SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ 2i8 શ્રી પ્રભાવક ચરિત્ર કરનારીને તે જ શબ્દ ઉચિત છે.” પિતાના મુખથી એ શબ્દો સાંભળતાં લજ્જાથી તેણે પોતાનું મુખ નમાવી દીધું અને તે ચિંતવવા લાગી કે – “અહો ! રાત્રિનો મારો બધો વૃત્તાંત પિતાએ સાંભળી લીધો હશે, માટે મૂર્ખ અને અવિચારપણે વર્તનારી એવી મને ધિક્કાર છે.’ એમ ધારી તેને પોતાના પર જ તિરસ્કાર છુટ્યો, તથા પિતા પર તેને ભારે ક્રોધ આવ્યો. એટલે માન મૂકીને શંકર પર જેમ ગંગા અને પાર્વતી પ્રેમ રાખે, તેમ તે પોતાના પતિ પર સ્થિર પ્રેમ રાખવા લાગી. વળી તેને વિચાર આવ્યો કે – “અહો ! હું તો લઘુવયના કારણે બ્રાંત થઈ પણ વિદ્વાનોમાં અગ્રણી મારા પિતા આવું અનુચિત કરવાવાળો કેમ થયો? એ મશ્કરાએ આવા અનુચિત શબ્દો કેમ ઉચ્ચાર્યા? તેવા પુરૂષોને કુલીન એવી પોતાની માતા, બહેન કે પુત્રી સામે આવું અવાચ્ય વચન બોલવું શું ઉચિત છે? ના, તેમ કદિ બોલવું નહિ જોઈએ.’ એમ ધારી કોપના આવેશમાં સ્પષ્ટાક્ષરે તેણે પિતાને શ્રાપ દીધો કે – ‘ક્રિયાભ્રષ્ટ, અવજ્ઞા પામેલ અને રસલુબ્ધ તું કોઢીયો થા.' એટલે તેણીના શીલપ્રભાવથી શ્વેત અંગે ચંદ્રક (ચાંદા) નીકળતાં તે પ્રથમ કલાપી અને મયૂર હતો અને અત્યારે ચંદ્રકી (ચાંદાયુક્ત કુષ્ઠી અથવા મયૂર) થઈ ગયો. પછી બાણ પર બહુ સ્નેહ દર્શાવતી તે પોતાના ઘરે ચાલી ગઈ. તે વખતે પિતાનું દુર્વચન તેણીને બોધદાયક થઈ પડ્યું. - હવે પોતાને સદ્ય કોઢયુક્ત જોઈને મયૂર વિપ્રને ભારે પશ્ચાત્તાપ થવા લાગ્યો. તે રાજસભામાં ન જતાં નીચું મુખ કરીને પોતાના ઘરમાં જ બેસી રહ્યો. એમ પાંચ છ દિવસ તે રાજભવનમાં ન ગયો. એવામાં અહીં બાણ પણ તેના પર ક્રોધ લાવીને તેના ઘણા દોષ પ્રકાશવા લાગ્યો – ‘એ મયૂર, ભોગી (સર્પ) ના ભોગ (શરીર) નો વિનાશ કરવામાં એક પ્રતિજ્ઞા કરનાર, મલિન અંગને ધારણ કરનાર, મિત્રના સમાગમ લજ્જાસ્થાનને પ્રગટ કરનાર તથા મયુર સમાન શરીરે ચંદ્રકી (ચાંદાવાળો) હોવાથી અને ચિત્રીયુક્ત થવાથી તે પાપી, રાજસભામાં આવવાને લાયક નથી.' એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે – “શું મયૂર કોઢથી દૂષિત થયો છે, એ સત્ય વાત છે ?' એમ આશ્ચર્ય થવાથી રાજાએ તેને પોતાના માણસો મોકલીને બોલાવ્યો. એટલે પોતે તે સ્થાને આવવાને ઇચ્છતો ન હતો, છતાં રાજાની આજ્ઞાને લીધે વસ્ત્રાદિકથી પોતાના શરીરને બરાબર આચ્છાદિત કરીને તે રાજસભામાં આવ્યો. ત્યાં મયૂરને સાક્ષાત્ આવેલ જોઈને બાણ કહેવા લાગ્યો કે – “શીતથી રક્ષણ પામવા માટે વસ્ત્રથી શરીર આચ્છાદિત કરીને આવરકોટિ (પંડિતપ્રધાન) રાજસભામાં આવ્યો છે.' પછી પોતાના ઘરે આવતાં મયૂર મનમાં દઢ વિચાર કરવા લાગ્યો કે – “કલંકથી મલિન થયેલા પુરૂષોને મિત્રસભા ઉચિત નથી. બાળમિત્રોની એ સભામાં જેઓ કલંકથી શંકિત થઈને બેસે છે, તેઓ ભ્રકુટી રૂપ ખગ્નથી છેદાયેલ પોતાના મસ્તકને કેમ જાણતા નહિ હોય? વળી વૈરાગ્યથી કદાચ દેહનો ત્યાગ કરું તો તે પણ સજ્જનોને ઉચિત નથી. કારણકે દુ:ખો સહન ન કરી શકવાથી તે સ્ત્રીઓની જેમ એક પ્રકારની કાયરતા છે, માટે કલાનિધાન અને પ્રભાવી એવા કોઈ પવિત્ર દેવનું આરાધન કરું કે જેના પ્રભાવે આ દેહ પુનઃ નવીન (નિરોગી) થાય. કર્મસાક્ષી સૂર્યદેવની આરાધના કરું. કારણકે એની આરાધના અને વિરાધના બંને સાક્ષાત્ ફલવતી દેખાય છે.” એમ ધારી છે છેડાવાળા એક રજુયંત્રનું અવલંબન લઈને ત્યાં બેઠો અને પોતાની નીચે ખેરના ધગધગતા અંગારાથી એક ખાડો ભર્યો. પછી શાર્દૂલ છંદમાં એક એક શ્લોક બોલતાં છરી લઈને તે પોતાના પગને કાપવા લાગ્યો. એમ પાંચ કાવ્યો બોલી તે કુછી જેટલામાં પોતાનો બીજો પગ કાપવા જાય છે, તેવામાં સૂર્ય પ્રગટ તેજથી આવીને
SR No.006031
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri, Jaydarshanvijay
PublisherJinagna Prakashan
Publication Year2008
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy