________________
વિચારરત્નરાશિ ]
મનનો નિષેધ કરવાથી સબળ શ્રદ્ધા આપોઆપ જ હૃદયમાં પ્રકટે છે. જેમ ટાઢના દિવસમાં મનુષ્ય તડકામાં બેસીને સૂર્યનાં કિરણને પિતાના શરીર પર આવવા દેઈ, ટાઢને ઉડાડે છે, અને સૂર્યનાં કિરણોમાંથી બળને આપનાર જીવનને પ્રાપ્ત કરે છે, તેમ મનુષ્ય ઈદ્રિયોના તથા મનના સર્વ વ્યાપાર છોડી દઈને અર્થાત કેવળ શાંત થઈને સર્વત્ર વ્યાપી રહેલા પરમાત્મારૂપ સૂર્યના સુખદ અને કલ્યાણકારક કિરણોને શરીર તથા મનમાં, નિત્ય અર્ધો કલાક કે કલાક શાંતપણે આવવા દેઈ, સંશય, ભય, આદિ વિકારેની ટાઢને ઉડાડવી જોઈએ. પરમાત્માનાં હિતકર આંદોલનના સમુદ્રમાં શરીર તથા મન ડૂબી ગયેલું છે, એવી સ્થિતિ મનવડે ધારીને તે સ્થિતિમાં અર્ધા કલાક અથવા કલાક નિત્ય વ્યતીત કરવાથી અંતઃકરણ નિર્ભય તથા પરમાત્મામાં અપૂર્વ શ્રદ્ધાવાળું થાય છે, એટલું જ નહિ, પરંતુ આવા સુખદ વિચારના સેવનથી ઉત્તરોત્તર મનુષ્યનું અધિક અધિક હિત જ સધાતું જાય છે.
૧૧૦. ભય અથવા દુઃખના પ્રસંગે પ્રકટ થનાર છે, એવો વિચાર કદી પણ સેવો નહિ. પ્રત્યેક પ્રસંગ અનુકૂળ જ થાય છે, એવો ભાવ હૃદયમાં જાગ્રત રાખે. અમુક મારે શત્રુ છે, અમુક મારું બગાડે છે, એવું કદી પણ માને નહિ. તમારા આત્મસ્વરૂપમાં, સર્વવ્યાપક પરમતત્વમાં શાંતપણે સ્થિર થાઓ. તમારું પિતાનું અભિમાન પરમાત્મામાં વિલાવી દો. તમારા શરીરતંત્રના તથા મનતંત્રના ચાલક (ચલાવનાર) પરમાત્માને જ થવા દે. તમારા જીવત્વવાળા મનને શાંત પાડે. તે શાંત પડતાં વિદ્યાત્મક મન પ્રકટેલું તમે જોશે. તમારા હૃદયમાં તમારા આત્મસ્વરૂપને, તમારા અંતર્યામી ઈશ્વરનો મધુર સ્વર તમે સાંભળશે. સશાસ્ત્રો અને મહાપુરુષે એને જ ઈશ્વરી પ્રેરણું કહે છે. એને જ દિવ્ય જ્ઞાન કહે છે. અન્ય પ્રજા એને inspiration અથવા revelation કહે છે.
૧૧૧. પિતાના વિચારો છોડી દેઈને જયારે મનુષ્ય પરમાત્મામાં સ્થિર થાય છે, અને જાગ્રત છતાં મનની સુષુપ્તિ જેવી અવસ્થા ભેગવે છે, ત્યારે પરમાત્મામાંથી તેને જે જોઈએ તે મળે છે. શ્રદ્ધા, સુખ, શાંતિ, જ્ઞાન, પ્રાણીમાત્રપ્રતિ પ્રેમ વગેરે સર્વ શુભ તેને પ્રાપ્ત થાય છે. જીવત્વના અથવા ભયના વિચારે શરીરના રસરુધિરાદિ ધાતુઓને વિષમય કરે છે; પરમાત્માના પૂર્વોક્ત વિચારો શરીરના રસરુધિરાદિ ધાતુઓને નિર્દોષ કરે છે, અને તેમની સમાન