SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર વ્યાખ્યાન ચાલતાં બ્રાહ્મણોએ ભારે મત્સર લાવીને રાજાને જણાવ્યું કે ‘હે સ્વામિન્ ! પૂર્વે વેદવ્યાસ મહામુનિએ પોતાના ભવિષ્યજ્ઞાનથી યુધિષ્ઠિરાદિકનું અદ્ભુત વૃત્તાંત કહેલ છે, તેમાં એમ બતાવેલ છે કે – પોતાના આયુષ્યના પ્રાંતે એ પાંડવો હિમાલય પર્વતમાં ગયા. ત્યાં કેદારમાં રહેલ શંકરને સ્નાન પૂજન પૂર્વક ૫૨મ ભક્તિથી આરાધીને શાંત થઈ તેમણે પોતાનો અંત સમય સાધ્યો છે, તેમ છતાં સ્મૃતિનો અનાદર કરનારા આ શુદ્ર શ્વેતાંબરો પોતાની સભામાં તે કરતાં વિપરીત બોલે છે, તો આપના નગરમાં અનુચિત બોલનારા એ અનિષ્ટસૂચક છે, તેથી નીતિને માન આપનાર રાજાએ પ્રજાના દુરાચાર અટકાવવા જોઈએ. માટે હે વિચારકુશળ રાજન્ ! હૃદયમાં કાર્યનો વિચાર કરીને યોગ્ય ઉપાય લો.' = 311 એ પ્રમાણે કહીને બ્રાહ્મણો વિરામ પામ્યા. રાજા બહુ જ ગંભીર વચનથી કહેવા લાગ્યો કે — ‘હે વિપ્રો ! રાજાઓ દરેક કામ વિચારીને જ કરે છે, પૂરતો વિચાર કર્યા વિના તેઓ કોઈ દર્શનોનો તિરસ્કાર કરી શકતા નથી. આ સંબંધમાં તેમને પૂછવાની જરૂર છે, જો તેઓ સત્ય ઉત્તર આપે, તો મારે તેમનો સત્કાર કરવો જોઈએ, કારણ કે ન્યાય એ જ અમારો મિત્ર ગણાય છે. હેમચન્દ્રાચાર્ય નિગ્રંથ, સંગત્યાગી અને મહામુનિ છે, તો તે અસત્ય કેમ બોલે ? એ બહુ જ વિચારવા જેવી વાત છે.’ — ત્યારે પ્રવીણ બ્રાહ્મણોએ પણ જણાવ્યું કે · ‘ભલે, એમ કરો.’ પછી રાજાએ હેમચંદ્ર મુનીશ્વરને બોલાવ્યા અને પૂછ્યું. કારણ કે માધ્યસ્થભાવથી રાજા સર્વેને સાધારણ—સમાન હોય છે. ‘શું પાંડવોએ જૈનદીક્ષા લીધી, એમ શાસ્ત્રમાં કહ્યું છે ?' ત્યારે આચાર્ય બોલ્યા કે — ‘અમારા પૂર્વાચાર્યોએ શાસ્રમાં એમ કહેલ છે. મહાભારતમાં તેમનું હિમાલય પ્રત્યે ગમન બતાવેલ છે, પરંતુ અમે સમજી શકતા નથી કે અમારા શાસ્ત્રોમાં જે પાંડવો વર્ણવ્યા છે, તે જ વ્યાસશાસ્ત્રમાં છે કે બીજા કોઈ વર્ણવ્યા છે.' — એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે ‘હે મુનિરાજ ! શું તે પણ પૂર્વે ઘણા થઈ ગયા છે ?' ગુરુ બોલ્યા — ‘હે રાજન્, આ સંબંધમાં હું ઉત્તર કહું છું,તે સાંભળો — શ્રી વ્યાસે રચેલ આખ્યાનમાં ગાંગેય પિતામહ આવે છે, તેણે યુદ્ધપ્રવેશના અવસરે પોતાના પરિવારને જણાવ્યું કે = મારા પ્રાણનો જો ત્યાગ થાય, તો જ્યાં પૂર્વે કોઈનો અગ્નિસંસ્કાર ન થયેલ હોય, તેવા પવિત્ર ભૂમિપ્રદેશમાં મારા શરીરને અગ્નિદાહ આપજો. પછી ન્યાયથી સંગ્રામ ચલાવતાં પિતામહ પ્રાણમુક્ત થયો, એટલે તેના વચનને યાદ કરી, તેનું શબ ઉપાડીને તેઓ પર્વત પર ગયા, કે જ્યાં કોઈ ઉન્નત શિખર પર મનુષ્યોનો સંચાર જ ન હતો. ત્યાં તેમણે શબ મૂકયું, એવામાં દિવ્ય વાણી થઈ કે ——— "अत्र भीष्मशतं दग्धं, पांडवानां शतत्रयम् I द्रोणाचार्य्यसहस्त्रं तु कर्णसंख्या न विद्यते' ॥ ૧ ॥ અહીં એકસો ભીષ્મ બાળવામાં આવેલ છે, ત્રણસો પાંડવો અને એક હજાર દ્રોણાચાર્યો બાળવામાં આવેલ છે, તેમજ કર્ણોની તો સંખ્યા જ થઈ શકે તેમ નથી. એ પ્રમાણે અહીં સાંભળતાં અમે અમારા મનમાં વિચારીએ છીએ કે એ બધામાં જૈન પાંડવો પણ હશે, કારણ કે શત્રુંજય પર્વત પર તેમની સાક્ષાત્ મૂર્તિઓ છે. વળી શ્રી નાસિકચપુરમાં શ્રી ચંદ્રપ્રભના મંદિરમાં
SR No.006031
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri, Jaydarshanvijay
PublisherJinagna Prakashan
Publication Year2008
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy