________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ
લઇને અમે વિહાર કરતા અનુક્રમે શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનની છત્રછાયામાં દર્શનાર્થે પહોંચી ગયા.
સંઘમાં આવેલા બધા યાત્રાળુઓને શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ પ્રભુજીના દર્શન થયાં, પરંતુ મંદભાગીઓમાં શિરોમણિ એવા મને (આંખો ચાલી ગઈ હોવાથી) ભગવાનનું દર્શન ન થયું. આથી ખિન્ન થયેલા મેં અન્ન-પાનનો ત્યાગ કરીને પ્રભુજીના દર્શનની ઉત્સુકતાથી વિવિધ પ્રકારની સ્તુતિથી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની (નીચે મુજબ) સ્તુતિ કરવા માંડી.
‘હે જિનેન્દ્ર ભગવાન! અપકારીઓ ઉપર પણ ઉપકાર કરનાર, કલિયુગમાં જાગતા દેવ તથા વાંછિત ફળને આપનાર એવા આપને નમસ્કાર હો. હે નાથ ! આપે સ્વાર્થ વિના પણ નાગને (અગ્નિમાંથી બળતો ઉગારીને) નાગરાજ (ધરશેંદ્ર) કર્યો છે. અને અતિનિષ્ઠુર તથા વેર ધરાવનાર કમઠને પણ સમકિત આપ્યું છે. કરૂણારસના ભંડાર હે સ્વામી! આપની ચિરકાલ સુધી સેવા કરનાર આષાઢભૂતિક' શ્રાવકને આપે મોક્ષ આપ્યો છે. ભક્તિથી આલિંગન કરતા હાથીને તમે સ્વર્ગમાં પહોંચાડ્યો છે, અને તેથી ‘કલિકુંડ’` નામે તમે જગતમાં પ્રેસિદ્ધ થયા છો. નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિનો કોઢ રોગ હરીને તમે તેમનું સુવર્ણ જેવી કાંતિવાળું શરીર કર્યું છે. પાલનપુરનગરના રાજા પરમારવંશીય પાલણે આપના ચરણકમલની સેવાથી ગયેલું રાજ્ય પાછું મેળવ્યું હતું. ઉદ્દેશી શેઠને ઘે૨ આપે ઘીની વૃદ્ધિ કરી તેથી હે નાથ ! આપ` ધૃતક્લો (લ્લો) લ' નામથી જગતમાં પ્રસિદ્ધ થયા છો. ફલની વૃદ્ધિ કરવાથી આપ ‘ફલવૃદ્ધિ' નામથી પૃથ્વીતલ ઉપર પ્રસિદ્ધ થયા છો. હે નાથ ! આપે એલચપુર નગરના રાજાનો દાહ તેમજ કીડાથી સહિત કુષ્ટ (કોઢ) રોગને દૂર કરીને તેનું સુવર્ણ જેવું શરીર કર્યું છે. કલિયુગમાં પણ અહીં આકાશમાં જ રહેવાની આપની ઈચ્છા હતી, પણ મલધારી (શ્રી અભયદેવસૂરિજી) ની સ્તુતિથી સંતુષ્ટ થઈને ચૈત્યમાં આવીને આપ રહ્યા છો. હે અનંતવર્ણ (વર્ણનીય ગુણોથી) યુક્ત નાથ ! આપનું કેટલું વર્ણન કરૂં ? હજા૨ જીભવાળો પણ પાર ન પામે તો હું શી રીતે પામું ? હે નાથ !
૨૪