________________
30
શ્રી પ્રભાવક ચરિત્ર
આવી રીતે અમારા મત પ્રમાણે સિદ્ધસેનદિવાકરનો સત્તા સમય ચોથા અને પાંચમા સૈકાનો વચલો ભાગ જ અનુકુળ લાગે છે. કારણ કે પાદલિપ્તસૂરિના પુરોગામી આયંખપટ વિક્રમની પ્રથમ સદીમાં થયાનું સિદ્ધ થાય છે, સ્કેન્દિલના પુરોગામી પાદલિપ્તસૂરિ વિક્રમના ત્રીજા સૈકાના પૂર્વાર્ધમાં થયાનું સાબિત થાય છે અને વૃદ્ધવાદીના ગુરુ ઔદિલાચાર્ય વિક્રમના ચોથા સૈકાના આચાર્ય હતા એમ પ્રમાણિત થઈ જાય છે તો ઋન્ટિલાચાર્યના શિષ્ય વૃદ્ધવાદી અને તેમના શિષ્ય સિદ્ધસેન દિવાકરને ચોથા પાંચમા સૈકાના વચગાળામાં મૂકવા એજ યુક્તિયક્ત ગણાય.
વૃદ્ધવાદીની સાથે સિદ્ધસેને વાદ કર્યાની હકીકત દરેક કથાનકોમાં આવે છે, પણ અન્ય કથાનકોમાં આ વાદ ભરૂચની નજીકમાં થયાનું અને તે જ કારણે તે સ્થળે ‘તાલારાસક' ગામ વસ્યાનું વર્ણન આવે છે, પણ આ પ્રબન્ધમાં આ બંને વિદ્વાનોનો વાદ ઉજજૈનની પાસે થયાનું લખ્યું છે અને ભરૂચની પાસે સિદ્ધસેને ગોવાલિયાઓને રાસ ગાઈને ઉપદેશ કર્યાની વાત લખી છે. અમને પણ આ પ્રબન્ધમાં લખેલી હકીકત પ્રાચીન અને યથાર્થ જણાય છે.
ચિત્તોડના સ્તંભમાંથી સિદ્ધસેનને પુસ્તક મલવાની વાત ઉપરથી જણાય છે એમના સમયમાં પુસ્તકો લખવાની અને ભંડારોમાં રાખવાની રીત ચાલુ થઈ ચૂકી હતી.
સિદ્ધસેનના સમકાલિન રાજા દેવપાલ, વિજયવર્મા, ધનંજય વગેરે પ્રસિદ્ધ દેવપાલ વગેરેથી ભિન્ન વ્યક્તિઓ હોવાનો સંભવ છે.
વૃદ્ધવાદીએ કોઈ ગ્રન્થ પ્રકરણની રચના કરી હશે કે નહિ તે કહી શકાય તેમ નથી, કેમકે આજે એમના નામની કોઈ પણ કૃતિ વિદ્યમાન નથી; પરંતુ એમના શિષ્ય સિદ્ધસેનદિવાકરે બનાવેલા ગ્રન્થો તો જૈન સંઘમાં આજે પણ પ્રસિદ્ધ છે. ન્યાયાવતાર, કાત્રિશિકાઓ અને કલ્યાણમંદિર સ્તોત્ર ઉપરાંત એમનો ‘સન્મતિપ્રકરણ' નામક જૈન દર્શનનાં તત્ત્વોનું નિરૂપણ કરનાર ન્યાયગ્રન્થ આજે પણ વિદ્વાનોના આદરની ચીજ છે. પ્રાચીન ચૂર્ણિઓમાં આ ગ્રન્થને દર્શનપ્રભાવક શાસ્ત્ર કહીને ઉલ્લેખ્યો છે. આના ઉપર વિક્રમની પાંચમી સદીના પ્રસિદ્ધ તાર્કિક આચાર્ય મલવાદીએ ટીકા કર્યાનો ન્યાયગ્રન્થોમાં ઉલ્લેખ મળે છે, પણ તે ટીકા આજે કયાંય ઉપલબ્ધ થતી નથી. આજે આ ગ્રન્થ ઉપર વિક્રમની અગ્યારમી સદીમાં બનેલી અભયદેવસૂરિની ટીકા વિશેષ પ્રસિદ્ધ છે.
એ સિવાય નિશીથચૂર્ણિના ઉલ્લેખો પ્રમાણે સિદ્ધસેને જૈન આગમો ઉપર પણ ટીકા ભાષ્ય વગેરે લખ્યાં હશે, પણ આજે તે ક્યાંય પણ અસ્તિત્વ ધરાવતાં નથી.
$ ૯. શ્રી હરિભદ્રસૂરિ
પ્રસ્તુત પ્રબન્ધમાં જણાવ્યા પ્રમાણે હરિભદ્ર ચિત્તોડ નગરના રાજા જિતારિના પુરોહિત હતા, પણ કથાવલીના લેખને અનુસારે એ વિદ્વાન “પિર્વગુઈ' નામની કોઈ બ્રહ્મપુરીના રહેવાસી હતા, એમની માતાનું નામ ગંગા અને પિતાનું નામ “શંકરભટ્ટ' હતું.