________________
બોધવચન ઉ૧ અપ્રમાદ ભાવ એ જ અભય પદ છે. કર જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ તજો. ૯૩ વિષમપણું મૂકવું. ૬૪ કર્મયોગે આત્માઓ નવીન નવીન દેહ ધરે છે. ઉપ અત્યંતર દયા ચિંતવવી. કક સ્વ અને પરના નાથ થાઓ. ક૭ બાહ્ય મિત્ર આત્મહિતનો રસ્તો બતાવે તેને અત્યંતર મિત્ર તરીકે –
૬૮ જે બાહ્ય મિત્રો પોગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી જાય તો તજો. અને કદાચિતજાય એમ ન હોય તો અત્યંતરથી લુબ્ધ અને આસક્ત થશો નહીં. તેઓને પણ જાણતા હો તેમાંનો બોધ આપો.
૧૯ ચેતનરહિત કાષ્ઠ છેદતાં કાષ્ઠ દુઃખ માનતું નથી. તેમ તમે પણ સમદષ્ટિ રાખજો. ૭૦ યત્નાથી ચાલવું. ૭૧ વિકારનો ઘટાડો કરજો. ૭૨ સપુરુષનો સમાગમ ચિંતવજો. મળેથી દર્શનલાભ ચૂકશો નહીં. ૭૩ કુટુંબપરિવાર ઉપર અંતરંગ ચાહના રાખશો નહીં. ૭૪ નિદ્રા અત્યંત લેશો નહીં. ૭૫ નકામો વખત જવા દેશો નહીં. ૭૩ વ્યાવહારિક કામથી જે વખત મુક્ત થાઓ તે વખતે એકાંતમાં જઈ આત્મદશા વિચારજો. ૭૭ સંકટ આવ્યું પણ ધર્મ ચૂકશો નહીં. ૭૮ અસત્ય બોલશો નહીં. ૭૯ આર્ત રૌદ્રને ત્વરાથી તજો. ૮૦ ધર્મધ્યાનના ઉપયોગમાં ચાલવું. ૮૧ શરીર ઉપર મમત્વ રાખશો નહીં. ૮૨ આત્મદશા નિત્ય અચળ છે, તેનો સંશય લાવશો નહીં. ૮૩ કોઈની ગુપ્ત વાત કોઈને કરશો નહીં. ૮૪ કોઈ ઉપર જન્મ પર્યત ષબુદ્ધિ રાખશો નહીં.
૮૫ કોઈને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તો પશ્ચાત્તાપ ઘણો કરજો, અને ક્ષમાપના માગજો. પછીથી તેમ કરશો નહીં.
૮૭ કોઈ તારા ઉપર દ્વેષબુદ્ધિ કરે, પણ તું તેમ કરીશ નહીં. ૮૭ ધ્યાન જેમ બને તેમ ત્વરાથી કરજે.