________________
વિચારરત્નરાશિ ]
સર્વ દષ્ટિથી તે તે નથી. પરમાત્માની સર્વજ્ઞ દષ્ટિમાં આ પ્રસંગ કલ્યાણને જ સાધક છે. જેમ રાત્રીના અંધકારમાંથી પ્રાતઃકાળને પ્રકાશ પ્રકટે છે, તેમ આ અંધકાર જેવા ભાસતા દુઃખના પ્રસંગમાંથી સુખને પ્રકટવાને પૂર્ણ સંભવ છે. જેમ તાપના અંતમાં વૃષ્ટિ થાય છે, અને તાપ તે વૃષ્ટિ થવાને અર્થે જ છે, તેમ આ દુઃખદ જણાતા પ્રસંગના અંતમાં સુખ જ છે, અને આ પ્રસંગનું આવું દુઃખદ સ્વરૂપ થવું, એ તેને સુખમય પરિણામ આવવાને અર્થે જ છે, તેથી સુખને અર્થે પ્રકટનાર દુઃખમાં ભય ધરવા જેવું કે ક્લેશ કરવા સરખું કશું જ નથી.” આ પ્રકારના વિચારથી દુઃખદ ભાસતા પ્રસંગોમાં તેઓ ઈશ્વરી ઈચછાને અનુકૂળ વર્તે છે, અને આવું તેમનું અનુકૂળ વર્તન, તેમના પરમહિતનું સાધક થાય છે.
૧૦૬. પરમેશ્વરમાં અચલ વિશ્વાસવાળા આવા સાચા ભક્ત જાણે છે કે હું વસ્તુતઃ પરમેશ્વરને અંશ છું, અને તેથી કરીને પરમેશ્વરસ્વરૂપ છું. અને પરમેશ્વરના ચૈતન્યસ્વરૂપમાં ગમે તેવા ભયના પ્રસંગેથી જેમ કશી પણ વિક્રિયા કે હાનિ થવાનો સંભવ નથી, તેમ પરમેશ્વરને અંશ જે હું, તે મારામાં પણ ગમે તેવા ભયના પ્રસંગે પ્રાપ્ત થતાં પણ લેશ પણ વિક્રિયા કે હાનિ થવાને સંભવ નથી. અને જેમ સિનેમેટોગ્રાફના ખેલમાં કે મેજિકલેન્ટર્નના ખેલમાં ઘડાઓની પુષ્કળ દોડાદેડ થતાં છતાં પણ તે ઘેડા મને ચગદી નાંખવા સમર્થ નથી, કારણ હું તે સર્વથી પૃથક છું, અને પૃથક ન હોઉં તે પણ આ ઘોડાની દોડાદોડ આભાસ માત્ર છે, તેમ આ વિશ્વના સર્વ પ્રસંગો આભાસમાત્ર હોવાથી ગમે તેવા રૂપમાં દેખાય તેથી મને શી હાનિ થનાર છે? અને જ્યારે હાનિ થવાનો સંભવ નથી, તે પછી તેમના પ્રકટવાથી કે તેમના પ્રકટવાના અનુમાનથી મારે ભયભીત થવાનું શું પ્રયોજન છે? મીણને કે ચામડાને સાપ પોતાની ફણ ઊંચી કરીને મને કરડે તેથી શું મારે મરણનું ભય ધરવું, અને તેનું વિષ ઉતારવાને માટે દોડધામ કરી મૂકવી ? સર્વથા આ વિશ્વ જ્યારે દેખવા માત્ર છે, અને સાચું હોય તે પણ તેમાં જે જે બને છે, તે મારા જ હિતને માટે બને છે, તે પછી હિતના પ્રસંગેને પણ અહિત રૂપે કપી, મારે પિતે મારા જ પડછાયાવડે ભયને શા માટે પામવું જોઈએ?
૧૦૭. મનુઓ જે ભયના પ્રસંગેના અનુમાનથી ભયવડે છળી મરે છે, તેમાંથી એ પિણે પ્રસંગે તે ભવિષ્ય કાળમાં અદશ્ય રૂપે રહેલા હોય
૧૨