________________
[શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર સુધારવામાં આળસ કરવી, એ પોતાના મસ્તકને પોતાને જ હાથે કરવતથી વહેરવા બરાબર છે.
દુઃખમાત્રનું પ્રથમ એટલે મૂળ કારણ અયોગ્ય વિચારે જ છે. તમે ગમે તેવા દુઃખથી પીડાતા હશે-શરીરના, ધનના કે વ્યવહારમાં કોઈપણ વિષયના– અને તેનાં કારણે ઉપરથી જોતાં ભલે બીજાનું જણાતાં હોય તે પણ નિશ્ચય માનજો કે તે સર્વનું મૂળ કારણ તમારા અગ્ય વિચારે જ છે. પરંતુ આની ખાતરી બુદ્ધિથી જો તમે કરવા ધારતા હશે તે તેમાં તમે નિષ્ફળ જ થવાના. અનુભવ જ એકલે આવા વિષયમાં પ્રમાણરૂપ છે. એ જ પ્રમાણે સુખમાત્રનું મૂળ કારણ શુભ વિચારો જ છે–પછી તે સુખ શરીરનું, ધનનું, કે વ્યવહારનું ગમે તે વિષયનું હોય, અને તેનું કારણ ઉપરથી જોતાં ભલે બીજું જણતું હેય. પરંતુ આ વિષયમાં પણ અનુભવ કર્યા વિના એકલી બુદ્ધિથી ખાતરી થઈ શકે તેમ નથી.
ખાતરી કરી જેવા પ્રયત્ન કરવા પહેલાં જ બુદ્ધિ, હમેશાં આ વિષયમાં એવી શંકા ઉઠાવે છે કે જે બધે આરોગ્ય, અને ઐશ્વર્ય, અને સુખ, અને કલ્યાણ જ વ્યાપી રહ્યું છે, અને એ વિના બીજે દુઃખજેવો જણ તે કશે પદાર્થ છે જ નહિ. તે પછી આ અસખ્ય પ્રકારના રોગો, અને નિર્ધનતા, અને દુઃખ, અને અકલ્યાણ અને એવી ને એવી સેંકડો અપ્રિય સ્થિતિમાં આવી ક્યાંથી ? સૂર્યમાં જેમ એકલે પ્રકાશ જ હેવાથી અંધકાર આવતું નથી તેમ સર્વત્ર સુખ જ છે, તે પછી દુઃખ આવ્યું ક્યાંથી?
આ શંકાનું સમાધાન બુદ્ધિને, અનુભવવિના બીજા કશાથી થઈ શકે તેમ છે જ નહિ. દેરડીમાં જેને સાપ જણાત હોય તેને જ્યાં સુધી દીવો આણી દેરડી દેખાડ્વામાં ન આવે ત્યાં સુધી, તે સાપ નથી પણ દેરડી છે, તેની ખાતરી શી રીતે થાય ?
વસ્તુતઃ બધે સુખ ભર્યું છે, એ ખરું છે, અને તે પણ એ સુખમાં દુ:ખની ભ્રાંતિ થવાથી સુખ જ દુઃખરૂપ જણાય છે. જ્યાં જે નથી હોતું ત્યાં શ્રાંતિ થવાથી તે જાય છે, તેને કેને અનુભવ નથી? મિત્રમાં શત્રુની બ્રાંતિ થવાથી મિત્ર શરૂપે, અને શત્રુમાં મિત્રની ભ્રાંતિ થવાથી શત્રુ મિત્રરૂપે જણાવાનાં દષ્ટાંતે વ્યવહારમાં નિત્ય શું નથી બનતાં? આમ છે તે પછી સઘળે વ્યાપી રહેલું સુખ દુઃખરૂપે બ્રાંતિથી જણાય એમાં આશ્ચર્યજેવું શું છે?