________________
[ શ્રીવિશ્વવધવિચારરત્નાકર સ્થિતિ કરે છે. જીવના અથત ભયના વિચારો આપણું અંતરમાં રહેલા આત્મારૂપ તિના પ્રકાશને સર્વત્ર પ્રકાશ નાંખતાં પ્રતિબંધ કરનાર માટીનું આચ્છાદન છે. પરમાત્મામાં મનને વિલાવી પૂર્વોક્ત મનની શાંત સ્થિતિ કરવી, એ આપણું આત્મારૂપ જ્યોતિના પ્રકાશને પ્રતિબંધ કરનાર માટીના આચ્છાદનને ફેડી, તે પ્રકાશને સર્વત્ર પ્રસરવાની અનુકૂળતા કરી આપવા તુલ્ય છે. ભયને જીતવાને ઉપાય, ભયના વિચારો ન સેવતાં પરમાત્મામાં મનને વિલીન કરવું એ જ છે
૧૧૨. લીમડે, આબે, મહુડે, આંબલી વગેરે અનેક ક્ષે તમે સેંકડો પ્રસંગે જોયાં હશે. પરંતુ કેઈનાં ફળ કડવાં, કોઈનાં ખાટાં, કેઈન તૂરાં, કેઈનાં તીખાં, કોઈનાં મધુર, કેઈનાં ગળ્યાં, એમ વિવિધ ભેટવાળાં હોવાનું શું કારણ હશે, તેનો કોઈ દિવસ તમે વિચાર કર્યો છે? પેલા કારેલાના છેડને કડવાં ભીંગડાંવાળાં કારેલાં આવવાનું, પેલા વેંગણના છોડને સુંવાળી ઘેરા જાંબુડિયા રંગની છાલવાળાં લાંબાં અને સહજ મધુર સ્વાદવાળાં વેંગણ આવવાનું, પેલા મરચાંના છોડને લીલી મનહર છાલવાળું, મનુષ્યોની ટચલી આંગળી જેવડું અથવા તેથી પણ મેટું, જીભને ચમચમાવે એવું તીખું મરચું આવવાનું, પેલા ડુંગળીના છોડના મૂળમાં પચાસ પડવાળો, ગોળાકાર તથા વિલક્ષણ સ્વાદવાળે કંદ બાઝવામાં, અને એ જ પ્રમાણે અસંખ્ય વનસ્પતિઓને ભિન્નભિન્ન સ્વાદ, ભિન્નભિન્ન આકાર, ભિન્નભિન્ન ગુણ, ભિન્નભિન્ન પત્ર, ભિન્નભિન્ન પુષ્પ તથા ભિન્નભિન્ન ફળ આવામાં હેતુ હશે, તેનું કારણ ખોળી કાઢવા તમે તમારા મગજને કોઈ દિવસ પરિશ્રમ આપ્યો છે? આ સર્વ અઢાર ભાર વનસ્પતિને જન્મ આપનાર માતા જે પૃથ્વી તે એક જ છે, સર્વનું પિષણ જે જળવડે થાય છે, તે એક જ છે, સર્વને શ્વાસ લેવાની જે હવા તે એક જ છે, તથા સર્વની વૃદ્ધિમાં પ્રબળ હેતુ જે સૂર્ય, ચંદ્ર તથા વિવિધ રહે, તે પણ એક જ છે, છતાં કઈ વૃક્ષ સ હાથ ઊંચાં તે કઈ પચાસ હાથ ઊંચાં, કોઈ પાંચ હાથ ઊંચાં તે કઈ જમીનથી અર્ધ તસુ પણ ઊંચાં નહિ એવાં, કોઈ કાંટાવાળાં તે કોઈ કમળ, કેઈ સુગંધમય પુષ્પવાળાં તે કઈ વાસવિનાનાં અથવા દુર્ગધવાળાં, કેઈ નાનાં પાંદડાંવાળાં તે કઈમેટાં પાંદડાંવાળાં, કઈ પ્રાણીઓને પોષણ આપનાર તે કોઈ તેમને જીવ લેનાર, કેઈ ઉનાળામાં ઊગનાર તે કઈ શિયાળામાં ઊગનાર, કોઈ ચોમાસામાં ઊગનાર તે કઈ પાણી વિનાના રેતીના રણમાં ઊગનાર, કઈ પ્રકાશમાં ઊગનાર તે કોઈ પ્રકાશમાં