________________
સુખનાં સરળ સાધને ]
૩૭. પણ પાછો બુદ્ધિ પ્રશ્ન કરે છે કે ભ્રાંતિ ક્યાંથી આવી? અનુભવ ઉત્તર આપે છે કે જેમ જળમાં જળને ઢાંકનાર લીલ રહેલી છે, અને દીપકમાં કાજળ રહેલું છે, તેમ સર્વત્ર વ્યાપી રહેલા શુભમાં જ ભ્રાંતિ રહેલી છે. અને તે પણ એ ભ્રાંતિ શુભથી જદી નથી; ભરવરૂપ જ છે, અને અનુભવથી શુભસ્વરૂપે જ ભાસે છે.
દીપકમાંથી નીકળતું કાજળ, કાળું કોયલા જેવું છે, અને પ્રકાશનામાં અને તેનામાં પૂર્વ પશ્ચિમ જેટલે ભેદ સામાન્ય મનુષ્યને જણાય છે તે પણ જ્ઞાતા પુરુષ જાણે છે કે એ જ કાજળ, અગ્નિસ્વરૂપ છે, અને યુતિવડે દીપકમાં ને દીપકમાં જ તેને બાળી તેનું પ્રકાશ સ્વરૂપ પ્રકટ કરી શકાય છે. એ જ પ્રમાણે સર્વત્ર વ્યાપી રહેલા સુખમાં જણાતું દુઃખ અનુભવને પ્રકટાવવાની કળાવડે, સુખરૂપે જ અનુભવ કરી શકાય છે અને ત્યારે ભાસે છે કે સર્વત્ર એક સુખ જ વ્યાપી રહ્યું છે; દુઃખજેવું પૂર્વે જે જણાતું હતું, તેવું કંઈ હતું જ નહિ; અને જે જણાતું હતું, તે કેવળ બ્રાંતિ હતી.
અનુભવથી સિદ્ધ થનારી આ વાર્તા, બુદ્ધિને તમે આ રીતે ભલે સેંકડે વર્ષ હજારે યુક્તિથી સમજાવ્યું જાઓ, તે તર્ક નહિ પહોંચતાં હા હા કર્યો જશે, પણ તેના અંતરના ઊંડાણમાં રહેલ સંશય ટળતું નથી. આ વિષય બુદ્ધિને સમજાવા સત્યુએ હજારે ગ્રંથ લખ્યા છે, પરંતુ હજી તેની ભ્રાંતિ ટળી નથી. તેનામાં પાંડિત્ય પારવિનાનું આવ્યું છે, તે શ્રુતિનાં અને શાસ્ત્રોનાં પ્રમાણેના લોખંડના ગોળા સામાપિર ફેંકવામાં પારવિનાની પાવરધી થઈ છે, પરંતુ તેનું પોતાનું, ભ્રાંતિરૂપી માટીનું કોટડું તેડી પાડવામાં તે નિષ્ફળ નીવડી છે.
બહાર ભટકવાથી આમ જ થાય છે. એમ થવું જ જોઈએ. જ્યાં ભ્રાંતિને અભાવ છે, એવા પ્રદેશમાં ભ્રાંતિથી છૂટવા અને સત્યને અનુભવ કરવા મનુષ્ય પ્રવેશવું જ જોઈએ.
ભ્રાંતિરહિત કે પ્રદેશ છે? હા. પિતાને અંતરાત્મા. ત્યાં પ્રવેશતાં ભ્રાંતિરહિત સ્થાનને અનુભવ થાય છે, એટલું જ નહિ, પણ બહાર પણ ભ્રાંતિવાળું કેાઈ સ્થાન જ નથી, એવું ભાન થાય છે.
ભ્રાંતિવાળા વિચારેને છેડી દેઈ, શુદ્ધ વિચાર કરવા, અને તેમાં જ પ્રયત્ન પૂર્વક રમ્યા કરવું, એ અંતરાત્મામાં પ્રવેશવાનું પ્રથમ પગથિયું છે. પિતાનામાં