SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર અનુભવવાને સત્વર સંભવ આવતું નથી. જે સત્વર પૂર્ણતાને અનુભવ તમારે કરવો હોય તે જાગ્રતમાં કે સ્વમમાં, વ્યવહાર કરતાં કે નિવૃત્તિ સેવતાં, સર્વ સમયમાં તમારા પૂર્ણ સ્વરૂપનું વિસ્મરણ કરશે નહિ. સ્વસ્વરૂપનું અખંડ ચિંતન, ગમે તે મનુષ્યને પણ અલ્પ સમયમાં સ્વસ્વરૂપાકાર કરે છે. પર. વિવિધ વ્યાવહારિક ક્રિયાઓમાં તમારા પૂર્ણ સ્વરૂપની ભાવના તમારા અંતઃકરણમાં જાગ્રત નથી રહેતી માટે કંઈ જ ફળ નહિ મળે, એવી શંકાથી આ સર્વોપરિ સાધનથી નિવૃત્ત થશો નહિ, દિવસના અષ્ટ પ્રહરમાં એક ક્ષણ પણ આ ભાવના સેવાય તે અવશ્ય સેવજે. સ્વસ્વરૂપની ભાવના એ સિંહનું બાળક છે. તે એક ક્ષણનું નાનું બાળક હશે તે પણ એકએક ક્ષણવડ મોટું થતાં, કાળે કરીને બકરીઓના મોટા સૈન્ય જેવી તમારી અસંખ્ય અયોગ્ય ભાવનાઓને તે લય કરી નાંખશે. તેથી એકાંત સ્થલમાં જાઓ, અથવા જયાં બેઠા હે ત્યાં નેત્ર મીંચે, હૃદયમાં ઊંડા ઊતરે, બાહ્ય દશ્ય વિચાર પરિત્યજો, સ્થિર થાઓ, અને હું હું' એવું ભાન જ્યાં થાય છે, તે સ્થળે, તમારા અપૂર્ણપણાના ભાનને બાધ કરી, “હું પૂર્ણ ચિતિસ્વરૂપ છું', “હું સતચિતઆનંદસ્વરૂપ છું” એ ભાનને, અર્થમાં તન્મય થઈ સ્પષ્ટ અનુભવે. ૫૩. તમારા બારણામાં અથવા અગાશીમાં કેઈસમયે થેડા દાણા વેરાયા હોય છે, તે શું તમે નથી અનુભવ કર્યો કે તેના તરફ કીડીઓ, ખિસકેલીઓ, ચકલીઓ વગેરે આકર્ષાઈ આવે છે? દાણાને બદલે સાકર, ગોળકે એવી કઈ ગળપણવાળી વસ્તુ વેરાઈ હોય છે, ત્યારે સેંકડે માખીઓ તે સ્થળે આઈઆવી બણબણ કરતી શું તમારા જોવામાં નથી આવી? તે જ પ્રમાણે, તમારા બારણ આગળ કઈ જ્ઞાતિજન થયું હોય છે, તે કાગડા અને સમડીઓ તેના તરફ આકર્ષાઈ આવેલી તમારા અનુભવમાં નથી આવી ? વળી જયાં મરેલું કૂતરું, બિલાડું કે ગધેડું પડ્યું હોય છે ત્યાં ગીધનાં ટોળેટોળાં એકઠાં થયેલાં શું તમારા જોવામાં નથી આવ્યાં? બહાર જગતમાં જે પ્રકારે બને છે, તે જ પ્રકારે આપણા આ આંતર જગતમાં અર્થાત્ હૃદયમાં બને છે. તમારા હૃદયરૂપી આંગણામાં જેવા જેવા વિચારને તમે પ્રસારે છે, તે વિચારને અનુકૂળ જ વિચારે આ બહારના વાતાવરણમાંથી આકર્ષાઈ આવી ત્યાં એકઠા થાય છે. સમગ્ર વાતાવરણ વિચારનાં આદેશનેથી સભર ભરેલું છે. જેમ તેમાં અસંખ્ય શુદ્ધ વિચારનાં આંદેલને પ્રવર્તે છે, તેમ તેમાં અસંખ્ય અશુદ્ધ વિચારેનાં આદેલને પણ પ્રવર્તે છે; અને આ આંદલને, આપણે જ્યારે આપણું અંતઃકરણમાંથી
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy