________________
#શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ news માં આવ્યો હતો. વિદર્ભ (વરાડ) માં વસતા ક્ષત્રિયરાજાઓ ભોજકુળના હતા અને તેથી ચંદ્રવંશીય જ હતા એમ પણ ઇતિહાસકારો જણાવે છે. એટલે સરવાળે ભાવવિજય ગણીએ જણાવેલી બધી વાતો મળી રહે છે.
પદ્માવતીદેવીએ ભાવવિજયજી ગણીને જે જણાવ્યું છે કે શ્રીપાળરાજા અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનને મારામાં સ્થાપીને લઈને બાવતાં વડના ઝાડ નીચે આવ્યો. ત્યાં પાછું વાળીને જોવાથી પ્રતિમા આકાશમાં અદ્ધર થઈ ગઈ. રાજાએ તે પ્રતિમા પધરાવવા સુંદર મંદિર બંધાવ્યું, પરંતુ “આ પ્રતિમા સ્થાપવાથી આ જિનાલય સાથે મારું નામ પણ કાયમ થઈ જશે. આ જાતનું રાજાને અભિમાન–કીર્તિલાલસા થવાથી તેમાં ભગવાનનાં પ્રતિમાજી પધાર્યા નહીં આ વાત પણ બરાબર મળી રહે છે. અંતરિક્ષજી શિરપુર ગામની પાસે જ બહાર એક બગીચો છે કે જે આપણા જૈનમંદિરના જ તાબામાં છે.
તેમાં એક કલાપૂર્ણ અને વિશાળ સુંદર જિનમંદિર છે. અને તેની નજીકમાં જ એક વડનું ઊંચું ઝાડ છે. શિરપુરના લોકો કહે છે કે “આ ઝાડ નીચે પ્રતિમાજી અદ્ધર રહી ગયાં હતાં અને બા મંદિર પ્રતિમાજી પધરાવવા માટે જ રાજાએ બાંધ્યું હતું, પણ રાજાના અભિમાનથી ભગવાન ને પધારવાને લીધે અત્યારે ખાલી છે. આ વાત બીજી રીતે જોતાં પણ સારી રીતે મળી રહે છે. કેટલાક યુરોપિયન અધિકારીઓએ વરાડમાં બધે પ્રવાસ કરી જાતે જોઈને, વરાડનાં શિલ્પ સ્થાપત્યો વિષે લખ્યું છે, તેમજ વરાડના ઈતિહાસકારોએ પણ વરાડના શિલ્પકામો વિષે લખ્યું છે. તેમણે વરાડ દેશનાં સુંદરતમ અને પ્રાચીનતમ શિલ્પ સ્થાપત્યોમાં શિરપુર ગામની બહાર બગીચામાં આવેલા ઉપર જણાવેલા આપણા જૈનમંદિરને પણ વર્ણવ્યું છે. સાથે સાથે તેમની શિલ્પશાસ્ત્રના ઐતિહાસિક અભ્યાસને આધારે એ પણ કલ્પના છે કે શિરપુરનું આ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું હોવું જોઈએ.'
gssssss