SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ મહાવાક્યો ૪૭ શુકલ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે ? ૪૮ જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. ૪૯ હું તમારી મૂર્ખતા પર હસું છું કે–નથી જાણતા ગુખ ચમત્કારને છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારો ? ૫૦ અહો ! મને તો કૃતઘ્ની જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા છે ! ૫૧ મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી, પરંતુ કંટાળો આપશો તો હું સ્તબ્ધ થઈ જઈશ અને એ મને પોસાશે પણ નહીં. પર હું કહું છું એમ કોઈ કરશો ? મારું કહેલું સઘળું માન્ય રાખશો ? મારાં કહેલાં ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો ? હા હોય તો જ તે સત્યરુષ ! તું મારી ઇચ્છા કરજે. ૫૩ સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્યરૂપે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યો ! - ૫૪ દેવદેવીની તુષમાનતાને શું કરીશું? જગતની તુષમાનતાને શું કરીશું? તુષમાનતા પુરુષની ઇચ્છો. ૫૫ હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. પક એમ સમજો કે તમે તમારા આત્માના હિત માટે પરવરવાની અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ તો તે પણ તમારું આત્મહિત જ છે. ૫૭ તમારા શુભ વિચારમાં પાર પડો; નહીં તો સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો. ૫૮ જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. ૫૯ જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. ૬૦ નિયમ પાળવાનું દઢ કરતાં છતાં નથી પળતો એ પૂર્વકર્મનો જ દોષ છે એમ શાનીઓનું કહેવું છે. ૧૧ સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે. કર એ જ ભાગ્યશાલી કે જે દુર્ભાગ્યશાલીની દયા ખાય છે. ૧૩ શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે. ૧૪ સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુકલ ધ્યાનમાં પ્રવૃત્તિ કરો. ઉપ પરિગ્રહની મૂચ્છ પાપનું મૂળ છે. કક જે કૃત્ય કરવા વખતે વ્યામોહસંયુક્ત ખેદમાં છો, અને પરિણામે પણ પસ્તાઓ છો, તો તે કૃત્યને પૂર્વકર્મનો દોષ જ્ઞાનીઓ કહે છે. ક૭ જડભરત અને જનક વિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ. ૧૮ પુરુષના અંતઃકરણે આચર્યો કિંવા કહ્યો તે ધર્મ. ૧૯ અંતરંગ મોહગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે. ૭૦ વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશો નહીં. ૭૧ એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
SR No.006030
Book TitleShrimad Rajchandra Handbook
Original Sutra AuthorN/A
AuthorPayal J Shah
PublisherPayal J Shah
Publication Year2013
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy