________________
વિચારરત્નરાશિ ]
૯૩ મરી જનાર, કઈ અંધારામાં વૃદ્ધિને પામનાર તે કઈ અંધારામાં સુકાઈ જનાર શાથી હોય છે ? વૃક્ષોના ગુણધર્મ-આકાર વગેરેમાં આવો ભેદ ક્યા પ્રબળ હેતુથી થાય છે
૧૧૩. વૃક્ષોની ઉત્પત્તિનું, પિષણનું, તથા વૃદ્ધિનું મૂળ કારણ જે પૃથ્વી, જળ, વાયુ, પ્રકાશ, તથા ગ્રહો એ સર્વ એક જ છતાં તેમાં આટલે બધે ભારે ભેદ પડી જવાનું કારણ અન્ય કેઈ નથી, પણ તેઓનાં બીજક છે. બીજકના ભેદથી વૃક્ષોના અસંખ્ય ભેદ પડી ગયા છે. પિષકતત્ત્વ એક જ છતાં બીજકરૂપ કારણના ભેદથી અસંખ્ય પ્રકારના ભેદ પડી ગયા છે.
૧૧૪. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ આદિ તો અનેક ગુણધર્મોને મહેદધિ છે. પ્રત્યેક બીજક તેમાંથી જે જોઈએ તે પિતાને માટે આકર્ષી લે છે. આ તમાંથી લીમડાનું અને ઈકવારણાનું બીજ, કડવા અણુઓને આકર્ષી કડવા વિજેવા લીમડાને અને ઇકવારણાને રચે છે, આંબાને ગેટલે અને કેળનું બીજ મધુર અણુઓને આકર્ષી અમૃત જેવી મિષ્ટ કેરીઓ તથા કેળાં સજે છે, આંબલીને ચૂકે તથા લિંબુનું બીજક ખાટા અણુઓને ખેંચી દાંતને ખટવી નાખે એવી આંબલી તથા લિંબુને બનાવે છે, અને ગુલાબ તથા મેગરાનાં બીજકે સુગંધમય પરમાણુઓને આકર્ષી મગજને ભારે પ્રસન્નતા ઉપજાવનાર ગુલાબ તથા મેગરાનાં પુપની રચનાને કરે છે. પૃથ્વી આદિ તોમાં સર્વ ભર્યું છે; ખેંચનાર બીજક પિતાના સ્વભાવ પ્રમાણે જેવું ખેંચે છે, તેવું તેને મળે છે.
૧૧૫. કુદરત આખા વિશ્વમાં એક જ નિયમે પ્રવર્તે છે, અને તેથી કરીને વનસ્પતિના અસંખ્ય ભેદ હવામાં જે મહાનિયમનું સામ્રાજય જોવામાં આવે છે, તે જ નિયમ કુદરતની અન્ય સૃષ્ટિ જે પ્રાણીઓની છે, તેમાં પણ પ્રવર્તે છે. કા સુંદર આકૃતિવાળો છે અને કદરૂપે છે, ન ઊંચે છે અને ઘ ઠીંગણે છે, જ મૂર્ખ છે અને છે વિદ્વાન છે, = સદ્દગુણી છે અને દુર્ગણી છે, સ ધનવાન છે અને ૪ નિર્ધન છે, શુરવાળો છે અને ૪ બીકણબિલાડી છે, ત ઉદ્યોગી છે અને થ આળસુ પથરે છે, એવા મનુષ્યોમાં આકૃતિના, સ્વભાવના, ગુણના અને સ્થિતિ આદિના અસંખ્ય ભેદો હોવામાં પણ મનુષ્યના બીજકેને ભેદ એ જ કારણ છે. ફળને ભેદ બીજક ભેદ હેવા વિના હેઈ શકતો નથી.
૧૧. વૃક્ષ જેમ પોતાનું પેષણ, વૃદ્ધિ વગેરે પૃથ્વી, જળ, વાયુ, સૂર્ય આદિમાંથી મેળવે છે, તે જ પ્રમાણે મનુષ્યો પણ પિતાનું પિષણ, વૃદ્ધિ આદિ