________________
શ્રી શાંતિસૂરિ ચરિત્ર
243
G
શ્રી શાંતિસૂરિ ચરિત્ર
વાદિવેતાલ, દુર્મત્રવાદીઓના કાલ રૂપ તથા સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા એવા પ્રસિદ્ધ શ્રી શાંતિસૂરિ તમારું રક્ષણ કરો. તેમની ભક્તિથી ભાવિત થયેલ હું તેમનું ચરિત્ર રચવાની અભિલાષા કરું છું. કારણ કે સૂર્યની ઉરુ વિનાનો પણ તેનો સારથી સેવાથી સારથી શું આકાશમાર્ગે ચાલવાને સમર્થ બનતો નથી? શોભામાં કૈલાસ સમાન ગુર્જર નામે દેશ છે કે જે ધનદ (કુબેર અથવા દાતારો) થી અધિષ્ઠિત અને ચારૂમાનસ (સુંદર માનસ સરોવર અથવા સજ્જનો)ના સમૂહથી વિભૂષિત છે. ત્યાં અણહિલપુર નામે નગર છે કે જયાં સંતજનોના વચનામૃતથી, જિલ્લો (સર્પો અથવા દુર્જનો) ના વચન રૂપ વિષ કોઈને અસર કરી શકતું નથી. ત્યાં દેશમાંના શત્રુઓનો નિગ્રહ કરનાર, કનક સમાન કાંતિવાળો અને અસાધારણ પરાક્રમી એવો ભીમ નામે રાજા હતો. - હવે ચંદ્રગચ્છ રૂપ શુક્તિ (છીપ) ને વિષે મુક્તા સમાન તથા સ્વચ્છમતિ મુનિઓના નિધાન રૂપ એવો થારાપદ્ર નામે પ્રખ્યાત ગચ્છ છે. ત્યાં સચ્ચારિત્ર રૂપ લક્ષ્મીના પાત્ર ગુણના નિધાન અને જગતમાં વિખ્યાત એવા શ્રી વિજયસિંહ નામના આચાર્ય હતા. તેઓ શ્રી સંપક ચૈત્યની પાસેના સ્થાનમાં રહેતાં સૂર્યની જેમ ભવ્ય જન રૂપ કમળને પ્રતિબોધ (વિકાસ) પમાડતા હતા.
શ્રી પાટણની પશ્ચિમે ઉન્નાયુ નામે ગામ હતું કે જ્યાં લોકો દીર્ધાયુષી અને સારી સ્થિતિના હતા તથા જે નાનું છતાં સારી પેદાશવાળું હતું. ત્યાં શ્રીમાલ વંશનો ધનદેવ નામે શ્રેષ્ઠી કે જે વિદ્વાન અને દેવ ગુરુની સેવા સાધવામાં સાવધાન હતો. સાક્ષાત્ લક્ષ્મી સમાન ધનશ્રી નામે તેની પત્ની હતી. તેમનો ભીમ નામે પુત્ર કે જે પ્રતિભાશાળી પુરુષોમાં અગ્રેસર હતો. કંબુ (શંખ) સમાન કંઠ, વિશાળ લલાટ અને જાનુ પર્યત ભુજાથી તે અલંકૃત હતો, તેમજ તેના હાથ, પગ, છત્ર, ધ્વજ અને પદ્મના લાંછનથી વિભૂષિત હતા. વળી તે સર્વ લક્ષણોથી સંપૂર્ણ અને પુણ્ય તથા નિપુણતાનું એક સ્થાન હતો. ગુરુ મહારાજે જ્ઞાનથી તે ભીમને સંઘ (ગચ્છ)નો ભાર ધારણ કરવામાં તેને સમર્થ જાણ્યો એટલે પ્રૌઢ બુદ્ધિવાળા અને નિર્મળ જ્ઞાનથી ભાવિને જાણતા તે વિહાર કરતાં ઉન્નતાયુ ગામમાં પધાર્યા, ત્યાં ચૈત્યમાં શ્રી આદિનાથને પ્રણામ કરીને તે શેઠના ઘરે ગયા; અને ધનદેવ પાસે તેમણે ભીમની માગણી કરી એટલે શેઠ બોલ્યા કે “જો મારો પુત્ર આપના કાર્યમાં ઉપયોગી અર્થાતુ કાર્યસાધક થાય, તો હું કૃતકૃત્ય છું.' એમ કહીને તેણે આ લોક અને પરલોકના કલ્યાણ માટે પોતાનો પુત્ર આચાર્યને અર્પણ કર્યો. પછી શ્રેષ્ઠીની અનુમતિથી ગુરુ મહારાજે મિથ્યાષ્ટિઓને ભીમ (ભયંકર) તથા ઉત્કટ પ્રતિભા બળથી વિરાજિત એવા ભીમને શુભ દિવસે દીક્ષા આપી અને તે શિષ્યનું શાંતિ એવું નામ રાખ્યું પછી જાણે પ્રથમથી સંકેત કરેલ હોય તેમ સમસ્ત કળાઓના તે જ્ઞાતા થયા તથા અનુક્રમે સમગ્ર શાસ્ત્રરૂપ સમુદ્રના પારગામી થયા. એટલે શ્રી શાંતિ મુનિને શાસ્ત્રજ્ઞાતા સમજીને ગુરુ મહારાજે તેમને આચાર્યપદે સ્થાપ્યા તથા ગચ્છનો ભાર સોંપી ભવદવ ટાળવા પોતે અનશન આદરીને સ્વર્ગે ગયા.