SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ બોધવચન ૧૧૫ પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તો. ૧૧૭ પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો. ૧૧૭ પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો. ૧૧૮ ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી ટાઢ, તાપ, છેદન, ભેદન ઇત્યાદિક ઇo દેહના મમત્વના વિચાર લાવશો નહીં. ૧૧૯ ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, મનુષ્ય, તિર્યંચના પરિષહ પડે તો આત્મા અવિનાશી છે એવો એક ઉપયોગથી વિચાર લાવશો, તો તમોને ભય થશે નહીં અને ત્વરાથી કર્મબંધથી છૂટશો. આત્મદશા અવશ્ય નિહાળશો. અનંત જ્ઞાન, અનંત દર્શન, ઇત્યાદિક ઇO ઋદ્ધિ પામશો. ૧૨૦ નવરાશના વખતમાં નકામી કૂટ અને નિંદા કરો છો તે કરતાં તે વખત જ્ઞાનધ્યાનમાં લો તો કેવું યોગ્ય ગણાય ! ૧૨૧ ધીરનાર મળે પણ તમે દેવું વિચારીને કરજો. ૧૨૨ ધીરનાર વ્યાજનાં વ્યાજ લેવા ધીરે પણ તે ઉપર તમે ખ્યાલ રાખો. ૧૨૩ તું દેવાનો ખ્યાલ નહીં રાખે તો પછી પસ્તાવો પામીશ. ૧૨૪ દ્રવ્યદેવું આપવાની ફિકર રાખો છો તે કરતાં ભાવદેવું આપવા વધારે ત્વરા રાખો. ૧૨૫ દેવું આપવા વધારે ત્વરા રાખો. ઉપયોગ ત્યાં ધર્મ છે. મહાવીરદેવને નમસ્કાર ૧ છેવટનો નિર્ણય થવો જોઈએ. ૨ સર્વ પ્રકારનો નિર્ણય તત્ત્વજ્ઞાનમાં છે. ૩ આહાર, વિહાર, નિહારની નિયમિતતા. ૪ અર્થની સિદ્ધિ. આર્યજીવન ઉત્તમ પુરુષોએ આચરણ કર્યું છે. નિત્યસ્મૃતિ ૧ જે મહાકામ માટે તું જળ્યો છે, તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. ૨ ધ્યાન ધરી જા; સમાધિસ્થ થા. ૩ વ્યવહારકામને વિચારી જા. જેનો પ્રમાદ થયો છે, તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. જેમાં સાહસ થયું હોય, તેમાંથી હવે તેવું ન થાય તેવો બોધ લે.
SR No.006030
Book TitleShrimad Rajchandra Handbook
Original Sutra AuthorN/A
AuthorPayal J Shah
PublisherPayal J Shah
Publication Year2013
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy