SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ ] ' છે. હું બ્રહ્મ હોવાથી હું પણ નિષ્કામ કે ધરહિત તથા આતકામ છું. આ પ્રકારના વિચારો વડે સાધક અભ્યાસકાળે વિવિદ્ધ અશુદ્ધ વિચારેના વેગને ખાળે છે, અને શુદ્ધ વિચારના વેગને જાગ્રત રાખે છે, તે અભ્યાસને પરિપાક થતાં તે અવશ્ય પોતાના બ્રહ્મત્વને સ્યુટ અનુભવ કરે છે. બ્રહ્મને અનેક મનુષ્યને રૂટ અનુભવ ન થવામાં શુદ્ધ વિચારના અભ્યાસની ન્યૂનતા એ જ હેતુ હોય છે. તેઓ દિવસના વેવિશ કે સાડી વિશ કલાક પિતાના જીવના વિચારોને અભ્યાસ કરે છે, અને કલાક કે અર્ધો કલાક અસ્થિર વૃત્તિએ બ્રહ્મત્વનું ચિંતન કરે છે. પાંચ રૂપિયા કમાય છે, અને પાંચસે ગુમાવે છે. આ પ્રકારનો અભ્યાસ, બ્રહ્મત્વને સ્પષ્ટ અનુભવ થાય એવા ફળને શી રીતે પ્રકટાવે? ૬૪. જીવવાની ઈચ્છાવાળાએ જેમ સર્વ કાળ શ્વાસપ્રશ્વાસની ક્રિયા કરવાની અગત્ય છે, તેમ બ્રહ્મત્વને સ્પષ્ટ અનુભવ કરવાની ઇચ્છાવાળાએ પણ દિવસના ચોવીસે કલાક પિતાના બ્રહ્મત્વના શુદ્ધ વિચારમાં યોજાયેલા રહેવાની અગત્ય છે. પિતાના બ્રહ્મત્વને શુદ્ધ વિચાર એ ગંગાજળ છે. પિતાના જીવન અશુદ્ધ વિચાર એ દુર્ગધવાળું મલિન ખાળકૂડીનું પાણી છે. ગંગાજળમાં પા કલાક સ્નાન કરી આખો દિવસ ખાળકૂડીમાં કીડાની પેઠે ડૂબી રહેનાર, શુદ્ધિથી પ્રાપ્ત થતા સુખને શી રીતે અનુભવે ? પ્રત્યેક વ્યવહાર કરતાં અને પ્રત્યેક સ્થિતિમાં પિતાના બ્રહ્મત્વનું ભાન, મનુષ્ય જ્યારે જાગ્રત રાખે છે, ત્યારે જ તે જીવ ટળી શિવ થાય છે. ૬૫. સૂર્યને જોવાની ઈચ્છા રાખનાર મનુષ્ય જેમ ભેંયરામાં પેસવાથી સૂર્યનાં દર્શન કરી શકતા નથી, પરંતુ ખુલ્લા મેદાનમાં આવીને ઉભા રહેવાથી જ સૂર્યનાં દર્શન કરી શકે છે, તેમ બ્રહ્મને અનુભવ કરવાને ઇચછનાર મનુષ્ય પિતાના જીવત્વને જેવાથી, અને જીવવમાં સ્થિર રહેવાથી બ્રહ્મત્વને અનુભવ કરી શકતું નથી; પણ મિથ્યા પ્રતીત થતા છેવત્વનું અભાન કરી, તેનું વિસ્મરણ કરી, તેમાંથી બહાર નીકળી પિતાના સ્વતઃસિદ્ધ બ્રહ્મત્વમાં પ્રવેશે છે, અર્થાત બ્રહ્મત્વને જ વૃત્તિમાં આરૂઢ રાખે છે, બ્રહ્મત્વને જ સદાદિત ચિંતે છે, અને બ્રહ્મસ્વપ્રતિ જ પિતાના વિચારને અખંડ અભિમુખ રાખે છે, ત્યારે જ તે જીવને સ્થાને બ્રહ્મત્વની સ્પષ્ટ કલાને પ્રકટેલી અનુભવે છે. જેમ ઉત્તરમાં પ્રયાણ કરવાની ઈચ્છાવાળે, દક્ષિણમાં પ્રયાણ કર્યા કરે છે તે ઉત્તરના પ્રદેશમાં આવી શકતા નથી, તેમ જેઓ પ્રાતઃકાલથી જાગ્રત થતાં તે રાત્રીએ સૂતા પર્યંત મર્યાદાવાળા છવત્વના વિચારમાં જ તલ્લીન રહે છે, તેઓ કોઈ કાળે પણ સર્વ
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy