SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રભાવક ચરિત્ર હવે પ્રભાત થતાં યતિઓ જેટલામાં આંગણે આવ્યા, તેવામાં અકસ્માત ચિત્તને વિષે વિસ્મય પમાડનાર તે મૃત ગાય તેમના જોવામાં આવી, એટલે આ ખેદ પમાડનાર આશ્ચર્ય તેમણે ગુરુ મહારાજને નિવેદન કર્યું જે સાંભળતાં સિંહ સમાન અને અચિંત્ય શક્તિવાળા ગુરુ જરાપણ ક્ષોભ ન પામ્યા. પછી ઉપાશ્રયમાં પાટ પાસે મુનિઓને અંગરક્ષા માટે મુકીને ગુરુ પોતે ત્યાં એકાંતમાં શુભ ધ્યાન કરવા લાગ્યા. એવામાં અંતમુહૂર્તમાં તે ગાય પોતે ઉભી થઈ અને ચેતના પામીને આશ્ચર્ય પમાડતી તે ચૈત્યની બહાર નીકળી ગઈ. ત્યારે તેને જતી જોઈને પ્રવીણ બ્રાહ્મણો ચિંતવવા લાગ્યા કે—‘રાત્રે મરણ પામીને પડી રહેલ ગાય ચૈત્યથકી બહાર શી રીતે નીકળી ? એમાં કાંઈ સહજ કારણ નથી, પણ મોટી આપત્તિ દેખાય છે. કારણ કે વિપ્રજાતિ નિરંકુશ છે અને બ્રહ્મચારી મંડળ દુર્ગાહ્ય છે.' એ પ્રમાણે તેઓ વિચાર કરે છે, તેવામાં પગે ચાલતી તે ગાય. જાણે પિતાના સ્નેહને લીધે આકર્ષાઈ હોય, તેમ બ્રહ્મ ભવનની સન્મુખ ચાલી. પછી પ્રભાતે બ્રહ્મપૂજક જેટલામાં દ્વાર ઉઘાડે છે, તેટલામાં ઉત્સુક થયેલ તે ગાય બ્રહ્મભવનમાં દાખલ થઈ, અને બહાર રહેલા તે પૂજારીને શીંગડાવથી પાડી, ગભારામાં જઈને તે બ્રહ્મમૂર્તિની આગળ પડી. પછી જીવદેવગુરુ મહારાજે તે ધ્યાન પાર્યું, એવામાં પૂજારીએ ઝાલર વગાડીને બ્રાહ્મણોને ભેગા કર્યા. એટલે તે મૂઢમતિ બધા આશ્ચર્ય પામીને કહેવા લાગ્યા કે—‘આ સ્વપ્ન કે બધાનો મતિભ્રમ છે ? કે મરણ પામેલ ગાય ચાલતી પણ થઈ, તે શું? તેમ પણ કદાચ બને, પરંતુ તે પોતે બ્રહ્મશાળામાં શા માટે આવી ? આ દૈવની દુર્ઘટના વિચારી શકાય તેવી નથી. આ કામ જ્યોતિષીઓના જ્ઞાનથી પણ અતીત છે.’ 146 એવામાં ત્યાં કેટલાક વિપ્રો કહેવા લાગ્યાં કે—‘અહીં વિચાર શો કરવાનો હતો ? બટુકોના દુર્વ્યાયરૂપ સાગર મર્યાદા ઓળંગી સ્થાનને તદ્દન પાડી (ઉખેડી) નાખશે. આ સ્થાનના બ્રાહ્મણો અન્યત્ર ગયેલા છે એવી વાયુદેવની કીર્તિ આ સ્થાનથી તો વાયુના વેગે અવશ્ય ચાલી ગઈ સમજજો. ત્યારે બીજા કેટલાક વિપ્રો બોલ્યા કે—‘આ મોટી આપત્તિમાં આપણા માટે એક જ ઉપાય છે, કે સિંહ સમાન પરાક્રમવાળા અને ચૈત્યમાં બિરાજમાન એવા શ્વેતાંબર ગુરુના પગે પડીને સત્વર તે સત્પુરુષના શરણને સ્વીકારો. કારણ કે આ અપાર ચિંતા-સાગર તે નાવથી જ તરી શકાય તેમ છે.' એટલે અન્ય બ્રાહ્મણો કહેવા લાગ્યા કે—‘તમારા દંભી બાળકોએ નિરંતર તેમને રોષ પમાડ્યો છે. તેથી તે તમારા પર શી રીતે પ્રસન્ન થાય ? કારણ કે એક સામાન્ય પુરુષ પણ આવા ઉપદ્રવોને સહન કરતો નથી. તો દિવ્ય સામર્થ્યયુક્ત અને સાક્ષાત્ વિધાતા સમાન એ જૈનર્ષિ તે શું સહન ક૨શે ?' એવામાં બીજા કેટલાક બોલી ઉઠ્યા કે —‘ભલે એમ છે, તોપણ અત્યારે તેમની પાસે આજીજી કરવાની જરૂર છે, કારણ કે ઉત્તમ પુરુષ પ્રણામ કરવાથી વૈરને તજી દે છે.’ એ પ્રમાણે બધા એકમત થઈને બ્રાહ્મણો શ્રી વીરમંદિરમાં ધાર્મિક જનોથી મંડિત એવી ગુરુની પર્ષદામાં ગયા. ત્યાં અંજલિ જોડીને તે કહેવા લાગ્યા કે—‘હે પૂજ્ય ! સંકટમાં આવી પડેલા એવા અમારું વચન તમે ધ્યાન દઈને સાંભળો—પૂર્વે વાયુ નામના દેવે આ સ્થાન સ્થાપન કરેલ છે, આ સ્થાપના વાયુદેવે પોતાના સમાન એવા જીવદેવસૂરીના નામને વશ થઈને તમારા બળથી કરેલ છે. માટે બાળકોના ખોટા અપરાધથી એ સ્થાન સંકટમાં આવી પડેલ છે, તો તેનો પ્રતીકાર કરવાને તમારા સિવાય અન્ય કોઈ ભૂતલ૫૨ સમર્થ નથી. માટે તે દેવના અવતારરૂપ તથા નિઃસ્પૃહ એવા હે સ્વામિન્ ! પોતાના યશના સ્થાનરૂપ એવા આ સ્થાનનું રક્ષણ
SR No.006031
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri, Jaydarshanvijay
PublisherJinagna Prakashan
Publication Year2008
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy