________________
મહાવાક્યો
૨૨ મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. ૨૩ આ સંસારને શું કરવો ? અનંત વાર થયેલી માને આજે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ. ૨૪ નિર્ચથતા ધારણ કરતાં પહેલાં પૂર્ણ વિચાર કરજો; એ લઈને ખામી આણવા કરતાં અલ્પારંભી થજો. ૨૫ સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા; પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું. ૨૭ સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે.
૨૭ કુપાત્ર પણ પુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે, જેમ છાશથી શુદ્ધ થયેલો સોમલ શરીરને નીરોગી કરે છે.
૨૮ આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે, જેમ ત્રાંસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે.
૨૯ યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં કે આપનારનો ઉપકાર ઓળવશો નહીં. ૩૦ અમે બહુ વિચાર કરીને આ મૂળતત્ત્વ શોધ્યું છે કે,–ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. ૩૧ રડાવીને પણ બચ્ચાંના હાથમાં રહેલો સોમલ લઈ લેવો. ૩ર નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. ૩૩ જ્યાં હું માને છે ત્યાં “તું નથી; જ્યાં “તું” માને છે ત્યાં “તું નથી. ૩૪ હે જીવ! હવે ભોગથી શાંત થા, શાંત. વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે ? ૩પ બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. ૩૭ સત્વજ્ઞાન અને સલ્ફીલને સાથે દોરજે. ૩૭ એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે.
૩૮ મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડાવિલાસ નિરીક્ષણ કરતાં છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે.
૩૯ ભોગના વખતમાં યોગ સાંભરે એ હળુકર્મીનું લક્ષણ છે.
૪૦ આટલું હોય તો હું મોક્ષની ઇચ્છા કરતો નથીઃ આખી સૃષ્ટિ સીલને સેવે, નિયમિત આયુષ્ય, નીરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર, જીવનપર્યત બાલ્યાવસ્થા, આત્મતત્ત્વનું ચિંતવન.
૪૧ એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઇચ્છું છું. ૪૨ સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે ?
૪૩ કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો બહુ વિવેકી ધોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત.
૪૪ શુકલ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરું છું. ૪૫ સૃષ્ટિીલામાં શાંતભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. ૪૬ એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય.