________________
।। ૐૐ શ્રી |
વિચારરત્નરાશિ
૧. પ્રા:તકાલે તમે જાગ્રુત્ થા છે કે તરત જ શુ` તમે હૃદયમાં 'તર્યામીશ્વિરપ્રતિ દૃષ્ટિ નાંખા છે ? તમારા આત્મારૂપ આ પરમેશ્વર પાસે શું તમે ખરા મનથી દીનપણે થાડી ક્ષણે એકાગ્ર થઈ યાચા છે કે આજે પુનઃ નિદ્રાવશ થતા સુધી સ` ક્રિયાઓમાં મને શુદ્ધ મતિ તથા શુદ્ધ જ્ઞાન આપો? શું તમે નથી જાણતા કે આ પ્રમાણે પ્રા:તકાલમાં નિત્ય હૃદયસ્થ શ્વરનું સાહાચ્ય યાચવાથી પ્રત્યેક શુભ ક્રિયામાં આપણને દેવી સાહાય્ય પ્રાપ્ત થાય છે? શું તમે નથી જાણતા કે હૃદયમાં રહેલા આપણા આત્મસ્વરૂપપ્રતિ અભિમુખ થઈ નિત્ય પુનઃ પુનઃ આ પ્રમાણે યાચના કરતાં શાંતિ, સુખ, આનંદ, ખળ, સામર્થ્ય અને દૈવી શક્તિ મનુષ્યને પ્રાપ્ત થાય છે? શું તમને એ વાર્તા અજ્ઞાત છે કે મનુષ્યો આ પ્રમાણે હૃદયમાં નિત્ય ઊંડા ઊતરી ખરી ભક્તિથી પોતાના સ્વસ્વરૂપશ્વિર પાસે શુદ્ધ જ્ઞાન તથા શુદ્ઘ મતિની યાચના નથી કરતા, તેથી જ તેમને સ પ્રકારનાં દુઃખો, સર્વ પ્રકારના ક્લેશો, અને સર્વ પ્રકારની વિપત્તિઓ પ્રાપ્ત થાય છે ? નિત્ય પ્રાતઃકાલમાં જાગ્રત્ થતાંની સાથે જ હૃદયમાં ઊતરો અને શાંતિથી પૂર્ણ પ્રેમથી પરમેશ્વરના સબંધને સેવા.
૨. ભાવિની ચિંતા અને ભય યથા શ્રેયસ્સાધકને નથી જ. અવિહિત માગે વનારને જ ભય, ચિંતા, અને થથરાટ હાય છે. શ્રેયસ્સાધક પોતાના હૃદયમાં રહેલા શ્વરથી શુદ્ધ મતિ તથા જ્ઞાનને પ્રાપ્ત કરી સદા શુદ્ધ માર્ગે જ વહન કરતા હાય છે, અને તેથી તેને ભય કે ચિ ંતાના સંભવ જ ક્યાં છે? પુનઃ પુનઃ હૃદયમાં વળી ઈશ્વરના અભિમુખ થઈ શુદ્ધ મતિને પ્રાપ્ત કરો. શુદ્ધ મતિ પ્રાપ્ત થતાં સદા શુભ ક્રિયા જ સેવાય છે. અને શુભ ક્રિયાનું ફળ સદા સુખ જ છે. ભય અને દુઃખથી તરવાના, ભાવિની ચિતાથી ઊગરવાના એ જ સરળ ઉપાય છે.
૩. બ્રહ્મસદન અથવા બ્રહ્મલોક ક્યાં છે? વધુ ક્યાં છે ? સ્વ ક્યાં છે? જો તમને અનુભવતાં આવડે, તે તમારા હૃદયમાં છે, જો તમને પ્રાપ્ત