदशक्ते----------- બીજી રીતે પણ ચૈતન્યના ઉપાદાનકરણનરીક પ્રાણાપાન અસિદ્ધ કરે છે. નિયમ છે કે તે વસ્તુનું તેને જ ઉપાદાન કહી શકાય કે જેની મહત્તા (મોટાપણામાં) માં તે વસ્તુ મોટી બને, અને જેની અલ્પતામાં વસ્તુ અલ્પ (નાની) બને. જેમકે માટીના પિંડમાંથી ઘડો બને છે, તો માટીનો પિંડ જેમ મોટો, તેમ તેમાંથી બનતો ઘડે પણ મોટો, પરંતુ આ નિયમ પ્રાણાપાનની અપેક્ષાએ ચૈતન્યસંગે લાગુ પડે તેમ નથી. કેમકે મરણકાળે વિપર્યાસ દેખાય છે. દેખાય છે કે મરણકાળે ધબકારા વધી જાય છે, ધમણની પેઠે શ્વાસોચ્છવાસ ચાલતા હોય છે. આમ પ્રાણાપાનની વૃદ્ધિ દેખાય છે, પરંતુ ચૈતન્યનો ક્ષય દેખાય છે. (મૂળમાં ચૈતન્ય પદ ન હોવા છતાં “વિષયથી વિષયી લક્ષિત થાય' એ ન્યાયથી “ક્ષયાપદથી ચૈતન્યરૂપ વિષય લક્ષિત થાય છે.) આમ પ્રાણાપાનની વૃદ્ધિમાં પણ ચૈતન્યની વૃદ્ધિને બદલે ક્ષય દેખાતો હોવાથી નકકી થાય છે કે ચૈતન્ય ભૂતનું કાર્ય નથી. ૧૮ આમ નાસ્તિકૅની ચૈતન્ય ભૂતનું કાર્ય છે વગેરે વાતોનો સવિસ્તર નિષેધ કરી પારિશેષન્યાયથી આત્માની સિદ્ધિ કરી. હવે સંક્ષિપ્તરુચિવાળા જીવોપર અનુગ્રહ કરવા આ પ્રકરણના સંપૂર્ણ તાત્પર્યનો સંગ્રહ કરવાની ઇચ્છાથી કહે છે ગાથાર્થ :- ચૈતન્ય પૃથ્વીઆદિના સ્વભાવરૂપ પણ નથી, અને પૃથ્વીવગેરેનું કાર્ય પણ નથી. (પૃથ્વી આદિ સ્વભાવમાં પૃથ્વીઆદિપદ હોવાથી પ્રત્યાત્તિ ન્યાયથી કાર્યઅંગે પણ પૃથ્વીવગેરેનું કાર્ય નથી એવું તાત્પર્ય મળે છે.) કેમકે મૃત અવસ્થામાં અને ઉપલક્ષણથી ઘડાવગેરે સર્વત્ર (પૃથ્વીવગેરે હાજર હોવા માં) ચૈતન્યનો સર્વદા અભાવ છે. જો ચૈતન્ય પૃથ્વી આદિના સ્વભાવરૂપ કે પૃથ્વીવગેરેના કાર્યરૂપ હોત, તો તે હંમેશા બધે જ અવિશેષતયા હોત, પણ તેમ નથી. તેથી ચૈતન્ય પૃથ્વીવગેરેના સ્વભાવરૂપ કે કાર્યરૂપ નથી. નાસ્તિક :- જે પૃથ્વી વગેરેના સ્વભાવરૂપ કે કાયરૂપ ન હોય તે વસ્તુ જ અસત્ છે. જેમકે ગધેડાનું શિંગડું. તેથી જો ચૈતન્ય પણ પૃથ્વીવગેરેના સ્વભાવરૂપ કે કાર્યરૂપ ન હોય, તો તે (ચૈતન્ય) વાસ્તવમાં છે જ નહિ. ઉત્તરપક્ષ :- પ્રત્યક્ષ અને અનુમાન આ બંને પ્રમાણનો પ્રસંગ હોવા છતાં ચૈતન્યની અત્યન્ત અનુપલબ્ધિ (=ખપુષ્પવત્ સર્વથા અભાવનો બોધ) શી રીતે કહો છો ? આ જરા પણ વ્યાજબી નથી. દરેકને પોતાના શરીરમાં રહેલું સ્વકીય ચૈતન્ય સ્વસવદનપ્રત્યક્ષથી પ્રતીત છે.. આમ પ્રત્યક્ષથી ચૈતન્યની ઉપલબ્ધિ બતાવી. આ જ પ્રમાણે બીજાના શરીરમાં રહેલું ચૈતન્ય તે શરીરમાં દેખાતી વિશિષ્ટ ચેષ્ટાની અન્યથાઅનુપપત્તિ થવાદ્વારા અનુમાનપ્રમાણથી પ્રતીત થાય છે. આમ આ બે પ્રમાણથી પ્રતીત થતાં ચૈતન્યનો અભાવ કહી શકાય નહિ. અન્યથા તો પૃથ્વીવગેરે ભૂતોનો પણ અત્યન્ત અભાવ કહેવાનો પ્રસંગ આવે. (૧૦ળ્યા તથા નાસ્તિકે પૂર્વે જે કહ્યું કે “મના અવયવોમાંથી મદશક્તિની જેમ તે પણ બરાબર નથી. કેમકે મદશક્તિનું દાન્ત સાધનવિક્લ=ભૂતની કાર્યતારૂપ હેતુથી રહિત છે. આ વાત દર્શાવતા આચાર્ય કહે છે ગાથાર્થ :- માંગમાંથી ઉત્પન્ન થતા મધમાં મદશક્તિ ઉત્પન્ન થતી નથી, પરંતુ જીવમાં ઉત્પન્ન થાય છે. આ વાત પૂર્વ વિસ્તારપૂર્વક જણાવી છે. તેથી “મધાંગમાંથી મદશક્તિની જેમ એવું જે દષ્ટાન્ન આપ્યું છે, તે સાધનવિક્લ છે. કેમકે માત્ર માંગના સમુદાયથી મદશક્તિ ઉત્પન્ન થતી નથી. જે આ ચૈતન્યરૂપ કાર્ય સ્વાનુભવસિદ્ધ છે. તેમાં કોઈ વિરોધ થઈ રશકે તેમ ધર્મસંગ્રહણિ ભાગ-૧ કિ હર
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy