SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર 151 સંતોષ પમાડવા માટે આપણે વિદ્વાનોની સભામાં શા માટે ન જોઈએ? કારણ કે સુવર્ણની પ્રાપ્તિ થતી હોય, તો પીતળને કોણ ગ્રહણ કરે ? એમ કહ્યા છતાં જ્યારે તેણે “મારે તો અહીં જ વાદ કરવો છે, એવો પોતાનો કદાગ્રહ ન મૂક્યો, ત્યારે આચાર્યે એ વાત કબુલ કરી અને ગોવાળોને તે વખતે સભાસદો બનાવ્યા. એટલે પ્રથમ સિદ્ધસેને પોતાના પક્ષ સ્થાપન કરતાં જણાવ્યું કે “સર્વજ્ઞ કોઈ છેજ નહિ, કારણ કે આકાશપુખના દૃષ્ટાંતની માફક પ્રત્યક્ષ, અનુમાદિક પ્રમાણોથી તે ઉપલબ્ધ નથી.' એમ કહીને તે મૌન રહ્યો. ત્યારે ગોવાળોને સંતોષ પમાડતાં વૃદ્ધવાદી કહેવા લાગ્યા કે–આ સિદ્ધસેનનું કથન તમે કાંઈ સમજી શક્યા કે નહિ ?' તેઓ બોલ્યા- “ઈરાની ભાષા જેવું અવ્યક્ત વચને શી રીતે સમજી શકાય ?' એટલે વૃદ્ધવાદીએ જણાવ્યું હે ગોવાળો ! એનું વચન હું બરાબર સમજી શક્યો છું. એ કહે છે કે‘જિન-વીતરાગ નથી, માટે તમે સત્ય કહી બતાવો કે તમારા ગામમાં વીતરાગ સર્વજ્ઞ છે કે નહિ ?' ત્યારે તે બધા બોલી ઉઠ્યા કે “જૈન ચૈત્યમાં જિન સર્વજ્ઞ વિદ્યમાન છે, માટે એનું વચન મિથ્યા છે. આ પ્રમાણ વિનાના વિપ્ર વચનને અમે માન્ય કરતા નથી. - પછી આચાર્ય પુનઃ કહેવા લાગ્યા કે હે વિપ્ર ! હું સત્ય વચન કહું છું, તે સાંભળ–પ્રજ્ઞાતિશય ક્યાંક તરતમતામાં વિરામ પામે છે. પરમાણુઓમાં જેમ જૂનાધિકતા છે, તેમ અતિશયમાં પણ તે ફુટ છે. અને તે લઘુ કે ગુરુતર, પરમાણુ અને આકાશમાં પણ ઉપલબ્ધ છે. પ્રજ્ઞાનો અવધિ તે કેવળજ્ઞાન સિદ્ધજ છે. એ જ્ઞાન તો ગુણ છે, માટે વિચાર કરો, તેના આધારરૂપ કંઈ દ્રવ્ય પણ હોવું જ જોઈએ. તે આધારરૂપ દ્રવ્ય તેજ સર્વજ્ઞ છે. એમ સર્વજ્ઞની એ સિદ્ધિ થઈ જ જાય છે.” એ પ્રમાણે વચન વિસ્તારથી વૃદ્ધવાદી સૂરિએ પોતાને પંડિત માનનાર એવા સિદ્ધસેન બ્રાહ્મણને જીતી લીધો કારણ કે આવા સમર્થ વિદ્વાન્ આગળ તે શું માત્ર છે ? એવામાં હર્ષાશ્રુથી લોચનને આર્ટ બનાવતાં સિદ્ધસેન પણ કહેવા લાગ્યો કે–“હે ભગવાન પ્રથમ તો તમે પોતે જ ખરેખરા સર્વજ્ઞ છો કે મને જીતી લીધો, તો હવે મેં પૂર્વે કરેલ પ્રતિજ્ઞા પ્રમાણે તમે મને શિષ્ય થવાની અનુમતિ આપો અર્થાત શિષ્ય બનાવો કારણ કે પૂર્વે મેં એવી પ્રતિજ્ઞા લીધી છે કે જેને હું ઉત્તર આપવા અસમર્થ થાઉં, તેનો શિષ્ય બનું. એટલે ગુરુ મહારાજે પોતે તત્પર થયેલ એવા સિદ્ધસેન વિપ્રને જૈન વિધિ પ્રમાણે દીક્ષા આપી, અને તેનું કુમુદચંદ્ર એવું નામ રાખ્યું. પછી બાણની જેમ પોતાની તીક્ષ્ણ અને પ્રકૃષ્ટ પ્રતિભાના બળે સિદ્ધસેન મુનિ તે કાળના સર્વ સિદ્ધાંતના સત્વર પારંગામી થઈ ગયા. એટલે ગુરુએ પ્રમોદપૂર્વક તેમને આચાર્યપદે સ્થાપન કર્યા તેમનું પૂર્વાવસ્થાનું નામ જ પાછું રાખ્યું. પછી ગુરુ મહારાજે શ્રી સિદ્ધસેનસૂરિને ગચ્છ ભળાવીને પોતે બીજે વિહાર કર્યો. કારણ કે ગુરુ દૂર રહીને જ શિષ્યનો પ્રભાવ જુએ છે. - હવે એકવાર શ્રી સિદ્ધસેનસૂરિ બાહ્ય ભૂમિકાએ જતા હતા, તેવામાં રાજમાર્ગે થઈને જતા વિક્રમાદિત્ય રાજાના તે જોવામાં આવ્યા ત્યારે અલક્ષ્યરીતે રાજા એ તેમને પ્રણામ કર્યા. એટલે ઉંચા અવાજે ગુરુએ તેને ધર્મલાભ આપ્યો. આ તેમની દક્ષતાથી સંતુષ્ટ થયેલ રાજાએ પ્રીતિદાનમાં તેમને એક કોટિ સોનામહોર આપી અને પત્રમાં લેખ લખ્યો કે –
SR No.006031
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri, Jaydarshanvijay
PublisherJinagna Prakashan
Publication Year2008
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy