________________
વિચારરત્નરાશિ ]
વાને સરળ ઉપાય પણ એ જ છે કે નકામા શોક અને સંતાપ ત્યજી દેઈને, તથા સ્ત્રીની પેઠે આંખમાંથી આંસુ પાડવાં છોડી દઈને શુદ્ધ વિચારને સેવ. શુદ્ધ વિચાર સેવાતાં, વાતાવરણમાં રહેલા અસંખ્ય શુદ્ધ વિચારે તમારા પ્રતિ આકર્ષાઈ આવતાં, અશુદ્ધ વિચારે આપ આપ અળપાઈ જશે, અને તમે તમારા મૂળ વિશુદ્ધ સ્વરૂપે થઈ રહેશે.
૫૯ શુદ્ધ વિચાર સેવાતાં, એકલાં શુદ્ધ વિચારનાં દેલનો જ આપણું પ્રતિ આકર્ષાઈ આવે છે, એમ નથી, પણ જે જે વ્યકિતઓ તેવા વિચારને સેવતી હોય છે, તે વ્યક્તિઓ પણ આપણે પ્રતિ આકર્ષાઈ આવે છે. અને એમ થતાં તે તે વ્યક્તિઓ દ્વારા આપણને અનેક પ્રકારનું સાહા મળે છે. આરંભમાં શુદ્ધ વિચારને સેવનારપ્રતિ આ મનુષ્યલોકની વ્યક્તિઓ આકર્ષાઈ આવે છે, પણ જેમ જેમ તે મનુષ્ય અધિક અધિક શુદ્ધ વિચાર સેવતે જાય છે, તેમ તેમ ઉદ્ધ લેકેની દેવવ્યક્તિઓ પણ તેના પ્રતિ આકર્ષાઈ આવે છે, અને આ શુદ્ધ વિચારની પરાકાષ્ટામાં તે સબલ બ્રહ્મનું લીલાતનું પણ તે શુદ્ધ વિચારને સેવનારપ્રતિ આર્ષાઈ આવે છે. ધ્રુવનું ઉદાહરણ જ વિચારી જુઓ. ઈશ્વરની ઉપાસના કરવાને શુદ્ધ આગ્રહ ધ્રુવના હૃદયમાં ઉદય થતાં, આ મૃત્યુલોકમાં તેવી ઉપાસનામાં રત રહેનાર નારદમુનિ તેમના પ્રતિ આકર્ષાઈ આવ્યા, અને તેમનું તેમને સાહાપ્ય મળ્યું. અને નારદમુનિદ્વારા પ્રાપ્ત થયેલા ઉપાસનાના શુદ્ધ વિચારમાં, ટાઢ, તડકે, સુધા તુષા કશાને ન ગણકારી, દઢ આગ્રહથી અને પ્રબળ વેગથી ધ્રુવ મચા રહ્યા તે તેમના પ્રતિ કણ આકર્ષાઈ આવ્યું? સાક્ષાત વિષ્ણુ ભગવાન જે ભાગવતમાં સબલ બ્રહ્મના જ લીલાતનુરૂપે વર્ણવ્યા છે તે. આ કરતાં શુદ્ધ વિચારના સામર્થ્યનું બળવત્તર પ્રમાણુ બીજુ કયું જોઈએ? શુદ્ધ વિચારના આશ્ચર્યકારક સામર્થ્યનાં આવાં આવાં અસંખ્ય પ્રમાણે શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે.
૬૦. ઉપાસના અથવા ભક્તિ અથવા જપ અથવા તત્ત્વવિચાર એ અન્ય કંઈ નથી પણ આ શુદ્ધ વિચારનાં જ બીજાં નામ છે. ઉપાસનામાં અથવા જપમાં ઉપાસક અથવા જપ કરનાર પિતાના ઉપાસ્ય દેવને શુદ્ધ વિચાર હૃદયમાં નિરંતર જાગ્રત રાખે છે. તત્ત્વવિચારમાં તત્વસાધક શુદ્ધ તત્વના વિચારને પિતાના અંતઃકરણમાં અખંડ આરૂઢ રાખવાનો પ્રયત્ન સેવે છે. સાધનમાત્રને ઉદ્દેશ શુદ્ધ વિચારરૂપ લક્ષ્યની જ સિદ્ધિમાં સાધકને જેવા હોય છે.