________________
#Animation memoonwarooatianawalaaohool, શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થws
પૃથ્વીનું સારી રીતે રાજ્ય કરતો હોવાથી લોકો તેને ફર્તા કહી સંબોધતા હતા.
એક વખત, પૂર્વજન્મમાં કરેલા પાપના ઉદયથી રાજાના શરીરમાં કોઢનો ભયંકર વ્યાધિ લાગુ પડ્યો અને તેથી રાજાને વારંવાર મૂચ્છ આવતી હતી. વૈદ્યોએ ઘણા ઘણા ઔષધોપચાર કર્યા પણ રાજાને જરા પણ શરીરે શાંતિ થઈ નહીં. વેદનાથી પીડાતો રાજા રોગની શાંતિને માટે એક વખત-નગર બહાર નીકળ્યો, પાણીની તરસથી વ્યાકુલ થયેલો રાજા પાણી માટે આમતેમ ફરતો ફરતો આંબલીના ઝાડ નીચે જેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હતી તે કૂવા પાસે આવ્યો. તે કૂવાના જલથી હાથ-પગ-હોં ધોઇને તથા સ્વચ્છ સ્વાદિષ્ટ પાણી પીને રાજા પોતાની છાવણીએ ચાલ્યો ગયો. થાકેલા રાજાને સાંજ પડતાં જ ઊંઘ આવી ગઈ. રોગની પીડાથી આખી રાત માછલાંની જેમ તરફડીને જ પૂરી કરતો હતો, તે રાજા તે રાત્રિએ નિશ્ચિંત થઇને ઇચ્છાનુસાર ઊંધ્યો. - સવારમાં ઉક્યા પછી રાજાના હાથ, પગ તથા મોં નીરોગી જોઇને રાણીએ રાજાને પૂછ્યું કે-“રવામિ ! ગઈ કાલ તમે ક્યાં હાથ-પગ-મોં ધોયા હતા કે જેથી તેટલા ભાગ ઉપરથી કોઢ રોગ બિલકુલ નષ્ટ થઈ ગયો દેખાય છે. આજે પણ ત્યાં ચાલો અને સર્વ અંગે સ્નાન કરો કે જેથી સર્વ અંગનો રોગ ચાલ્યો જાય.' રાણીના કહેવાથી પ્રતીતિવાળા રાજાએ ત્યાં જઈ સ્નાન કર્યું અને શરીર તત્કાળ નીરોગી થઈ ગયું. આથી રાજા અને રાણી બંનેને ખૂબ આશ્ચર્ય થયું અને અન્ન-પાણીનો ત્યાગ કરીને દેવની આરાધના કરવા માંડી. “હે કૂવાની અંદરના અધિષ્ઠાયક દેવ ! હે ક્ષેત્રદેવ ! તમે જે કોઈ હો તે કૃપા કરી અમને તમારું દર્શન આપો!' આ પ્રમાણે કહીને દેવની આરાધના કરતાં રાજાને ત્રણ દિવસ વીતી ગયા. છેવટે રાજાને દઢ નિર્ણયવાળો જોઈને દેવે પ્રત્યક્ષ આવીને કહ્યું –
રાજનું ! ખરદૂષણ રાજાએ પધરાવેલી આ કૂવામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે. તેના સ્પર્શથી આનું પાણી મહાપવિત્ર થયેલું છે, તેથી આ પાણીથી સ્નાન કરવાથી તારું શરીર નીરોગી થઈ ગયું છે. આ મૂર્તિના સ્પર્શથી પવિત્ર થયેલા પાણીથી શ્વાસ, ખાંસી, તાવ, શૂલ તથા