________________
વિચારરત્નશિ]
c૭ આત્મસ્વરૂપને જ અંતઃકરણમાં પ્રવેશી ચિંતે છે, તેઓ ક્રમે ક્રમે સર્વ વિધી વૃત્તિઓના નિગ્રહને સાધી અખંડ આત્માકાર વૃત્તિ રાખવા સમર્થ થાય છે અંતરાત્મા અંતર હોવાથી સંયમવડે અંતર ઊતરનાર જ અંતરાત્માને અપક્ષ કરી શકે છે. અન્નમય કોશમાંથી જેઓ વૃત્તિઓના સમૂહને પ્રાણમય કેશમાં સ્થાપતા નથી, પ્રાણમય કોશમાંથી તેમને અંતર આકપ મને મયકેશમાં સ્થાપતા નથી, મનમય કેશમાંથી વિજ્ઞાનમયમાં, અને વિજ્ઞાનમયમાંથી આનંદમય કેશમાં સ્થાપતા નથી, તેઓ બ્રહ્માનંદરૂપી અમૃતનું પાન કરી મત્સ્ય દેહમાં અમરત્વ અનુભવતા નથી. પાંચ પથારવાળી વાવના પહેલા પથાર ઉપર ઊભે રહેનાર જેમ જળનું પાન કરી શકતા નથી, તેમ અન્નમય કેશમાં અર્થાત સ્કૂલ દેહના અને ઈદ્રિયોના વ્યાપારવાળા પહેલા પથાર ઉપર રમ્યા કરનાર બ્રહ્માનંદજળ પી શકતો નથી. અન્નમય કોશમાંથી ભીતર પ્રાણમય કેશમાં ઊતરતાં ઈદ્રિયોનું ચાંલ્ય શમે છે. પ્રાણમય કેશમાંથી ભીતર મને મય કેશમાં ઊતરતાં પ્રાણને વેગ શિથિલ થાય છે, મનમય કેશમાંથી ભીતર વિજ્ઞાનમયમાં ઊતરતાં મને સંકલ્પવિકલ્પ ધર્મને ત્યજે છે, અને વિજ્ઞાનમયમાંથી ભીતર આનંદમયમાં ઊતરતાં બુદ્ધિ આત્મસ્વરૂપમાં સુસ્થિર અને સુપ્રતિષ્ઠિત થાય છે.
૭૭. આત્મસ્વરૂપ સુસ્થિર અને નિર્વ્યાપાર છે. તેમાં સ્થિત થનાર સુસ્થિર અને નિવ્યપાર થાય છે. મન, વાણી, બુદ્ધિ, ઈદ્રિય ત્યાં અક્રિય થાય છે. ત્યાં ત્રિવિધ તાપને સ્પર્શ નથી.
૭૮. ગાયન ઉત્તમ પ્રકારની કળા છતાં તથા તે વિધિવડે સેવવાથી મોક્ષપર્યંતના સર્વોત્તમ સુખને અર્પનારી છતાં પણ ઘણે ભાગે હલકા પ્રકારના દુરાચરણી લેકેમાં તેને પ્રસાર થયેલ હોવાથી, જેમ આપણે લોકોમાં તે કળાને માટે હલકે વિચાર બેસી ગયો છે, અને તેથી અત્યંત હાનિ થવાને સંભવ મનાય છે, તેમ પ્રેમ એ ગુણ વસ્તુતઃ ઈશ્વરને અંશ અથવા ઈશ્વરસ્વરૂપ હોવાથી મનુષ્યનું સર્વોત્તમ હિત સાધનાર છતાં પણ વિવિધ દુરાચરણી મનુષ્યોએ વિષયનાં સુખ પ્રાપ્ત કરવામાં તેને ઉપયોગ કરેલ હોવાથી, ઘણા મનો પ્રેમ એ શબ્દથી ભડકે છે, અને તે કઈ અત્યંત હાનિ કરનારે ગુણ છે, એમ માને છે. પરંતુ યોગ્ય વિચારથી પ્રેમ આ વિશ્વમાં મોટામાં મેટે સર્વોત્તમ ગુણ છે. જીવનમાં મનુષ્યનું સર્વોત્તમ કલ્યાણ કરનારી પ્રેમ જેવી અન્ય એકે વસ્તુ નથી. યથાર્થ પ્રેમ જે અંતઃકરણમાં પ્રકટે છે, તેને શું શું