________________
નિત્યસ્મૃતિ.
નિત્યસ્મૃતિ ૪ દઢ યોગી છો, તેવો જ રહે. ૫ કોઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. હું લેપાઈશ નહીં. ૭ મહાગંભીર થા. ૮ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જા. ૯ યથાર્થ કર. ૧૦ કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા.
સહજપ્રકૃતિ ૧ પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું. ૨ સુખદુખ એ બન્ને મનની કલ્પના છે. ૩ ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ૪ સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે. ૫ શાંત સ્વભાવ એ જ સજજનતાનું ખરું મૂળ છે. ક ખરા સ્નેહીની ચાહના એ સજજનતાનું ખાસ લક્ષણ છે. ૭ દુર્જનનો ઓછો સહવાસ. ૮ વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. ૯ શ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. ૧૦ ધર્મકર્મમાં વૃત્તિ રાખવી. ૧૧ નીતિના બાંધા પર પગ ન મૂકવો. ૧૨ જિતેન્દ્રિય થવું. ૧૩ જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું. ૧૪ ગંભીરતા રાખવી. ૧૫ સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા રાખવી. ૧૭ પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. ૧૭ પરેનિંદા એ જ સબળ પાપ માનવું. ૧૮ દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું. ૧૯ આત્મજ્ઞાન અને સજજનસંગત રાખવાં.