SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ ] આડંબરરૂપ થઈ રહે છે. યથાર્થ કર્મ અને યથાર્થ ભક્તિ, એ સ્વસ્વરૂપના ચિંતનથી ભિન્ન નથી. એ સ્વસ્વરૂપનું ચિંતન જ છે. જેઓ સ્વસ્વરૂપના ચિંતનમાં, સ્વસ્વરૂપની ભાવનામાં નિમગ્ન રહે છે, તેઓને, કર્મ ઉપાસના અને જ્ઞાન એ ત્રિપુટીને એક કાળે સાથે અભ્યાસ સધાય છે. ૫૦. સ્વસ્વરૂપનું, પિતાના પૂર્ણ સ્વરૂપનું ચિંતન કરતાં, ભય ધરવાનું પ્રયોજન નથી. અધિકાર નથી, એવું માનવાનું પણ પ્રયોજન નથી. મલ અને વિક્ષેપથી ભરેલા તમારા અંતઃકરણમાં સ્વસ્વરૂપને સ્થિતિ કરવાનો અધિકાર છે અને તેનું ચિંતન કરવાને તમને અધિકાર નથી, એ કેટલું હાસ્યજનક છે! કાગડાના શરીરમાં, પશુઓનાં શરીરમાં, સ્વસ્વરૂપનું ચિંતન કરવાના અધિકાર આવી ચૂક્યા છે. અને તમારા, દેવને પણ દુર્લભ મનુષ્ય શરીરમાં અધિકાર નથી, એ વાત કેવલ અસંભવિત છે. તમે મહા પાપી હશે, પણ જો તમને સ્વરૂપચિંતન કરવાની ઈચ્છા પ્રકટે તે પ્રિયતમ ! તમે સ્વરૂપચિંતનના અધિકારી છે. સ્વરૂપચિંતનની ઈચ્છા પ્રકટ, અધિકારની વાટ જોશો નહિ, અને ઇચ્છા ન પ્રકટે, તે પણ ઇચ્છા પ્રકટવાની વાટ જોશો નહિ. સુખની ઇચ્છા તે તમને પ્રકટ છે કેની? એ જ ઈછા તમને સ્વરૂપચિંતનના અધિકારી કરે છે. તમે પૂર્ણ છે. તમારા પૂર્ણ સ્વરૂપને ચિતિ, અને પૂર્ણતાને અનુભવે. ૫૧. જેમ તડકાની ઇચ્છાથી મનુષ્ય, તડકામાં જઈને ઊભા રહે છે કે તત્કાળ તેના પ્રતિ જીવનને આપનારાં સૂર્યનાં કિરણો વહેવા માંડે છે, તે જ પ્રમાણે પૂર્ણતાને અનુભવ કરવાની ઈચ્છાથી મનુષ્ય જ્યારે પિતાના પૂર્ણ રવરૂપનું ચિંતન કરે છે કે તત્કાળ પૂર્ણતાના ધર્મો તેનામાં છુટ થવાને પ્રારંભ થાય છે. પરંતુ જેમ ટાઢથી કરી ગયેલ મનુષ્ય ટાઢને ઉડાડવા માટે સૂર્યના તડકામાં એક ક્ષણ ઊભો રહે છે તે તેની ટાઢ ઊડતી નથી, પણ દીર્ઘ સમય ઉભા રહેવાથી જ ટાઢ ક્રમે ક્રમે જાય છે, તેમ પૂર્ણતાના ધર્મોનું પિતાનામાં પૂર્ણ પણે ભાન થવાને માટે મનુષ્ય અલ્પ સમય પે તાના પૂર્ણ સ્વરૂપનું ચિંતન કરવાનું નથી, પણ નિરંતરપણાથી દીર્ઘ સમય તેનું ચિંતન કરવાનું છે. વળી જેમ ટાઢથી કરી ગયેલો મનુષ્ય પા કલાક તડકે ઊભા રહે, અને પા કલાક ઠંડા જળમાં સ્નાન કરી આવે, વળી પાછો તડકે ઊભા રહે અને પાછો વળી ઠંડા જળમાં ડૂબકી મારી આવે, તે તેની ટાઢ ઊડવાનો સંભવ આવતું નથી, તેમ પ્રાતઃકાળે સ્નાન કરીને થોડો સમય મનુષ્ય પોતાના પૂર્ણ સ્વરૂપનું ચિંતન કરે અને પછી આખો દિવસ પિતાને અપૂર્ણ અને દુઃખી માન્યા કરે છે તેથી તેને પિતાની પૂર્ણતા
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy