________________
શ્રી સૂરાચાર્યસૂરિ ચરિત્ર
277
એ પ્રમાણે તેમણે કબુલ કરવાથી સંતુષ્ટ થયેલ ધનપાલે તેમને એક સો સોનામહોર તુષ્ટિદાનમાં આપી. પછી ધનપાલના કહ્યા પ્રમાણે સૂરિને ગુપ્ત રીતે એક છાલકામાં છૂપાવી પોઠીયા પલાણીને તેઓ સત્વર ગુર્જરભૂમિ તરફ ચાલતા થયા. માર્ગમાં મહી નદીના તટ પર આવતાં સૂરાચાર્યે તે પુરુષો મારફતે પોતાનું સવિઘ્ન આગમન ગુરુને જણાવ્યું.
હવે અહીં દિવસના પાછલા પહોરે સુભટો પોતે તે ચૈત્યમાં દાખલ થયા. ત્યાં સિંહાસન પર ઉત્તમ વસ્ત્રધારી, અને મદયુક્ત આકૃતિવાળા એક સ્થલ સાધુને જોઈને તેઓ કહેવા લાગ્યા કે–“રાજાની આજ્ઞાથી તમે આ જિનચૈત્યથી બહાર નીકળો. અહીં જે વિલંબ થયો છે, તે ખાંડણીયામાં ઘા ચૂકાવ્યા સમાન છે.” એટલે તરત ઉઠીને તે સાધુ આગળ ચાલ્યા અને તે ઘોડેસ્વારો સાથે રાજાની સમક્ષ આવી મૌન ધરીને ઉભા રહ્યા. તેને જોતાં વિલક્ષ બનેલ રાજાએ ઘોડેસવારોને પૂછ્યું કે-“આ વૃદ્ધ અને સ્કૂલ દેહધારી કોને તમે લઈ આવ્યા છો ? શું આ ગુર્જર વિદ્વાનું છે ? ખરેખર ! તે હોંશિયાર ગુર્જર સાધુ તો તમારી આગળથી જ ચાલ્યો ગયો છે. તમારી આંખમાં ધૂળ નાખીને તમને કોઈએ અંધ બનાવી દીધા લાગે છે. મને લાગે છે કે તમારા જેવા કોઈ મૂર્ખ નહિ હોય.”
ત્યારે તેઓ કહેવા લાગ્યા કે હે નાથ ! એક જળવાહક દરિદ્ર મુનિને છોડીને અમે કોઈને જવા દીધેલ નથી. એ સાંભળીને રાજાએ કહ્યું કે રૂપનું પરાવર્તન કરીને તમારા દેખતાં તે અમારી સભાને જીતીને ચાલ્યો ગયો. તેના જેવો કોઈ તાત્કાલિક બુદ્ધિમાન નહિ હોય.” પછી રાજાએ તે આવેલ સાધુને જણાવ્યું કેતું તારા આવાસમાં ચાલ્યો જા, તને મૂર્ણપણું પણ પુણ્યથી જ પ્રાપ્ત થયું છે કે જેને લીધે અમારાથી તું જીવતો રહ્યો. તેથી મૂર્ખતા પણ એક પ્રકારે શ્લાઘનીય છે.’ એ પ્રમાણે રાજાએ વિદાય કરતાં તે સાધુ પાછા મઠમાં ચાલ્યા ગયા. કારણ કે મસ્તકના મુંડનમાં અક્ષતથી વધાવવાનું ન હોય.
હવે ભીમરાજાને ખબર પડતાં તેણે પોતાના ભ્રાતા (સૂરાચાર્ય)ને બોલાવવા માટે તેમના મામા સાથે માણસો મોકલ્યા. એટલે પોતાના દેશમાં પ્રગટ થઈને તે ભીમરાજાની રાજધાનીમાં આવ્યા. તે વખતે સંઘ સહિત ગુરુ મહારાજ તથા ભીમરાજા સર્વ સામગ્રી લઈને તેમની સન્મુખ આવ્યો. કારણ કે શુભમાં કોણ પ્રતિકૂલ હોય ? ત્યાં નજીક આવતાં સર્વ અભિગમપૂર્વક સૂરાચાર્ય એક લજ્જાયુક્તની જેમ પોતાના ગુરુના પગે પડ્યા. એટલે અષ્ટાંગ યોગમાં સાવધાન એવા તે યોગીની જેમ ગુરુ બોલ્યા કે–“આજે ગુરુની આશા સફળ થઈ અને માતાની આશિષો પણ સફળ થઈ. તને જોતાં શ્રીસંઘની મારા ઉપરની પ્રસન્નદૃષ્ટિ આજે ફલવતી થઈ.”
ત્યારે સૂરાચાર્ય કહેવા લાગ્યા કે—“તે વખતે એક અવિચારીની જેમ હું માલવા દેશમાં ગયો અને ભોજસભાને જીતીને નિરાબાધ અહીં પાછો આવ્યો છું. વળી આ શિષ્યોએ ‘ઉપાધ્યાય અને શિક્ષા કરે છે' એમ જો મારું આચરણ આપની પાસે કહ્યું ન હોત અને આપે ઠપકો ન આપ્યો હોત અને આ બાળકે ગર્વથી જો તેવી પ્રતિજ્ઞા કરી ન હોત તો આપનો હાથ મારા શિરે છે, તેનું પ્રમાણ ક્યાંથી મળત ?” એમ સાંભળતાં રક્તદ્રહની જેમ સ્થિર અને આચાર તથા ચારિત્રથી સુંદર એવા દ્રોણ ગુરુ કહેવા લાગ્યા કે કાયર જનોને દુષ્કર આવી પ્રતિજ્ઞા કોણ કરી શકે ? અને આપ્તજનોમાં ઉત્તમ એવા તારા વિના તેનો નિર્વાહ પણ કોણ કરી શકે ? શાસનદેવીને ઉદ્દેશીને અમે ગચ્છ અને સંઘ સહિત, તારું મુખ જોવા પર્યત આયંબિલતપનું આચરણ કર્યું છે.' એમ ગદ્ગદ્ વચનથી કહીને ગુરુમહારાજે સૂરાચાર્યને ગાઢ આલિંગન કર્યું. તે વખતે ભીમરાજાએ