________________
વિચારરત્નરાશિ ]
શાંતિને આપે છે, એટલું જ નહિ, પણ તે જ્ઞાનનાં અમૃતમય કિરણોના પ્રકાશવડે જ્યાંત્યાં સર્વને સુખી કરે છે. ધનવાન થવાને માટે આ વ્યાપાર અને પેલે વ્યાપાર કરવાને, આ ઉપરી અને પેલા ઉપરીની ખુશામત કરવાને, આનું મન રાખવા અને તેનું મન રાખવાને સંતાપકારક પરિશ્રમ શા માટે ? છે ? વિશુદ્ધ પ્રેમને આશ્રય લે, કારણ કે સંપત્તિ વિશુદ્ધ પ્રેમની પાછળ પાછળ દાસીની પેઠે અનુસરે છે.
૮૨. આ વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ શું ? શું કોઈ અનુપમ લાવણ્યમયી સ્ત્રીના ઉપર અત્યંત પ્રીતિ કરવી, તેને માટે પ્રાણ અર્પી દે, તેને દુઃખી જોઈ બ્રહ્માંડ ગુટી પડતું હોય એવા દુઃખનો અનુભવ કરવો, અને સ્વલ્પમાં તેને પિતાનું સર્વસ્વ અર્પી દેવું, એ શું આ વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ છે ? અથવા શું પિતાના કઈ પ્રિય મિત્ર કે પ્રિય પુત્ર કે પ્રિય સંબંધી માટે ઉપર કહેલું સર્વ કરવું એ વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ છે? અથવા શું કઈ અમુક વસ્તુમાટે અથવા પિતાના દેશમાટે, કે પિતાના જાતિભાઈઓ માટે આમ કરવું એ વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ છે? અથવા કોઈ દેવળમાં બેસાડેલી ઈશ્વરની પ્રતિમામાટે, અથવા મર્યાદાવાળા દેહમાં જણાતા કોઈ મહાપુરુષમાટે, અથવા સ્વર્ગમાં કે વિષ્ણુલેકમાં કે બ્રહ્મલમાં માની લીધેલા ઈશ્વરના કોઈ સ્વરૂપ માટે ઉપર કહેલું સર્વ કરવું, એ શું વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ છે?
૮૩. ઉપર વણેલા વિવિધ પ્રાણીપદાર્થ વગેરે પ્રતિને પ્રેમવાળે વ્યવહાર એ વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ નથી. એમાં પ્રેમના અંશો આવે છે, એ વાત સાચી છે, પરંતુ પ્રેમ પૂર્ણ કળાએ તેમાં પ્રકાશ નથી. એમાં પ્રેમના ઘેડા અંશે આવતા હોવાથી તે વડે સુખનું ભાન થાય છે, તથા વિવિધ લાભ થાય છે, પણ તે પૂર્ણ કળાવાળો પ્રેમ ન હોવાથી તેથી પૂર્ણ સુખનું, પૂર્ણ લાભનું ભાન થતું નથી. પૂર્ણ પ્રેમ અથવા વિશુદ્ધ પ્રેમમાં અમુકઉપર પ્રેમ અને તે વિનાના અન્ય સર્વઉપર પ્રેમને અભાવ હેત નથી. સૂર્ય જેમ જ્યાં પ્રકટે છે, ત્યાં એક સ્થળે એ છો અને એક સ્થળે વધારે એમ પ્રકાશ નાંખતે નથી, પણ સર્વત્ર સરખો પ્રકાશ નાખે છે, તેમ વિશુદ્ધ પ્રેમને એક વસ્તુ પ્રેમ કરવા યોગ્ય અને એક પ્રેમ ન કરવા યોગ્ય એમ હોતું નથી. વિશુદ્ધ પ્રેમમાં આ ગ્રહણ કરવા જેવું અને આ ટાળી નાંખવા જેવું, એવું કાંઈ જ હોતું નથી. વિશુદ્ધ પ્રેમમાં મર્યાદા નથી. વિશુદ્ધ પ્રેમ એક દેશમાં બંધાયેલે હોતો નથી. તે અમર્યાદ હોય છે, તે સર્વવ્યાપક હોય છે. તેને મારું તારું, સારું નઠારું, યોગ્ય અયોગ્ય