SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર ૮. કેટલાક મનુષ્ય દુઃખથી ખીએ છે, કેટલાક રાગથી ખીએ છે, કેટલાક વૃદ્ધાવસ્થાથી ખીએ છે, કેટલાક મૃત્યુથી ખીએ છે, કેટલાક નિર્ધનતાથી ખીએ છે, કેટલાક ચોર, શત્રુ, સાપ, વીછી વગેરેથી ખીએ છે, કેટલાક દુર્ગુણ, દોષ અને પાપથી ખીએ છે. કેટલાક પોતાની ઓછી આવડતથી ખીએ છે, કેટલાક ભવિષ્યમાં આવનારી અણધારી વિપત્તિથી ખીએ છે. ભયનાં આવાં આવાં અસખ્ય નિમિત્તોની ગણતરી કરવાનુ શું પ્રયોજન છે ? મનુષ્ય જેમ જેમ પોતાના હૃદયના મધ્ય બિંદુની નિકટ આવતા જાય છે, તેમ તેમ બ્રહ્માંડની અ ંદરના તથા બ્રહ્માંડની બહારના સર્વ પ્રકારના ભયથી મુક્ત થાય છે. કારણ હૃદયનુ મધ્યબિંદુ–મનુષ્યનું આત્મસ્વરૂપ-નિર્ભયતાનો મહાદધિ છે, ભયરૂપ અધકારને મધ્યાહ્ન સમયના સૂર્ય છે. ૪૪ ૯. હૃદયના મધ્યબિંદુની પ્રાપ્તિ શી રીતે થાય ? તેની સમીપ શી રીતે જવાય ? વિષયનાં ચિંતન પરિત્યજી હૃદયમાં વૃત્તિ એકાગ્ર કરવાથી. એકાગ્રતા એ જ હૃદયના મધ્યબિંદુને અનુભવવાના એક જ ઉપાય છે. ૧૦. એકાંત સ્થળમાં સર્વ વિષયના વિચારો છોડી દેઈ શાંતપણું પ્રેસી હૃદયમાં વૃત્તિ સ્થિર કરવાથી ક્રમે ક્રમે એકાગ્રતા સાધી શકાય છે; વૈખરી અને મધ્યમાનાં તોફાનાની પેલી પાર હૃદયનું મધ્યબિંદુ છે. વિચારાના ત્યાં અભાવ છે. અપૂર્વ શાંતિ ત્યાં પ્રવર્તે છે. તેને પ્રાપ્ત કરવાને તમે પણ તેના જેવા જ શાંત થા. ધાંધાને છેડી એકાંત સેવા. અંદર ઊતરી. અંદર પણ વિચારાના સૂક્ષ્મ ધ્વનિને બંધ કરો. સર્વ પ્રકારના ધ્વનિ બંધ થતાં, મધ્યબિંદુ કયું છે, તે ઓળખાવવાની અગત્ય રહેશે નહિ. ૧૧. હૃદયના મધ્યબિંદુ સમીપ જતાં કેવાં વિદ્મો આવે છે તે તમે જાણા છે ? બહારના દેશમાં તમારી વૃત્તિ ફરતી હાય છે, ત્યારે જે અવાજો તમને જરા પણ નડતા નથી, તેવા અવાજે હૃદયમાં ઊતરતાં તમને ક્ષણે ક્ષણે વિશ્ર્વ કરે છે. ઝાડનું, હાલવું, કાગડાનુ ખેલવું, કે મચ્છરનું ગણગણવું, ખીઝ વખતે તમને કશા પણ વિક્ષેપ કરતું નથી. પણ આવા ક્ષુદ્ર અવાજો, હૃદયમાં ઊતરતાં તમને જાણે તોપના ભડાકા જેવા લાગે છે. કાઈ ધીરે વાત કરતું હોય તાપણ તે તમને તત્કાળ સંભળાય છે, અને તમને તત્કાળ વિક્ષેપ થાય છે. આથી આકળા સ્વભાવવાળા મનુષ્યા ગભરાઈ જાય છે, ચિડાઈ જાય છે, જાગ્રત થઈ અવાજ કરનાર ઉપર ક્રોધ કરે છે. આવા સ્વભાવ એકાગ્રતાને સાધી શકતો નથી.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy