SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ - [ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર છે. વર્તમાન કાળમાં તેમને એક પ્રસંગ તેમની સમક્ષ પ્રકટ થયેલ હોતો. નથી. અને ભથના વિચારે નિરંતર સેવીને મનુએ તેવા પ્રસંગેને મૂર્તિમાન થવાનો સંભવ છેડે કાળે ન આણતા હોય છે તેવા પ્રસંગે કદી પણ જોવા તેમને સમય આવે એમ હતું નથી. ભયના વિચારે એ ભયને પ્રકટ થવાના પ્રસંગેનાં બીજક છે, અને તેથી સુખને ઇચ્છનાર મનુએ પિતાની હૃદયભૂમિમાં ભયના વિચારનાં બીજક કદી પણ રોપવાં જોઈએ નહિ. ભવિષ્ય કાલને વિચાર ત્યજી દે; અને ભવિષ્ય કાલને વિચાર કદી કરે, તે ભવિષ્ય કાળમાં સુખ જ મળનાર છે, એવા વિચારને જ સે. જેમ ઘરમાંથી આપણે કચરે વાળી કાઢીએ છીએ તેમ અંતઃકરણમાંથી ભયના વિચારોનો કચરે વાળી કાઢે. ૧૦૮. ભવિષ્યમાં દુઃખ પ્રાપ્ત થવાનો ભય શરીરને તથા મનને શિથિલ, દુર્બલ અને ઉત્સાહરહિત કરે છે. નિરંતર સુખ પ્રાપ્ત થવાની આશા અને શ્રદ્ધા શરીરને તથા મનને બળવાન, છૂર્તિવાળું, તથા ઉત્સાયુક્ત કરે છે. ભયના વિચારો શરીરને તથા મનને શિથિલ કરી નાખે એવાં અસંખ્ય વિચારોનાં આદેલને વિશ્વના વાતાવરણમાંથી આપણા પ્રતિ આકણી લાવે છે. સુખ પ્રાપ્ત થવાની આશા તથા શ્રદ્ધાના વિચારે શરીર તથા મનને ઉત્સાયુક્ત કરનાર અસંખ્ય વિચારનાં આદેલને વિશ્વના વાતાવરણમાંથી આપણે પ્રતિ આકષી લાવે છે. ભયના વિચારે મનુષ્યને દુઃખના અગાધ અંધકારમાં ભ્રમણ કરાવે છે. સુખને મળવાની આશાના તથા શ્રદ્ધાના વિચાર સુખના પ્રકાશમય તેજસ્વી પ્રદેશમાં મનુષ્યને સ્થાપે છે. ૧૯. પરમાત્મા આપણું નિરંતર હિત જ કરે છે, એ પ્રકારના શ્રદ્ધાના વિચારે અભ્યાસ વડે મનુષ્ય પિતાના અંતઃકરણમાં સર્વદા પ્રવર્તાવી શકે છે. પિતાના અંતઃકરણમાં પાછું વળીને જોવાને અભ્યાસ સેવવાથી અને ભયને વિચાર હૃદયમાં સ્પરતાં જ તેને વધવા ન દેવાની સાવધાનતા રાખવાથી ભયના વિચારે હૃદયમાંથી નિર્મૂળ કરી શકાય છે. એકાંતમાં નિત્ય અર્ધ કલાક અથવા કલાક હૃદયમાં પિતાના આત્મામાં વૃત્તિ સ્થાપવાથી, અથવા સર્વવ્યાપક પરમાત્મામાં પિતાની વૃત્તિઓને વિલીન કરવાથી ભયો જય થઈ શકે છે. પરમાત્માના સર્વત્રવ્યાપક હિતસ્વરૂપને જ જોયા કરવાથી, અને હૃદયમાં ઊઠતા અન્ય વિચારને અલક્ષ કરવાથી અર્થાત પરમાત્મામાં ઈદિય તથા
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy