________________
e}
[ શ્રી વિશ્વવવિચારરત્નાકર
પુસ્તક મૂકી ખીજું વાંચે છે, ખીજુ મૂકી ત્રીજું વાંચે છે, એમ વાંચવામાં જ વિશેષ કાળ ગાળે છે.
૭૪. ફળ ન જણાવામાં મનન અને નિદિધ્યાસનના અભાવ એ મુખ્ય કારણ છે. એક વિદ્વાનના એવા અભિપ્રાય છે કે શાસ્ત્રાભ્યાસ એક કલાક કર્યાં હાય તો દશ કલાક મનન કરવુ જોએ, અને મનન દશ કલાક કર્યુ હાય તા સા લાક નિદિધ્યાસન કરવું જોઈએ. જેમ ભજન કરનાર મનુષ્ય ભાજન તે માત્ર પા કે અર્ધા કલાકમાં કરી લે છે, પણ જારમાં તેના પરિપાક થવાને વચ્ચે સાતઆઠ કલાક જવા દે છે, તેમ શાસ્ત્રાભ્યાસના મનનને માટે અધિક કાળ ગાળવા જોઈએ. અને જેમ જારમાં પરિપાક થયેલા આહારની વીય પર્યંત ધાતુ થતાં ચાળીશ દિવસ લાગે છે, તેમ મનન કરેલા અને અંતઃકરણમાં આરૂઢ કરવા માટે મનનથી પણ અધિક કાળ ગાળવા જોઈએ. આમ નથી કરવામાં આવતું તે જેમ અન્નના પરિપાક થયા વિના, જારમાં અન્ન કલાકે કલાકે નાંખવામાં આવે તે તે ધાતુરૂપ કે પુષ્ટિરૂપ ન થતાં મળરૂપ અથવા વિષરૂપ થાય છે, તેમ મનન અને નિદિધ્યાસનવિના શાસ્ત્રાભ્યાસ મેાક્ષસાધક ન થતાં મિથ્યા ભારરૂપ થાય છે.
૭૫. શ્રવણકરતાં મનનમાં વિચારને વેગ શિથિલ થાય છે, અને મનન. કરતાં નિદ્દિષ્યાસનમાં તે અત્યંત શિથિલ થાય છે, જેમ ધ્યાનમાં ધ્યાન કરવાની વસ્તુમાત્રના જ વિચાર ધ્યાન કરનારની વૃત્તિમાં આરૂઢ હોય છે, સ્ત્રીપુત્ર, ઘર, ખાર, કે એવી સેંકડા અને હજારા વસ્તુઓની હારની હાર નૃત્તિમાં સ્ફુરતી નથી, તેમ નિદિધ્યાસનમાં પોતાના આત્મસ્વરૂપના એક જ વિચાર વૃત્તિમાં આરૂઢ હાય છે, આ દશ્યના સેકડા કે હજારા વિચારો કે પોતાના વવના વિચારો વૃત્તિમાં સ્ફુરતા નથી. આત્મસ્વરૂપના એક જ વિચાર વૃત્તિમાં આરૂઢ હાય છે, ત્યારે વિચારનું ચાંચલ્ય હેતુ નથી, પણ વાયુવિનાના સ્થળમાં જેમ દીપકની જ્યોતિ નિષ્ક`પ ઝગઝગે છે, તેમ વિચારની એક આત્મસ્વરૂપમાં જ અચલ સ્થિતિ હેાય છે. વિચારની આવી આત્માકારા અચલ સ્થિતિ જીવત્વને ટાળી, બ્રહ્મત્વના અખંડ અનુભવ કરાવે છે.
૭૬. પુસ્તકનું પાનું હાથમાં રાખી માત્ર વાંચ્યા કરવાથી શી રીતે આવી સ્થિતિ પ્રાપ્ત થાય ? આવી સ્થિતિ પ્રાપ્ત કરવા સ`યમ એ જ સમ ઉપાય છે, જેઓ અસખ્ય પદાનું ચિંતન કરતી વ્રુત્તિને પાછી વાળી એકલા પોતાના