SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રભાવક ચરિત્ર નિર્દોષ વચનથી રાજાએ જણાવ્યું કે - ‘ભારે આકર્ષક પ્રબંધ રચનાર આ શ્રીપાલ નામે પ્રસિદ્ધ કવીશ્વર છે. એણે રુદ્રમહાલયમાં અદ્ભુત રસયુક્ત કાવ્યોથી દુર્લભરાજની પ્રશસ્તિ કરેલ છે, તેમજ વૈરોચન પરાજય નામે મહાપ્રબંધ રચેલ છે. સજ્જન પુરુષો તો એક.સામાન્ય જનની પણ હાંસી કરતા નથી, તો આ સમર્થ કવિની શી વાત કરવી ?' 314 એમ સાંભળતાં જરા હસતાં હસતાં દેવબોધ કવિ ગર્વરૂપ પર્વતની ઉપર ભૂમિ સમાન એક કાવ્ય બોલ્યો— “शुक्रः कवित्वमापन्नः एकाक्षिविकलोऽपि सन् । चक्षुर्द्वयविहीनस्य युक्ता ते कविराजता' || એક લોચનથી વિકલ છતાં શુક્ર કવિપણાને પામ્યો, બંને લોચનથી હીન એવા તને કવિરાજપણું યુક્ત જ છે. ત્યારે શ્રીપાલ કહેવા લાગ્યો કે બનાવેલ છે, તો અભિમાન શા માટે = ‘હે ધીમાન્ ! આ તો અંતરમાં ભય લાવીને તે ઉતાવળથી કાવ્ય લાવે છે ? અમારું એક વચન સાંભળ - ‘હે બંધો ! ગ્રામ્ય વણક૨ની જેમ આ ગોણી-બારદાન સમાન વસ્ત્રો વણતાં તું આત્માને (પોતાને) અનેક પ્રકારે પરિશ્રમ શા માટે આપે છે ? ભલે લાંબા કાળે પણ માત્ર એક જ સુંદર અને અભિનવ વસ્ત્ર તૈયાર કર કે રાજરમણીઓ જેને ક્ષણ વાર પણ પોતાના કુચસ્થળથી દૂર ન કરે.' એવામાં રાજાએ કહ્યું કે — ‘કોઈ દુર્ગમ સમસ્યા પૂછો.' ત્યારે શ્રીપાલ કવિએ એક શિખરિણી પદ કહ્યું— “શ: વિં શૃંગો માતળિઃ જિ મિશન: '' એનો પાઠ પૂછવામાં આવતાં તરત જ તે કવિનાયક બોલી ઉઠ્યો. શ્લોકના આવા ત્રણ ચરણ કહેતાં તેવા વિદ્વાનને વિલંબ કેવો ? : + "चिरं चित्तोद्याने चरसि च मुखाब्जं पिबसि च क्षणादेणाक्षीणां विषयविषमुद्रां हरसि च 1 नृप ! त्वं मानाद्विं दलयसि च किं कौतुककरः कुरंग: किं भृंगो मरकतमणिः किं किमशनिः ' ॥ શ્ ॥ એટલે – હે રાજન્ ! તું મૃગાક્ષીઓના ચિત્ત રૂપ ઉદ્યાનમાં લાંબા વખતથી સંચરે છે, તેમના મુખ-કમળનું પાન કરે છે, ક્ષણવારમાં તેમના વિષય વિષની મુદ્રાને હરે છે અને તું તેમનાં માન—પર્વતને ભેદે છે, તેથી હરિણ, ભ્રમર, મરક્ત મણિ કે અશનિ (વજ) કંઈ પણ આશ્ચર્ય પમાડે તેમ નથી. િશબ્દ એક વ્યવહારથી મારી પાસે ગ્રહણ કર. કારણ કે જ્યાં જેની દુઃસ્થતા આવે, ત્યાં તે શું દેવાદાર ન ગણાય ? આવી વિષમાર્થ સમસ્યાઓ કહેવાય કે જે એક પાદ, દ્વિપાદ કે ત્રણ પાદવાળી અને પંડિતોને ઉચિત હોય. હે રાજન્ ! આ તો શૂન્ય પ્રશ્ન તુલ્ય અને કિં શબ્દોથી ભરેલ છે, તેથી એના જેવી સમસ્યાઓ વિદ્વાનોને અવશ્ય નિંદનીય થઈ પડે છે. જેમ કે —
SR No.006031
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri, Jaydarshanvijay
PublisherJinagna Prakashan
Publication Year2008
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy