________________
બોધવચન ૮૮ કોઈએ કૃતઘ્નતા કરી હોય તેને પણ સમદષ્ટિએ જુઓ. ૮૯ અન્યને ઉપદેશ આપવાનો લક્ષ છે, તે કરતાં નિજધર્મમાં વધારે લક્ષ કરવો. ૯૦ કથન કરતાં મથન ઉપર વધારે લક્ષ આપવું. ૯૧ વીરના માર્ગમાં સંશય કરશો નહીં. ૯૨ તેમ ન થાય તો કેવલીગમ્ય, એમ ચિંતવજો એટલે શ્રદ્ધા ફરશે નહીં. ૯૩ બાહ્ય કરણી કરતાં અત્યંતર કરણી ઉપર વધારે લક્ષ આપવું. ૯૪ “હું ક્યાંથી આવ્યો?” “હું ક્યાં જઈશ ?” “શું મને બંધન છે ?” “શું કરવાથી બંધન જાય ?” “કેમ છૂટવું થાય ?” આ વાક્યો સ્મૃતિમાં રાખવાં.
૯૫ સ્ત્રીઓના રૂપ ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ દો તો હિત થાય. ૯૬ ધ્યાનદશા ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ આપશો તો ઉપશમભાવ સહજથી થશે અને સમસ્ત આત્માઓને એક દૃષ્ટિએ જોશો. એકચિત્તથી અનુભવ થશે તો તમને એ ઇચ્છા અંદરથી અમર થશે. એ અનુભવસિદ્ધ વચન છે.
૯૭ કોઈના અવગુણ તરફ ધ્યાન આપશો નહીં, પણ પોતાના અવગુણ હોય છે તે ઉપર વધારે દૃષ્ટિ રાખી ગુણસ્થ થવું.
૯૮ બંધાયેલાને જે પ્રકારે બાંધ્યો તેથી ઊલટી રીતે વર્તી એટલે છૂટશે.
૯૯ સ્વસ્થાનકે જવાનો ઉપયોગ કરજો. ૧૦૦ મહાવીરની ઉપદેશેલી બાર ભાવનાઓ ભાવો. ૧૦૧ મહાવીરના ઉપદેશવચનનું મનન કરો. ૧૦૨ મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જેવો તપ કર્યો તેવો નિર્મોહપણે તપ કરવો. ૧૦૩ પરભાવથી વિરક્ત થા. ૧૦૪ જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધો. ૧૦૫ સમ, દમ, ખમ એ અનુભવો. ૧૦૦ સ્વરાજ પદવી સ્વરૂપ આત્માનો લક્ષ રાખો (દો). ૧૦૭ રહેણી ઉપર ધ્યાન દેવું. ૧૦૮ સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. ૧૦૯ સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. ૧૧૦ સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. ૧૧૧ સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. ૧૧૨ સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. ૧૧૩ સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. ૧૧૪ સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો (દો.)