________________
138
શ્રી પ્રભાવક ચરિત્ર
એટલે તેમના નિઃસ્પૃહપણાથી અધિક સંતુષ્ટ થયેલ તે બહુમાનથી કહેવા લાગી કે હે વિભો ! ચિંતિત કાર્યને સિદ્ધ કરનાર એવી આ ગુટિકાને તમે ગ્રહણ કરો એને મુખમાં ધારણ કરનાર મનુષ્ય દૃષ્ટિને અગોચર, આકાશગામી, રૂપાંતર કરનાર, કવિતાની લબ્ધિ પામનાર, વિષગ્રસ્તને વિષરહિત કરનાર બંધાયેલાને મુક્ત કરનાર તથા પોતાની ઇચ્છાનુસાર અવશ્ય ગુરુલઘુતાને પામી શકે છે અને તેને મુખથકી બહાર કાઢતા તે સહજ રૂપમાં આવી જાય છે.' એમ સાંભળી તે ગુટિકા લેવાની ઈચ્છા ન હોવા છતાં દેવી તે ગુટિકા ગુરુના હાથમાં મૂકીને અદૃશ્ય થઈ ગઈ. એટલે ગુટિકા મુખમાં રાખતાં ગુરુ મહારાજે પ્રથમ,
મિ: સમાદિતધયા' ઈત્યાદિ અમરવાક્ય સમાન કાવ્યોથી શ્રી નેમિનાથનું સ્તવન રચ્યું. એ શ્રી નેમિસ્તુતિ અદ્યાપિ વિદ્યમાન છે. પછી શ્રી આચાર્ય મહારાજ તીર્થયાત્રા કરીને ભૃગુપુર નગરમાં આવ્યા. એટલે શ્રી સંઘે પ્રવેશ-મહોત્સવથી તેમનું બહુમાન કર્યું. - હવે એકવાર અંકલેશ્વર નગરથી પ્રબળ પવનના યોગે બળતો એક ઉંચો વાંસ તે નગરમાં ઉડી આવ્યો, તેથી મર્યાદા રહિત સાગરની જેમ જવાળાઓથી વ્યાપ્ત એવો અગ્નિ, ઘર, બજાર, હવેલી અને ચૈત્યોમાં પ્રસરવા લાગ્યો. પ્રથમ કોળીયામાં તેણે કાષ્ઠ અને ઘાસના બનાવેલા ઘરોનું ભક્ષણ કર્યું અને પછી મધ્ય આહારમાં તેણે મજબૂત અને વિશાળ મકાનોને ભક્ષ્ય બનાવ્યાં. તે વખતે બળતા મનુષ્ય, પશુ અને પક્ષીઓના આજંદ વડે ભયંકર અને શરદઋતુના ગર્જારવ સમાન, તથા આકાશને બધિર બનાવનાર એવો પવન પ્રગટ થયો. તે અગ્નિએ સમસ્ત નગરને બાળીને ભસ્મીભૂત કર્યું, તેમજ દુર્ગના દ્વારયંત્ર સહિત નગરના ગોપુર (મુખ્ય દ્વાર)નો પણ નાશ કર્યો. તે વખતે પ્રતીકારથી અસાધ્ય એવો તે ઉપસર્ગ દૈવયોગે શાંત થતાં શ્રી મુનિસુવ્રત સ્વામીનું કાષ્ઠમય ચૈત્ય ભસ્મ થઈ ગયું. તેમાં પાષાણ અને પીતળની જે દેવ પ્રતિમાઓ હતી, તે બધી સર્વાગે જીર્ણ જેવી થઈ ગઈ, પણ મુનિસુવ્રત પ્રભુનું એક બિંબ બરાબર તેવું ને તેવું જ રમણીય રહ્યું. રણભૂમિમાં સુભટોનું મર્દન કરનાર વીર પુરુષ જેમ ધૈર્યથી સ્થિર થઈ ઉભો રહે તેમ વિશ્વના પ્રકાશરૂપ એ પ્રતિમાના પૃથ્વી તત્ત્વો કાંઈ નિરાળા જ હતા કે જેથી તેને અગ્નિદાહની અસર ન થઈ. | પછી શ્રી વિજયસિંહસૂરિ ગુટિકાને પોતાના મુખમાં ધારણ કરી, હસ્તમાં સત્પાત્ર લઈને તીર્થોદ્ધારને માટે ભિક્ષા માગવા નીકળ્યા. પ્રથમ બ્રાહ્મણોના ઘરે ધર્મલાભ આપતાં તેમણે શ્રી મુનિસુવ્રત સ્વામીના ચૈત્યનો ઉદ્ધાર કરવા ભિક્ષા માગી. એટલે કોઈ પચાસ સોના મહોર, કોઈ સો અને કોઈ બસો સોનામહોર તે મહર્ષિને આપવા લાગ્યા. તેથી તે વખતે પાંચ હજાર સોનામહોર એકઠી થઈ. અષ્ટ મહાસિદ્ધિને ધારણ કરનાર એવા તેમને ધનની પ્રાપ્તિ કંઈ અસાધ્ય ન હતી, પરંતુ ચારિત્ર–ધનની રક્ષા કરતા તેમને અદત્ત લેવાનું ન હતું. પછી વટ્ઝકિ રત્ન વડે ચક્રવર્તીની જેમ સૂત્રધાર (સુથાર) પાસે તેમણે પ્રધાન કાઇથી જિનમંદિરનો તરત ઉદ્ધાર કરાવ્યો એટલે તેમના હાથે પડેલ વાસક્ષેપના પ્રભાવથી અગ્નિ તે મંદિરને બાળી શક્યો નહિ. કારણ કે અમૃતના નિધાનરૂપ તેમનો મંત્ર પ્રગટ હોવાથી અગ્નિ સમર્થ ન થાય, પણ બુઝાઈ જ જાય. પછી વીસમા તીર્થનાથના મોક્ષ થકી અગીયાર લાખ, પંચાશી હજાર, છસોને ક્યાસી વર્ષો જતાં કાઇ જંતુઓને લીધે તે ચૈત્યના કાઇ જીર્ણ અને જર્જરિત થયા. એટલે શ્રીમાનું અંબડ રાણાએ પત્થરનું ચણાવીને તેનો પુનરુદ્ધાર કર્યો.