SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સુખનાં સરળ સાધને] બુદ્ધિ દાખલા દલીલથી નિર્ણય કરે છે. આત્મા પરમાત્મામાં ડૂબકી મારે છે, અને સત્ય જ્ઞાનરૂપી મોતી બહાર આણે છે. બુદ્ધિએ નિર્ણય કરેલું જ્ઞાન 'પ્રસંગે ખરું હોય છે; આત્મામાંથી છુરતું જ્ઞાન સર્વદા જ ખરું હોય છે. આત્મામાંથી જે સત્ય જ્ઞાન સૂરે છે, તેને દાખલા દલીલેવડે સિદ્ધ કરવાની અગત્ય રહેતી જ નથી. તે સત્ય સ્વરૂપ જ હોય છે, અને સ્વપ્રકાશવડે સ્વતઃ પિતાની સત્યતા દર્શાવી આપે છે. આકાશમાં પ્રકટ થઈને સૂર્યને, હું સૂર્ય છું, એવું દર્શાવવાને શું અન્ય પ્રકાશની અગત્ય રહે છે? શાસ્ત્રના પારને પામેલા પંડિતમાં જે અનુભવજ્ઞાન નથી હતું, તે શાસ્ત્રનું મુખ પણ ન જોયેલા એક સાચા ભક્તમાં હોય છે, તેનું કારણ આ જ છે. મીરાં અથવા નરસિંહ અથવા કબીરનું, અંતરઆત્મામાંથી નીકળેલું એક પદ્ય જ્યારે હૃદયની આરપાર નીકળી જાય છે ત્યારે કાવ્યશાસ્ત્રને ઊંડો અભ્યાસ કરનાર વિદ્વાનોની કવિતા, કાનને અથડાઈને અસર કરવામાં નિષ્ફળ નીવડે છે. સત્ય જ્ઞાનના પ્રદેશમાં એકલી બુદ્ધિ, આંધળી હેવાથી, પ્રવાસ કરવાને અસમર્થ છે, આત્મામાં બૂડેલી બુદ્ધિ જ નેકવાળી છે, અને તે જ સત્ય જ્ઞાનના પ્રદેશમાં પ્રવાસ કરી શકે છે. ઇંદ્રિયો વડે બુદ્ધિ પ્રાપ્ત કરેલા જ્ઞાનમાં વિશ્વાસ રાખવાથી, અને આત્મામાંથી અરેલા જ્ઞાનમાં અવિશ્વાસ રાખવાથી મનુષ્ય સર્વ પ્રકારનાં દુઃખો સહન કરે છે. આપણે તન્યસ્વરૂપ છીએ, તેનું કઈ પ્રમાણ બુદ્ધિને જણાતું નથી. ચત રવરૂપ હોવાથી આપણને વ્યાધિ થવાને, કશો જ સંભવ નથી, એ વાત બુદ્ધિને ગળે ઉતરતી નથી, અને તેથી તે તેને દઢ થતું નથી. ઇંદ્રિયો વડે “હું સ્થલ દેહ છું” એ તેને સિદ્ધ થયેલું છે, અને તેથી તે નિશ્ચયને તે માની બેઠી છે. ઇંદ્રિયથી થયેલા ખોટા જ્ઞાનથી બંધાયેલા ખોટા નિશ્ચયથી પરિણામ એ આવ્યો છે કે આપણે સુખરવરૂપ હોવા છતાં આપણને દુઃખી માની બેઠા છીએ, અને પ્રસંગોપાત્ત તે આપણું દુઃખને એટલું મહાભારત માની બેસીએ છીએ કે તેને ટાળવાને ઉપાય આપણા જ હાથમાં છતાં, તેને ટાળવાને ત્રિભુવનમાં ઉપાય નથી એમ નિશ્ચય કરી સંતાપના અગ્નિમાં પ્રજળ્યા કરીએ છીએ હું ઇંદ્રિય નથી, મન નથી, બુદ્ધિ નથી, પણ ચેતન્યરવરૂપ આત્મા છું, એવું જ્ઞાન, મેળવવાનું સાધન ઇંદ્રિયો નથી, મન નથી, કે બુદ્ધિ નથી.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy