SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર 325 હવે દેવમંત્રી સમાન તથા નીતિ અને ક્ષત્રિય સંબંધી વિચારમાં ચાલાક એવો વાલ્મટ નામે તે રાજાનો મંત્રી કે જે ઉદયનનો પુત્ર હતો. આ સંકટ આવી પડતાં રાજાએ તેને પૂછયું કે કોઈ દેવ, યક્ષ કે દેવી સમભાવી છે? કે જેના પ્રભાવથી આપણે વિજય પામીએ, અને આપણું મન તેનામાં લીન કરીએ.” એટલે વચન બોલવામાં કશળ એવો વાલ્મટ કહેવા લાગ્યો કે “હે સ્વામિન્ ! તમે મારું વચન બરાબર સાવધાન થઈને સાંભળો–જ્યારે આપના આદેશાથી આપનો બલિષ્ઠ બંધુ કીર્તિપાલ સૌરાષ્ટ્રના સ્વામી નવઘણનો નિગ્રહ કરવા ગયો અને અનેક વિગ્રહો કરતાં તે કંટાળી ગયો, તે વખતે સ્તંભતીર્થ પુરવાસી ઉદયન નામે મારો પિતા સંગ્રામમાં સૈન્યબળ આપનાર હતો. એકવાર ત્યાં જતાં જેના દર્શન દુર્લભ છે અને અત્યંત રમણીય એવો ઉન્નત પુંડરીકગિરિ તેના જોવામાં આવ્યો, એટલે તેણે પોતાના અધિકારીને તેનું અદ્દભુત માહાભ્ય કહી સંભળાવ્યું. જેથી ભારે ભક્તિપૂર્વક શ્રીયુગાદીશને નમસ્કાર કરતાં અને ધ્યાનથી તે પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. ત્યાં તેણે જીર્ણ પ્રાસાદ જોયો. એટલે કીર્તિપાલે (ઉદયને) ભંડારીને કહ્યું કે–આ પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરવાની અમારી ઈચ્છા છે, પણ આ સંગ્રામ જીતીને પાછા વળતાં એ બધું થઈ શકશે.’ પછી પર્વતથી નીચે ઉતરતાં તેણે શત્રુરાજા તરફ પ્રયાણ કર્યું, તે પણ ભારે મદોન્મત્ત હતો. ત્યાં ભાલા સામે ભાલા અને ગદા સામે ગદા એમ શૌર્યના આવેશથી પ્રહારની આગળ ઉભો રહીને પ્રહાર કરતો હતો. એવામાં પોતાને પ્રહાર ન લાગતાં પણ તે પૃથ્વી પર પડી ગયો. ત્યાં યુદ્ધમાં જય થયો અને શત્રુ હણાયો. એટલે રણભૂમિમાં તપાસ કરતાં ઉદયનને લગભગ મરણાવસ્થાએ પહોંચેલ જોઈને કીર્તિપાલે તેને જણાવ્યું કે –“અનિત્ય ભૌતિક દેહને સ્થિર યશથી તેં ચિરસ્થાયી બનાવ્યો છે હે ભદ્ર! વણિફવ્યવહાર તો તને જ બરાબર રીતે કરતાં આવડ્યો, હવે જો તારા મનમાં કાંઈ શલ્ય ખટકતું હોય, તો મને કહે, એટલે તે પ્રમાણે કામ કરતાં હું તારો કંઈક અનૃણી (ઋણરહિત) થાઉં.' ત્યારે ઉદયન કહેવા લાગ્યો કે હે નાથ ! અમે સદા પોતાના સ્વામીના તાબેદાર થઈને રહ્યા છીએ, તેથી તેના જ કાર્યમાં એકચિત્ત હોવાથી અમે તે ઉપરાંત બીજું કંઈ કાર્ય સમજતા નથી. પણ સિદ્ધરાજથી ભય પામતા તમારા બંધુ કુમારપાલ રાજાએ મારી પાસે એક બ્રહ્મચારી (બટુકોને મોકલ્યો હતો, પરંતુ મેં તેનો તિરસ્કાર કર્યો; તે વખતે શ્રીમાન્ કુમારપાલને પણ મારા પર બહુ ગુસ્સો આવ્યો અને મારામાં પણ ભારે પ્રચંડતા આવી ગઈ, તો અત્યારે તમારા ચરણની આગળ તે દોષ મૂકતાં હું મારા બંને લોકને સફળ સમજું છું, તેમજ મારું કુળ, શીલ અને શ્રુતને પવિત્ર માનું છું. હવે આ મારા મૃત્યુનો પ્રતીકાર થઈ શકે તેમ નથી, માટે હું તમને વિનંતિ કરું છું, તે સાંભળો. મારા પુત્ર વાગભટને મારે કંઈક કહેવાનું છે, તે તમે સંભળાવજો કે શત્રુંજય મહાતીર્થના પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે, માટે એ મારા શુભ હેતુને પાર પાડજે.” એટલે કીર્તિપાલે એ બધું સ્વીકાર્યું, એવામાં શ્રીઉદયને તરત જ ત્યાં પ્રાણરહિત થઈ ગયો. પછી પિતાની તે ભાવનાને થોડા અંશે) કરતાં હું અત્યારે ઋણરહિત થઉં. એ આશયથી પોતાની એક દેવકુલિકા મેં નગરમાં કરાવી છે. તેમજ આજ નગરમાં મહા ધનવાન શ્રીછર્ક નામે વ્યવહારી વસે છે કે જે શ્રેષ્ઠી પાસે નેવું લાખ દ્રવ્ય છે. મારી મિત્રતાને લીધે તેણે એ ધર્મસ્થાનનો એક ખત્ત (ગોખલો) કરાવ્યો અને ત્યાં તેણે શ્રીઅજિતનાથ સ્વામીની મૂર્તિ સ્થાપન કરી છે. જ્ઞાનના નિધાન શ્રીહેમચંદ્રસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી છે. તેમના હસ્તના મંત્રોના માહાભ્યથી બધું સિદ્ધ થાય તેમ છે. માટે તે સ્વામિનું !, ત્યાં માનતા કરવા ઇચ્છતા હો, તો એ શત્રુ રાજાનો અવશ્ય પરાજય થાય. એ પ્રભુનું નામ જ એવા પ્રકારનો વિજય સૂચવે છે. આ મારી વિજ્ઞાપના સાંભળીને
SR No.006031
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri, Jaydarshanvijay
PublisherJinagna Prakashan
Publication Year2008
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy