SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦. [ શ્રીવિવવધવિચારરત્નાકર ૬૧. શુદ્ધ વિચારને સેવતાં મહાપુરુષ, દેવ, સિદ્ધો, અને ઈશિકાટિઓનું જ્ઞાત અજ્ઞાત સાહાગ્ય મળતું જ રહે છે. તમને શુદ્ધ વિચાર સેવતાં છતાં પણ જે આવું સાહા ન મળ્યું હોય તે નિશ્ચય માનજે કે તમારા શુદ્ધ વિચારના સેવનમાં જ દેષ છે. કાં તે તમે એક પગ દૂધમાં અને એક દહીંમાં રાખો છો, અર્થાત તમે જેમ શુદ્ધ વિચારને સેવો છે, તેમ અશુદ્ધને પણ સે છે, અથવા તે તમારા શુદ્ધ વિચારને વેગ દુર્બળ છે. જેમ શુદ્ધ વિચાર તમારા પ્રતિ દેવાદિને આધ લાવે છે, તેમ અશુદ્ધ વિચાર મલિન સોને તમારા પ્રતિ આકર્ષ આણે છે, અને તેથી જેમ દશ રૂપિયા પ્રાપ્ત કરનાર અને દશ ખરચનારને એક પાઈને પણ ઉગારે પડતો નથી, તેમ તમારી અવસ્થા થાય છે. શુદ્ધ વિચારનું ખરું સામર્થ્ય અનુભવવાની જે તમારે ઇચ્છા હોય તે અશુદ્ધને નિઃશેષ ત્યાગ કરે. શુદ્ધ વિચારના સેવનમાં વચલે માર્ગ છે જ નહિ. એક પગ દૂધમાં અને એક પગ દહીંમાં જેવું ત્યાં નીભી શકતું જ નથી. સર્વ સમય સર્વ અવસ્થામાં શુદ્ધ વિચારનું સેવન એ જ સર્વ પ્રકારના સામર્થન અનુભવ કરાવે છે. ક૨. શુદ્ધ વિચારનું સ્વરૂપ શું, એમ અનેક મનુષ્યો અનેક પ્રસંગે પૂછે છે. અસંખ્ય ગ્રંથ અસંખ્ય પ્રકારે શુદ્ધ વિચારનું સ્વરૂપ ગણે છે, પણ એ સર્વ પ્રતિપાદન તાત્પર્યમાં સમાન અર્થવાળાં હોય છે. શ્રી શંકર ભગવાન લોકના અર્ધ ચરણથી જ શુદ્ધ વિચારનું સ્વરૂપ વણે છે, અને તે એ કે વો દ્રવ ના: જીવ બ્રહ્મ જ છે, તે બ્રહ્મથી જુદો નથી. આટલા સૂત્રવાક્યમાં શ્રીશંકર ભગવાને જે ગંભીર અર્થને સમાવેશ કર્યો છે, તે સામાન્ય મતિના લક્ષમાં ઊતરતું નથી. અસંખ્ય મનુષ્યો અસંખ્ય પ્રસંગે આ વાક્ય વાંચે છે તથાપિ તે તે વાક્ય જેમ જળઉપર લખેલા અક્ષરે એક ક્ષણવાર પણ જળઉપર ટકતા નથી, તેમ તેમના હૃદયમાં એક ક્ષણવાર ટકતું નથી. હું જે જીવ કહેવાઉં છું, તે જીવ નથી પણ બ્રહ્મ જ છું, જીવના જે અજ્ઞાન, દુઃખ આદિ ધર્મો તે મારા નથી, પણ બ્રહ્મના જે સચ્ચિદાનંદ ધર્મો તે મારા છે, આ પ્રકારના જ વિચારને અંતઃકરણમાં અખંડ ટકાવી રાખે એનું નામ સર્વોત્તમ શુદ્ધ વિચાર છે. ૬૩. આ સર્વોત્તમ શુદ્ધ વિચાર જે અંતઃકરણમાં સ્થિર થાય છે, તે અંતઃકરણમાં કામ, ક્રોધ, લોભ આદિ કોઈ વિકારવાળે અશુદ્ધ વિચાર ક્ષણ પણ પ્રકટી શકતું નથી. કામ પ્રટો, ક્રોધ પ્રકટો, લોભ , એ સર્વ જીવના ધર્મો છે. બ્રહ્મ નિષ્કામ છે, ક્રોધરહિત છે, આતકામ હોવાથી નિર્લોભ
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy