SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ અંતઃકરણમાં તે પ્રકટ થાય છે, ત્યાં પ્રથમ તે અંતઃકરણને ઉચ્ચ ગુણેને વિનાશ કરે છે, પછી શરીરની સાતે ધાતુઓનું શોષણ કરે છે, અને પરિણામે મનુષ્યની બાહ્ય સુખસંપત્તિને લય કરે છે. તે અગ્નિની પેઠે જ્યાં પ્રકટે છે, ત્યાં વિનાશને જ પ્રવર્તાવે છે. ૮૫. મનુષ્ય જન્મે છે ત્યારથી તે ભયમાં ઊછરે છે, ભયમાં મેટે થાય છે, અને ભયમાં જ ડૂબેલે મરે છે, એમ કહીએ તો ખોટું નથી. બાળકને દિવસમાં સેંકડો પ્રસંગ ભયથી કંપાયમાન થવાના આરે છે. જેમ જેમ તે મોટું થાય છે, તેમ તેમ અધિક અધિક ભયના પ્રસંગે ઊપજતા જાય છે. તે ખાતાં ભય પામે છે, પાણી પિતાં ભય પામે છે, બેસતાં ભય પામે છે, ઊઠતાં ભય પામે છે. પ્રત્યેક ક્રિયામાં ભય તેને ત્યજ નથી. આમ કરીશ તે આમ થશે, આમ જઈશ તો આવું દુઃખ આવી પડશે, આ ક્રિયામાં જોડાઈશ તે કોણ જાણે શુંનું શું થઈ જશે, એવા એવા અસંખ્ય વિચારોથી મનુષ્યને મોટે ભાગ ભયાકુલ અને ભયત્રસ્ત રહે છે. મનુષ્યના અંતરના ઊંડા ભાગમાં પ્રવેશ કરીને જોઈએ છીએ તે જાગ્રતમાં કે સ્વપ્નમાં તે કવચિત જ ભયથી મુક્ત જોવામાં આવે છે. ૯૬. અને આમ છતાં, વસ્તુવિચારથી, મનુષ્યોને ભય ધરવાનું કશું જ પ્રોજન હેતું નથી. ભયનું આ મોટું ગંજાવર મકાન રેતીના પાયા ઉપર ચણયેલું હોય છે. તે દોરડીમાં જણાતા સાપજેવું મિથ્યા છે. તે કાગળમાં ચીતરેલા વાઘની પેઠે વૃથા જ છળાવી મારનાર છે. તે લાકડાના ઠૂંઠામાં જણાતા ચોરની પેઠે મિથ્યા પ્રજાવનાર છે. અનાદિ કાળથી મનુષ્યોએ પોતાની કલ્પનાથી જ આ ભયના અસંખ્ય વિચારને રચેલા હોય છે. જેમ ચોરની અને ભૂતની વાતે સાંભળીને અજ્ઞાન મનુષ્યો ઘરમાં બિલાડીને પગરવ થતાં છળી મરે છે, પવનથી બારણું ખખડતાં કંપી ઊઠે છે, અને તેમને પરસેવાના બેઝેબ છૂટી જાય છે, તેમ મનુ મિથ્યા કલ્પનાવડે જ, ભયનાં સ્વરૂપ રચી છળી મરે છે, અને કંપી ઉઠે છે. તેમની મિથ્યા કલ્પના જ, તેમના મિથ્યા વિચારે જ, તેમને ભયના પ્રસંગે તેમના આગળ મૂર્તિમાન રચી દેખાડે છે. ૯૭. સર્વત્ર વ્યાપી રહેલી પરમ કલ્યાણકારક સત્તા જેને શાસ્ત્રો પર માત્મા, પરમેશ્વર, પરમતત્વ, એવાં એવાં અસંખ્ય નામથી ઓળખે છે, તેમાં અશ્રદ્ધા, અથવા અવિશ્વાસ, એ જ આ અસખ્ય પ્રકારના ભયનું મૂળ કારણ છે. પરમાત્મા સર્વત્ર વ્યાપી રહેલા છે, અને તે પ્રાણીમાત્રનું નિરંતર હિત કરે છે, એ વાર્તાનું અજ્ઞાન એ જ આ વિવિધ ભેજવાળા ભયને હેતુ છે.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy