SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિશ્વવદ્યવિચારરત્નાકર ઇન્દ્રિયોના શમનમાં જ સત્ય જ્ઞાન રહેલું છે. ઇન્દ્રિયાના વેગને રોકી, તમારી અત્યંત સમીપ રહેલા સત્ય જ્ઞાનને શોધેા. ધૈયથી શેાધે. ઉતાવળા ન થા.. જેમ જેમ ઇન્દ્રિયાના વેગની શાંતિ થશે, તેમ તેમ તમારા પ્રયત્ન સફળ થયેલા તમે જોશો. મનબુદ્ધિ વગેરે અંતઃકરણના વેગને થોડો સમય સ્થિર કરો, પ્રત્યેક ક્ષણે ઊઠતાં મનનાં અસંખ્ય સ્ફુરણાનાં નગારખાનામાં તમારા આત્માનું સત્યજ્ઞાનમય શાંત સ્ફુરણુ ખાઈ ગયું છે. નગારખાનાના વ્યાપારને થોડીવાર બિલકુલ અટકાવે, અને આત્માના મધુર શાંત સ્વરને શ્રવણ કરા. તમને સમજાશે કે અંતર તથા બાહ્ય ઇન્દ્રિયોની ધમપછાડ બંધ પડે છે, અને તમે એકાગ્રતાવાળી શાંત સ્થિતિમાં આવા છે ત્યારે આત્મામાંથી જે સ્ફુરણ થાય છે, તે કેવળ સત્યથી પૂર્ણ હોય છે. ૩૦ આત્મામાંથી થતુ અંતર્ સ્ફુરણ ઓળખવાની શુ કાઈ નિશાની છે? આકાશમાં ઊગેલા સૂને એળખવામાં જેમ કશી મુશ્કેલી નડતી નથી, તેમ અંતર્ સ્ફુરણને ઓળખવામાં કશી ભ્રાંતિ થતી નથી. આત્મામાંથી પ્રકાશ પામતા સાક્ષાત્ જ્ઞાનમાં શંકાના ઉદયને અસંભવ છે, તમે જીવતા છતાં, તમે મરી ગયેલાં છે, એમ આખુ જગત્ એકત્ર થઈ તમને કહે પણ જેમ તમારા જીવનમાં તમને સ ંશય થતા નથી, તેમ આત્મામાંથી પ્રકાશતા સાક્ષાત્ જ્ઞાનમાં કશા સંશય થતો નથી, એટલું જ નહિ પણ એ સાક્ષાત્ જ્ઞાન જેવા જેના આગળ તમે વર્ષા છે, તેના હૃદયને તે આરપાર ભેદી નાંખે છે. બુદ્ધિવડે જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવ્યું હોય છે, તે જ્ઞાનના જેને તમે ઉપદેશ કરેા છે, તેની બુદ્ધિના પ્રદેશસુધી જ તે ઉપદેશ પહેાંચે છે. હૃદય તે ઉપદેશથી રંગાતું નથી. આત્મામાંથી પ્રકટતું સત્ય જ્ઞાન જ હૃદયને અસર કરવા સમ હોય છે. બુદ્ધિ અથવા મનનો આત્મા પ્રેરક છે, અને તેમ હોવાથી તે સ્વામી છે, અને મન સેવક છે. સેવકના પોતાના પદમાં તે શેાભે છે; સ્વામીના પદમાં નહિ. કારણેા આપીને કાઈ વિષય ખરા છે કે ખોટા છે, તે સિદ્ધ કરવાનું તેને ચે છે, પરંતુ સ્થલ શરીરની ઇંદ્રિયવડે મેળવેલું જ્ઞાન એ જ વસ્તુનિ ય કરવા માટે તેની પાસે પ્રમાણ હોય છે. આત્મામાંથી સ્ફુરતું દૈવી જ્ઞાનરૂપ પ્રમાણ તેની પાસે હાતું નથી, અને તેથી કરીને તેના નિશ્ચયેા ઘણે પ્રસ ંગે ભૂલ ભરેલા અને બહુ અવિશ્વાસ કરવા યાગ્ય હેાય છે.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy