SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર ૯૮. એક શુની( કૂતરી)ની પક્ષે ઊભેલું કુરકુરિયું પણ, મારી માતા મારું રક્ષણ કરવા સમીપ છે, એવા જ્ઞાનવડે ઊભી પૂંછડી રાખી, વિશ્વને તૃણવત લેખતું કઈ પણ પ્રાણી તેની પાસે આવે છે તે ઘુરકિયાં કરતું નિર્ભયપણે વિચરે છે, તથાપિ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ હે ઈશ્વર ! તમે મારાં માતા છો, તમે મારા પિતા છે, તમે મારા રક્ષક છે, એમ નિત્ય વદનાર અસંખ્ય બુદ્ધિમાન મનુષ્યો આ વિશ્વમાં નિરંતર ભયભીત રહે છે. શાસ્ત્રાભ્યાસ કરનારા, અને પરમેશ્વરવિના આ જગતમાં બીજું કંઈ જ નથી, સર્વ વિરું બ્રહ્મા આ સર્વ બ્રહ્મ છે, એવું દિવસમાં સેંકડો વાર બોલનાર અનેક પંડિતે અંતરમાં ભયવડે પૂજતા રહે છે. સ ને શરણે થયેલા, અને સદગુરુને શરણે થયેલાનું કઈ દિવસ કેઈ કાળે અહિત થતું જ નથી, એવું માનનારા અને કહેનારા અનેક સાધકે સામાન્ય સરખા જણાતા અનેક વ્યવહારના પ્રસંગે પ્રાપ્ત થતાં ભયવડે હૃદયને સંકેચાયેલું અનુભવે છે. આનું કારણ અન્ય કંઈ જ નથી, પરંતુ તેઓને ઈશ્વરમાં, તેઓના જ્ઞાનમાં, અને સદ્ગુના સામર્થ્યમાં અશ્રદ્ધા હોય છે. ૯૯. પરમેશ્વર આપણે માતાપિતા છે, આપણું રક્ષક છે, અને આપણે તેમનાં બાળક છીએ, તે પછી ભય ધરવાનું શું પ્રયોજન છે? પરમેશ્વર સર્વત્ર વ્યાપી રહેલા છે, અને પરમેશ્વરવિના જે જે જણાય છે, તે ઝાંઝવાના જળની પિઠે અથવા સ્વમમાં જણાતા પ્રસંગોની પેઠે મિથ્યા છે, તે પછી ભયને શા માટે ધરવો? સિંહનું બાળક સિંહની સેડમાં સૂતેલું છતાં શિયાળના પિકારથી છળી મરે તે શું તે સ્પષ્ટ નથી સૂચવતું કે તેને સિંહના સામર્થ્યનું ભાન નથી? પરમેશ્વરના સ્વરૂપનું તથા તેમની સાથે આપણું સંબંધનું અજ્ઞાન એ જ ભયને પ્રબળ હેતુ છે. ૧૦૦. આપણા ભયના વિચારો જ ભયના પ્રસંગે સજે છે. આપણે ભયના વિચારે જ માત્ર જે વસ્તુતઃ નથી, તેને આપણી દષ્ટિમાં સત્ય કરી દેખાડે છે જેમ ઘરમાં ચેર અથવા ભૂત હોતું નથી, પણ બાળકના ભયના વિચારે જ તેને ધરમાં ચેર અથવા ભૂત હેવાનું ભાન કરાવે છે, તેમ આપણા ભયના વિચારો જ, જગતમાં ભયજેવું કશું જ હોવા ને છતાં આપણને ભયનું ભાન કરાવે છે, કારણ સમગ્ર જગત કલ્પનામય છે. મનુષ્ય જેવી કલ્પના કરે છે, તેવું તે પિતાની દષ્ટિ. સમીપ રચાયેલું અનુભવે છે. અધ્યાત્મશાસ્ત્રના સુપ્રસિદ્ધ નિયમાનુસાર મનુષ્ય જેનું દૃઢપણે ચિંતન કરે છે, તેને તે પ્રાપ્ત થયેલું અનુભવે છે. જેનાથી મનુષ્ય
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy