________________
વિચારરત્નરશિ]
૪૩
જ કાળ ગાળવા ચોગ્ય છે. પોતાના દોષોને વારવાર વિચાર કરવાથી ગ્લાનિ, અ મધિક્કાર વગેરે પ્રકટે છે, તેથી હૃદય સ કાચાય છે; અને તેના પરિણામમાં જો તત્ત્વવિચાર કરવામાં ઉત્સાહ પ્રકટતો નથી, અને પ્રયત્ન થતા નથી, તે મનુષ્યની ક્રમે ક્રમે ઉન્નતિ થવાને બદલે અવનતિ જ થાય છે. દોષો ત્યજવા માટે કચિત્ કવચિત્ પોતાના દોષો જોવા, એ ઠીક છે. પરંતુ વારંવાર તેમાં નિમ રહેવુ, એ દુળતા આણનાર છે, અને પુરુષાર્થમાં જોડનાર જે ઉત્સાહ તેના
લય કરનાર છે.
૫. તમારા મ્હેલા અર્થ તમે ધારા છે તે કરતાં વધારે સત્વર તમને મળવાનો સંભવ હોય છે. પૂર્ણ શ્રદ્ધાને રાખી, તમારા હૃદયમાં રહેલા તમારા આત્મસ્વરૂપપ્રતિ પ્રેમને વધારતા જાઓ, અને નિષ્ફળતાના કાઈ ક્ષણે પણ વિચાર કરશેા નહિ. અલ્પ સમયમાં સિદ્ધિ મળેલી તમે અનુભવશે.
૬. પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એથી શ્રેષ્ઠ કવ્ય આ વિશ્વમાં મનુષ્યાનુ... અન્ય કાઈ નથી. એવા એક પણ અર્થ નથી કે જે આત્મસ્વરૂપનું જ્ઞાન થતાં પ્રાપ્ત ન થાય. આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો રાજમા એક જ છે, અને તે એ જ છે કે સવ ખાદ્ય પદાર્થાનું ચિંતન પરિત્યજી પોતાના હૃદયમાં નૃત્તિઓને એકાગ્ર કરવી, હૃદયના મધ્યબિંદુમાં ભૃત્તિની સ્થિતિ, એ સર્વાં ભયથી મુક્ત કરનાર છે. હૃદયના મધ્યબિંદુમાં નૃત્તિની સ્થિતિ, એ અજ્ઞાનમાત્રનો ઉચ્છેદ કરનાર છે. હૃદયના મધ્યબિંદુમાં ભૃત્તિની સ્થિતિ, એ જ્ઞાનમાત્રનું ઉત્પત્તિસ્થાન છે. હૃદયના મધ્યબિંદુમાં વ્રુત્તિની સ્થિતિ, એ ઐશ્વયંમાત્રને અનાર્ છે.
છે. જેમ જેમ મનુષ્ય પોતાના હૃદયના મધ્યમાં રહેલા પોતાના આત્મ સ્વરૂપની અધિક અધિક સમીપ આવતા જાય છે, તેમ તેમ તે અધિક અધિક નિર્ભય થતા જાય છે, અને જેમ જેમ તે હૃદયના મધ્યબિંદુથી દૂર, આ દૃશ્ય વિષયપ્રતિ જતા જાય છે, તેમ તેમ તે અધિક ભયને પ્રાપ્ત થતા જાય છે. જેમ જેમ મનુષ્ય પોતાના હૃદયના મધ્યબિંદુની નિકટ આવતા જાય છે, તેમ તેમ તે વ્યાધિ અને મૃત્યુથી દૂર જતા જાય છે; અને જેમ જેમ તે પોતાના હૃદયના મધ્યબિંદુથી દૂર જતા જાય છે, તેમ તેમ તે વ્યાધિ અને મૃત્યુની સમીપ આવતા જાય છે.