________________
શ્રી શાંતિસૂરિ ચરિત્ર
245
પ્રધાનો સહિત તેમણે અવંતિદેશ તરફ વિહાર કર્યો. ત્યાં માર્ગે વિચરતાં રાત્રે સરસ્વતી દેવીએ ભારે પ્રસાદ લાવીને તેમને સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યો કે “ચતુરંગ સભા સમક્ષ તમે પોતાનો હાથ ઉંચો કરશો, એટલે દર્શનનિષ્ણાત બધા વાદીઓ પરાજિત થશે.” પછી આગળ ચાલતાં શ્રીભોજરાજા ધારાનગરીથી હર્ષપૂર્વક પાંચ કોશ તેમની સન્મુખ આવ્યો. તે વખતે એક એક વાદીના વિજયમાં પ્રતિજ્ઞાથી પણ કરતાં તે બોલ્યો કેમારા વાદીઓને કોણ જીતી શકે તેમ છે? દરેક વાદીના જયમાં હું એક એક લક્ષ દ્રવ્ય આપીશ. મારે ગુજરાતના શ્વેતાંબર ભિક્ષુનું બળ અવશ્ય જોવું છે.”
પછી ત્યાં રાજસભામાં પોતપોતાનો પક્ષ કરતા બધા દર્શનોના ચોરાશી વાદીદ્રોને આચાર્યે જીતી લીધા. સ્પષ્ટ વક્તા અને ન્યાયમાં જ એક બુદ્ધિ ધરાવનાર એવા સૂરિએ પ્રતિદિવસે એકએકને ઉંચો હાથ કરીને અનાયાસે જીતી લીધા. એટલે રાજાએ ચોરાશી લક્ષ દ્રવ્ય આપીને તરત સિદ્ધસારસ્વત કવિને બોલાવ્યો. - તેની પાછળ બીજા ઘણા વાદીઓ આવ્યા. એટલે પાંચસો વાદીઓને જયમાં પાંચ કોટિ દ્રવ્યના વ્યયથી રાજા ભય પામ્યો. ત્યાં ધનપાલ કહેવા લાગ્યો કે-“આ જૈનર્ષિનું નામ શું ?'
ત્યારે રાજાએ જણાવ્યું કે–“આ આચાર્યનું પ્રસિદ્ધ એવું શાંતિ નામ છે, અને પણ એ વાદિઓના વેતાલ તરીકે પ્રસિદ્ધ છે. માટે વાદનો નિષેધ કરી, અહીં એમનો સત્કાર કરીને મોકલીએ, વળી કથા શોધક તરીકે પણ અહીં હું એમને નિયુક્ત કરતો નથી. નહિ તો મારી સભા જીતીને કોણ સ્વસ્થતાથી જાય છે? ગુજરાતના પાંચ દશ લાખ તો તરત થઈ જાય તેમ છે. એમ બાર લાખ તો થયા છે. વળી સાઠ હજાર મેં આપ્યા છે. માટે હવે બુદ્ધિના નિધાન એવા ધનપાલની કથા શોધાવવી છે.” એમ ધારીને તેણે શ્રી શાંતિસૂરિને ત્યાં સ્થાપન કર્યા. વળી બાર લાખથી રાજાએ ત્યાં ચૈત્યો કરાવ્યાં અને બાકીના રહેલ સાઠ હજાર કે જે રાજાએ આપ્યા હતા, તે આચાર્યે થારાપદ્રપુરમાં મોકલી આપ્યા. ત્યાં શ્રી આદિનાથના ચૈત્યમાં મૂળનાયક પ્રભુની ડાબી બાજુએ તેમણે એક દેવકુલિકા (દરી) કરાવી તથા એક મોટો રથ કરાવ્યો. પછી તેમણે ધનપાલની કથા બરાબર શોધી આપી. એટલે રાજાએ આચાર્યને વાદિવેતાલનું બિરૂદ આપ્યું.
એવામાં ગુજરેશના આગ્રહથી તેઓ કવીશ્વર સહિત પાછા ફરીને લક્ષ્મીના સ્થાનરૂપ પાટણમાં પધાર્યા. ત્યાં આગળ જિનદેવ શેઠના પધ નામના પુત્રને પૂર્વે સર્પ ડેસ્યો હતો, એટલે સર્વપક્ષના માંત્રિકોએ અનેક મંત્ર અને ઔષધોપચાર કર્યા, છતાં તે સ્વસ્થ ન થયો, તેથી સ્વજનોએ સાથે મળી તેને એક ખાડામાં નાખ્યો. કારણ કે સર્વે હંસેલને ફરી જીવાડવાના આશયથી તેની એવી વ્યવસ્થા કરવામાં આવતી; એમ શિષ્યોના જાણવામાં આવતા તેને જીવાડવા માટે તેમણે ગુરુને વિનંતિ કરી. તેથી આચાર્ય જિનદેવના ઘરે ગયા અને તેમણે તેને સ્વસ્થ કરવા માટે જણાવ્યું. પછી જિનદેવને તેમણે કહ્યું કે તે સર્વે સેલ, અમને પૃથ્વીમાંથી બહાર લાવીને બતાવો.” એમ સાંભળતાં જિનદેવ તે ગુરુ સાથે સ્મશાનમાં ગયો. ત્યાં ભૂમિ ખોદીને તેને બહાર કાઢ્યો. એટલે આચાર્યો અમૃત તત્ત્વનું સ્મરણ કરતાં હાથથી તેના દેહનો સ્પર્શ કર્યો. જેથી તે પદ્મ તરત ઉઠ્યો અને પદ્મસમાન પોતાના મુખને વિકસિત કરતાં પદ્મ ગુરુના ચરણે નમસ્કાર કર્યા અને જણાવ્યું કે-“હે તાત ! હું, સ્વજનો તથા ગુરુ મહારાજ અહીં શા માટે આવ્યા છે ?' એટલે જિનદેવે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો, જેથી તે હર્ષ પામ્યો. પછી મહોત્સવપૂર્વક ગુરુની સાથે તે પોતાના સ્થાને આવ્યો. ત્યાં જિનદેવે ગુરુ મહારાજને ભક્તિપૂર્વક વિદાય કરતાં તે પોતાના ઉપાશ્રયમાં આવ્યા. કારણ કે ઉપકારી ગુરુના પગલાં પોતાના ઘરે થાય,