SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ [[ શ્રી વિશ્વવઘવિચારરત્નાકર પચાસ ચરુ છે, એવું કઈ વિશ્વાસપાત્ર મનુષ્ય તમને કહ્યું, તે તે જ ક્ષણે શું તમારા હાથમાં મહેરે આવી પડે છે? ના. તમે પ્રથમ તે વાત દઢપણે માને છે. પછી જમીન ખેદવાનાં સાધને એકઠાં કરે છે. પચાસ ચરુ જમીનમાં છે જ, એવું વિશ્વાસપૂર્વક માનતા તથા તેનું વારંવાર સ્મરણ કરતા એકલા કેઈન જાણે એમ તમે જમીનને કંટાળ્યા વિના ખોદ્યા કરે છે. એક હાથ, બે હાથ કે દશ હાથ ખેદી તમે અટકતા નથી. ચૌદ હાથ દતાં પણ કશું જ ન જણાતાં તમે નિરાશ થતા નથી. તમે પૂરા પંદર હાથ ખેદ છે, ત્યારે જ તમે ચને જુએ છે. ચોદ હાથ સુધી તમારા હાથમાં માટી ને કાંકરા વિના કશું જ આવ્યું ન હતું. પૂર્ણ ખોદી રહ્યું જ તમે ફળને અનુભવો છો. પ્રયત્નના પરિપાકમાં જ ફળનો અનુભવ હોય છે. તે પૂર્વે તે પરિશ્રમ જ હોય છે. વિશુદ્ધ પ્રેમને હૃદયમાં પ્રકટાવતાં પણ તમારે આમ જ કરવાનું છે. વિશુદ્ધ પ્રેમ પ્રકટ થતા પર્યત પુનઃપુનઃ ભાવનારૂપ કેદાળીથી ખોદ્યા જ કરવાનું છે. કશું ન જણાય, ફળને અનુભવ ન થાય તે પણ વિચારની શુદ્ધ કળાને સેવ્યા કરવાની છે. જેમ એકએક તસુ ખોદતાં ધનના ચની પાસે પહોંચાતું જાય છે, તેમ પ્રત્યેક ક્ષણે વિશુદ્ધ પ્રેમની ભાવનાને સેવતાં અંતઃકરણમાં વિશુદ્ધ પ્રેમના સંસ્કાર દઢ થતા તથા પિષાતા જાય છે, વૃત્તિઓને વિશુદ્ધ પ્રેમ સાથે પરિચય પડતું જાય છે, અને પરિણામમાં તેઓ વિશુદ્ધ પ્રેમમય જ થઈ જાય છે. ૯૨. વિશુદ્ધ પ્રેમમાં અને ઈશ્વરમાં કશે જ ભેદ નથી. તેથી કરીને વિશુદ્ધ પ્રેમમય થવું, અને ઈશ્વરસ્વરૂપ થવું એ ઉભય સરખાં છે. મનુષ્ય જેટલા અંશમાં વિશુદ્ધ પ્રેમની કળાને પિતાના હૃદયમાં વધારે જાય છે, તેટલા અંશમાં તે ઈશ્વરમય થતું જાય છે; અને ઈશ્વરમય થવું એટલે સર્વ સામર્થ્ય યુક્ત થવું એ જ છે. તેથી મનુષ્ય જેમ જેમ વિશુદ્ધ પ્રેમમય થતું જાય છે, તેમ તેમ તે અધિક સામર્થ્યયુક્ત થતું જાય છે. સર્વઉપર અત્યંત પ્રેમ ધરવોસર્વાત્મભાવના કરવી—એ સામર્થ્યમાત્રને ઉપાય છે. ૩. પ્રિયતમ! તેથી સર્વત્ર આત્મભાવના પ્રકા. જ્યાં ત્યાં પ્રેમને પ્રવર્તા. પ્રેમવિના બીજો કઈ ભાવ હૃદયમાં પ્રકટેલે જોશે નહિ. કીટથી તે બ્રહ્માપર્યત સર્વમાં વિશુદ્ધ પ્રેમ સે. જે જે ક્રિયા કરે, તે સર્વમાં વિશુદ્ધ પ્રેમને કરે. તમે પ્રેમસ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ થઈ જશે. ૯૪. ભય એ નામને વિકાર મનુષ્યને અત્યંત હાનિ કરનાર છે. જે
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy