________________
[શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર
કરતાં આવડે તે આ ભૈતિક શરીરમાં જ, બ્રહ્મસદનના સુખને તમને અનુભવ થવાના સર્વ સંભવ છે. સ્વર્ગનાં કે વૈકુંઠનાં દર્શન કરવા, મરણ પામવાની અગત્ય નથી. તમારા જીવનની પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક ઘટિકાઓ, પ્રત્યેક પ્રહરે તમે સ્વર્ગસુખને અનુભવ કરવા સમર્થ છો. અંતઃકરણની સ્થિતિ ફેરવે, અને તમારું શરીર, તમારું ઘર, તમારું નગર, તમારે દેશ, બ્રહ્મલોક થઈ રહેશે. તમે પિત દેવ થશે, અને મનુષ્યમાત્ર તમને દેવરૂપે દષ્ટિએ આવશે. મનુષ્યો ખરાબ નથી, તમારું ગામ ખરાબ નથી, દેશ ખરાબ નથી, કાળ ખરાબ નથી. તમારું અંતઃકરણ વિકારી છે. અંતઃકરણને ફેર, સર્વત્ર કલ્યાણ વિના અન્ય કંઈ દૃષ્ટિએ આવશે નહિ. વૃત્તિઓને જગદાકાર, પદાર્થાકાર, વિષયાકાર કરે; બ્રહ્મસદન તમારાથી કરોડે યોજન દૂર છે. વૃત્તિઓને ઈશ્વરાકાર કરે, હૃદયમાં રહેલા તમારા આત્માકાર કરે, ચિન્મય કરે, બ્રહ્મસદન તમારા આંગણામાં, તમારા ઘરમાં પ્રકટેલું જણાશે. હૃદયમાં વર્તતા વિષયોનાં ચિંતન ત્યજી, ચિતિશક્તિનું ચિંતન કરે, તમે તત્કાળ દેવ થશે. તમે દેવ છો જ. શા માટે તમારું દેવત્વ, ઈશ્વરત્વ જોતાં, તેનું ચિંતન કરતાં સંકેચાઓ છો, ભય પામે છો ? નેત્રને જગત ભાસે ત્યાં ત્યાં તેને બ્રહ્મ જેવાને અભ્યાસ પાડે. અન્ય ઈદ્રિયોને જ્યાં જ્યાં જા, દુઃખ અને અસતનું ભાન થાય ત્યાં ત્યાં તેમને બળાત્કારથી ચિત સુખ અને સત્ જેવા અભ્યાસ પાડે. બ્રહ્મસદન તમારી સમીપ છે. અંતર અને બાહ્ય, ઉચે તથા નીચે, ચતુર્દિશામાં અને ચતુષ્કોણમાં તમારા આત્મસ્વરૂપ વિના અન્ય શું છે જે બ્રમમાં અને ભયમાં પડી વૃથા છળી મરે છે? સત્વરે ચેતે. સર્વત્ર બ્રહ્મ છે. તમે બ્રહ્મ છે, અમે બ્રહ્મ છીએ. પ્રાણી પદાર્થ સર્વ બ્રહ્મ છે. આ જ વિચારને અખંડ જાગ્રત રાખો. અન્ય વિચારને સુરવા ન દે. તમે બ્રહ્મસદનમાં સ્થિત છે. તમે બ્રહ્મસદનના અધિપતિ છે.
૪. પિતાના દેષ જેવા, એ લાભકારક છે; પરંતુ વારંવાર પિતાના દોષનું ચિંતન કરવું, અને તેમ કરીને પિતાને વારંવાર તિરસ્કાર કરે એ લાભકારક નથી. પિતાના દેશે અને દુર્ગુણને વારંવાર વિચાર કરવાથી લાભ થવાને બદલે હાનિ થાય છે, કારણ કે જે સમય ઉત્તમ પ્રકારના શુદ્ધ વિચારમાં અથવા તત્ત્વવિચારમાં જવો જોઈએ, તે સમય ચિંતનમાં જાય છે. દોષનું ચિંતન કઈલાભ કરતું નથી, પણ તેનું જ ચિંતન લાભ કરે છે, તેથી દેનાં ચિંતનમાં વૃથા કાળ ન ગાળતાં બુદ્ધિમાન મનુ તત્વવિચારમાં