SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રીવિધવંદવિચારરત્નાકર એ જ તોમાંથી મેળવે છે. પરંતુ વૃક્ષે અને મનુષ્યમાં ભેદ છે. વૃક્ષોને ભેદ કેવળ તેઓના સ્થલ શરીરના ભેદવડે મનુષ્ય જાણે છે; મનુષ્યોને ભેદ તેઓના સ્થલ શરીરમાં હોવા ઉપરાંત તેઓની વિવિધ ક્રિયાવડે હોય છે. વૃક્ષામાં જ્યારે એકલું સ્થલ શરીર જ પોષણ, તથા વૃદ્ધિ વગેરેને પામતું જણાય છે, ત્યારે મનુષ્યમાં સ્થળ શરીરની વૃદ્ધિ તથા પિષણ થવા ઉપરાંત માનસિક શરીરની તથા આધ્યાત્મિક શરીરની વૃદ્ધિ તથા પોષણ થતાં અનુભવમાં આવે છે. વૃક્ષોનું જ્યારે એકલું સ્થલ શરીર ક્રિયા કરતું હોય છે, અને તેમનાં માનસિક તથા આધ્યાત્મિક શરીરે ગાઢ સુપ્તિમાં હોય છે, ત્યારે મનુષ્યોનાં તે ત્રણે શરીરમાં ક્રિયા વગેરેના ભેદે જણાય છે. મનુષ્યોનાં આ માનસિક તથા આધ્યાત્મિક શરીરને પોષણ આપનાર, વક્ષને પોષણ આપનારજે પૃથ્વીજળ વગેરે તો છે, તે ઉપરાંત એક ભિન્ન તત્વ છે, અને તે તત્વ તે પરમતત્વ અથવા પરમાત્મા છે. ૧૧૭. જેમ પૃથ્વી આદિ તરમાં અસંખ્ય ગુણધર્મો રહ્યા હોય છે, તેમ આ પરમતત્વ અથવા પરમાત્મામાં અસંખ્ય ગુણધર્મો રહ્યા છે, અને તેથી જ શાસ્ત્ર તથા સત્યુ પરમાત્માને અનંતશક્તિસંપન્ન કહે છે. જેમ પૃથ્વી આદિ તમાંથી બીજકે પોતાની જાતિના પ્રમાણમાં તેમાંથી ખાટા, ખારે, તીખો, વગેરે રસ ખેંચી તેવાતેવા ગુણધર્મોવાળાં ફળને પ્રકટાવે છે, તેમ આ અનંતશક્તિસંપન્ન પરમતવમાંથી મનુષ્યો પિતાને પ્રાપ્ત બીજકના પ્રમાણમાં સારાં અથવા કરતાં. ચોગ્ય અથવા અયોગ્ય ગુણધર્મવાળાં બળને આક્ય તેવાં તેવાં ગુણધર્મો વાળાં ફળનો અનુભવ કરે છે. વસ્તુતઃ પૃથ્વીને લીમડાને કડવો કરવાની અને આંબાને ગળે કરવાની પક્ષપાતબુદ્ધિ હોતી નથી; તે બીજક પિતે જ પિતાની મળે કડવો તથા ગળે રસ આકર્ષી કડવાં તથા ગળ્યાં ફળને ઉપજાવવામાં કારણ હોય છે, તેમ મનુષ્યોને કાળા કે ગોરા, ઊંચા કે નીચા, મૂર્ખ કે વિદ્વાન, દરિદ્ર કે ધનવાન–એમ વિવિધ ભેટવાળા કરવાની પક્ષપાતબુદ્ધિ પરમાત્મામાં છે નહિ, પણ મનુષ્યો પિતે જ પિતાની મેળે સર્વ ગુણધર્મના મહેદધિ પરમાત્મામાંથી તે તે ગુણધર્મ તથા સ્થિતિને પ્રાપ્ત કરી લે છે. ૧૧૮. જે બીજકડે મનુ પરમાત્મામાંથી નિર્ધન સ્થિતિરૂપી ધનવાન સ્થિતિરૂપી, વિદ્વાનની સ્થિતિરૂપી કે અવિદ્વાનની સ્થિતિરૂપી, અને એવી જ અસંખ્ય પ્રકારની ભિન્ન ભિન્ન સ્થિતિઓરૂપી રસને આકર્ષીને, નિર્ધન કે ધનવાન, વિદ્વાન કે અવિદ્વાન, રેગી કે નરેગ થાય છે, તે બીજકને સશાસ્ત્રો
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy